OHM ॐ AUM-SIVOHM
More then 10-Million Views
Apr 18, 2024
કૃપા અનંતની-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-490
અધ્યાય-૨૦૬-પતિવ્રતાનું આખ્યાન-કૌશિકની કથા
II मार्कण्डेय उवाच II कश्चिद्द्विजातिप्रवरो वेदाध्यायी तपोधन: I तपस्वी धर्मशीलश्च कौशिको नाम भारत II १ II
માર્કંડેય બોલ્યા-હે ભારત,કૌશિક નામે એક બ્રાહ્મણ હતો કે જે તપસ્વી,ધર્મશીલ હતો.તેણે ઉપનિષદો સાથે વેદોનું અધ્યયન કર્યું હતું.એક વાર તે કોઈ ઝાડના નીચે બેસીને વેદ ભણી રહ્યો હતો,ત્યારે તે ઝાડ પર બેસેલી એક બગલીએ તે બ્રાહ્મણની પર અઘાર કરી,કે જેથી તે બ્રાહ્મણ ક્રોધે ભરાયો અને બગલીનું અનિષ્ટ ચિંતન કરીને તેની સામે જોયું કે તરત જ તે બગલી,નિષ્પ્રાણ થઈને ધરતી પર પડી.તેને જોઈને બ્રાહ્મણ દયાથી સંતાપ કરવા લાગ્યો કે-'અરે રે,રોષ અને રાગમાં આવી જઈને મેં આ ભૂંડું કામ કરી નાખ્યું '(6)
Apr 17, 2024
ફૂલોને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-489
અધ્યાય-૨૦૫-પતિવ્રતાનું માહાત્મ્ય
II वैशंपायन उवाच II ततो युधिष्ठिरो राजा मार्कण्डेयं महाध्युतिम् I पप्रच्छ भरतश्रेष्ठ धर्मप्रश्नं सुदुर्विदम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,હે ભરતશ્રેષ્ઠ,યુધિષ્ઠિરે મહાકાંતિવાળા માર્કંડેયને સહેજે ન સમજી શકાય એવો આ ધર્મપ્રશ્ન પૂછ્યો કે-'હે ભગવન,હું સ્ત્રીઓનું ઉત્તમ માહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું તે યથાર્થ કહો.સૂર્ય,ચંદ્ર,વાયુ,પૃથ્વી,પિતા,
માતા,ગુરુ અને જે કોઈને દેવ કહેવામાં આવે છે,તે આ લોકમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે.સર્વ ગુરુજનો ને પતિવ્રતા સ્ત્રીઓ માનપાત્ર છે,આ બંનેમાં પતિવ્રતાઓની પતિસેવા મને ભારે કઠણ જણાય છે,કેમ કે તેઓ ઇન્દ્રિયોને વશ રાખી,મનનો નિરોધ કરી,પતિને જ દેવ માનીને તેમના જ ચિંતનમાં રહે છે,વળી તેમને માતપિતાની સેવા પણ કરવાની હોય છે,સ્ત્રીઓના અતિ કઠિન ધર્મ જેવું દુષ્કર હું કશું જોતો નથી.
Apr 16, 2024
સુગંધી પવન-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-488
અધ્યાય-૨૦૪-ધુંધુ દૈત્યનો વધ
II मार्कण्डेय उवाच II धुंधुर्नाम महाराज तयोः पुत्रो महाध्युति: I स तपोतप्यत महन्महावीर्यपराक्रमः II १ II
માર્કંડેય બોલ્યા-હે મહારાજ,એ મધુકૈટભને ધુંધુ નામનો એક મહાકાંતિમાન પુત્ર હતો.તેણે એકપગે ઉભા રહીને મહાન તપ આદર્યું હતું.તપમાં એનું શરીર સુકાઈ ગયું ત્યારે બ્રહ્મા તેની પર પ્રસન્ન થઇ વરદાન માંગવા કહ્યું.
ત્યારે તે બોલ્યો કે-'દેવો,દાનવો,યક્ષો,સર્પો,ગંધર્વો અને રાક્ષસો એ સૌથી હું અવધ્ય થાઉં'
ત્યારે પિતામહ બ્રહ્માએ કહ્યું-ભલે તેમ જ થશે હવે તું જા' આ પ્રમાણે વરદાન પામીને તે પોતાના પિતાના વધનું સ્મરણ કરતો તરત જ વિષ્ણુ પાસે પહોંચ્યો.ને તેમને અને સર્વ દેવોને તે પીડવા લાગ્યો.આ જ ધુંધુ,ઉત્તંક ઋષિના આશ્રમ પાસે શ્વાસ છોડીને અગ્નિની જવાળાઓ કાઢતો હતો,ને તેમને પણ પીડતો હતો.
Apr 15, 2024
ધ્યાન-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-487
અધ્યાય-૨૦૩-મધુકૈટભનું વૃતાંત
II मार्कण्डेय उवाच II स एवमुक्तो राजर्षिरुतंकेनापराजित I उत्तकं कौरवश्रेष्ठ कृतांजलिरथाब्रवीत II १ II
માર્કંડેય બોલ્યા-તે પરાજિત રાજર્ષિને ઉત્તંકે આમ કહ્યું ત્યારે તેણે હાથ જોડીને જવાબ આપ્યો કે-
'હે બ્રહ્મન,તમારું મારી પાસે આવવું વ્યર્થ નહિ જ જાય,આ મારો પુત્ર કુવલાશ્વ તમારું પ્રિય અવશ્ય કરશે.એમાં મને
શંકા નથી,મને તમે રજા આપો કેમ કે મેં શસ્ત્રો ત્યજી દીધાં છે' આમ કહી પુત્રને આજ્ઞા આપી તે વનમાં ગયો.