Apr 24, 2024

અક્ષરો-By અનિલ શુક્લ


ગણગણાટ,જગતનો,તરંગો બની વહી જતો હતો,
પાસ આવી તે કહે ઘણું,ને,ભાષણે ય બહુ દીધુ હતું.

પણ,ચુપકીથી પાસે આવી 'એ' કાનમાં કંઈ કહી ગયો,
શું કહ્યું તેણે ? તો શું કહું? મૌન અપનાવી લીધું હતું.

હવે ઝાલીને હાથ 'તે' લખાવે છે કંઇક,લખી લીધું,
આવશે 'એ'ને કહેલું,અહીં,અક્ષરોથી શણગારી લખું.

અનિલ
૧૬ જુલાઈ ૨૦૧૬ 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-496

 

અધ્યાય-૨૧૩-અધ્યાત્મવિચાર 


II ब्राह्मण उवाच II [पार्थिवं धातुमासाद्य शारिरोग्निः कथं भवेत् I अवकाशविशेषण कथं वर्तयतेनिल II १ II

બ્રાહ્મણ બોલ્યો-વિજ્ઞાન (આત્મા)નામની અગ્નિમય ધાતુ,ત્વચા આદિ પાર્થિવ ધાતુને પામીને કેમ શરીરાભિમાની થાય છે? વળી,વાયુ,ભિન્ન ભિન્ન નાડીમાર્ગોનો આશ્રય કરીને શરીરને કેવી રીતે ચેષ્ટિત (ક્રિયાશીલ) કરે છે?

વ્યાધ બોલ્યો-પ્રકાશ(અગ્નિ)મય વિજ્ઞાનાત્મા,ચિદાત્મા (પરમાત્મા)નો આશ્રય કરીને શરીરને ચેતનવાળું કરે છે.

પ્રાણ(શક્તિ),એ ચિદાત્મા ને વિજ્ઞાનાત્મા કરી ક્રિયા કરે છે.ભૂત,ભવિષ્ય ને વર્તમાન એ સૌ પ્રાણના આધારે છે.

તે પ્રાણ જ સર્વ ભૂતોનો કાર્યકારણરૂપ આત્મા છે,તે જ સંતાન પુરુષ છે,તે જ મહત્તત્વ,બુદ્ધિ,અહંકાર ને ભૂતોના

શબ્દ-આદિ વિષયો છે.આમ,તે પ્રાણથી જ શરીરનું અંદર ને બહાર પરિપાલન થાય છે.

પછી,એ પ્રાણ,સમાન નામના વાયુભાવે જુદીજુદી ગતિનો આશ્રય કરે છે (6)

Apr 23, 2024

પરમ-પદ-By અનિલ શુક્લ

 

અનુભવ્યાં દૃશ્યો અનેક,ને જોયા રંગ પણ જગતના અનેક,
સમયનાં પડ ચડી ગયા હતા  ને રંગ પણ જામ્યા 'તા અનેક.

હસ્યું હતું હૃદય,એ સુખની પળે ને રડ્યું યે હતું દુઃખની પળે,
ખીલી હતી લતા કુસુમથી,સુકાઈ ને તે હવે દેખાય ના,ખરે.

ના જાણે કેટલા અવતાર ધરી લીધા એક હૃદયે,હૃદય ધરી,
વિચારતાં તે વિચારની,શું કહું? શરમ હવે આવે છે ઘણી.

પડી શિલા વિવેકની,તૂટ્યા સમયના પડો ને રંગ ના થરો,
ખીલી ઉઠ્યું છે ચમન,થયો સુગંધિત,પવન,હવે,ખરે ખરો.

શાંત,શુદ્ધ,નાદ-મય,થયું હૃદય,તો શાને મરણથી ડરવું?
વરવું પરમ-પદને જ છે,તો જગતનું ધ્યાન હવે શું કરવું?

અનિલ
૨૩ જુલાઈ,૨૦૧૬

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-495

 

અધ્યાય-૨૧૧-પંચમહાભૂત અને ઇન્દ્રિયનિગ્રહ 


II मार्कण्डेय उवाच II एवमुक्तः स विप्रस्तु धर्मव्याधेन भारत I कथामकथयद भूयो मनसः प्रीतिवर्धनिम् II १ II

માર્કંડેય બોલ્યા-હે ભારત,ધર્મવ્યાધે તે વિપ્રને આમ કહ્યું ત્યારે તેણે મનની પ્રીતિ વધારનારી કથા 

ફરી પૂછતાં પૂછ્યું કે-'તમે જે પાંચ મહાભુતો કહ્યાં,તે પાંચેના ગુણો મને કહો'

વ્યાધ બોલ્યો-હે બ્રહ્મન,શબ્દ,સ્પર્શ,રૂપ,રસ ને ગંધ-એ પાંચે ગુણો પૃથ્વીમાં રહેલા છે.શબ્દ,સ્પર્શ,રૂપ,રસ-એ

ચાર ગુણો જળના કહ્યા છે,શબ્દ,સ્પર્શ,રૂપ-એ ત્રણ ગુણો તેજના છે,શબ્દ,સ્પર્શ એ બે ગુણો વાયુના છે અને શબ્દ એ

આકાશનો એક જ ગુણ છે.આ સર્વ સંસાર પંચમહાભૂતોમાં રહેલા ગુણોને આશ્રયે રહેલો છે.

Apr 22, 2024

Okha-Haran-Gujarati Book-ઓખાહરણ

This book is for Archive and online reading only-not downloadable

સાથ-By અનિલ શુક્લ

 

નથી પડતી ખબર એની,કે યાદ હું કરું છું કે તમે?
સંદેશ કોઈ ગજબથી અહીં તહીં કેમ અથડાય છે?

બાદબાકી કેમ થતી નથી હોતી-એ ગજબ યાદની,
જયારે જૂઓ,તેનો તો સરવાળો જ થતો દેખાય છે.

વિસારું હું નહિ પ્રભુ,તમને,તમે પણ ના વિસારશો,
શ્વાસની સુગંધ બન્યો પવન,સતત તમારો સાથ છે.

અનિલ
૧૪ ઓક્ટોબર-૨૦૧૫

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-494

 

અધ્યાય-૨૧૦-બ્રહ્મવિદ્યાનો ઉપદેશ 


II मार्कण्डेय उवाच II एवमुक्तस्तु विप्रेण धर्मव्याधो युधिष्ठिर I प्रत्युवाच यथा विप्रं तच्छ्रुणुष्व नराधिप II १ II

.માર્કંડેય બોલ્યા-'હે યુધિષ્ઠિર,બ્રાહ્મણે આમ પૂછ્યું એટલે ધર્મવ્યાધે જે ઉત્તર આપ્યો તે તમે સાંભળો'

ધર્મવ્યાધ બોલ્યો-હે દ્વિજશ્રેષ્ઠ,મનુષ્યોનું મન પ્રથમ વિષયોને જાણવા માટે પ્રવૃત્તિ કરે છે,ને જાણ્યા પછી તે કામને ક્રોધને ભજે છે.ને તે તે માટે પ્રયત્ન કરે છે,ને મહાન કર્મો આરંભે છે.આમ તે રૂપ,ગંધ આદિ વિષયોનો અભ્યાસ કર્યા કરે છે જેથી રાગ (આસક્તિ) જન્મે છે.આ રાગમાંથી દ્વેષ,દ્વેષમાંથી લોભ ને લોભમાંથી મોહ પેદા થાય છે.

Apr 21, 2024

પરવારી ગયો-By અનિલ શુક્લ

 

અનુભવું,ધન્યતા,કરી દર્શન,જે વસી રહ્યો,તમારામાં,
એવું બને છે કદીક,કે તે-જ-તમે જુઓ છો મારામાં.

શું,પરિસ્થિતિનો ફરક જ હશે ને? બીજું તો નહિ કશું?
તમે,વિચારો છો,કે કંઇક તો -ફરક તો કેમ રહી ગયો?

નથી જોતા તમારામાં,તમે,જે જોઉં છું હું તમારામાં,
બંને જગાએ ને સર્વે,"એ" ને જોઈ,પવન પરવારી ગયો !

અનિલ શુક્લ
ઓક્ટોબર-૨૮-૨૦૧૬

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-493

 

અધ્યાય-૨૦૯-કર્મકથા 


II मार्कण्डेय उवाच II धर्मव्याधस्तु निपुणं पुनरेव युधिष्ठिर I विप्रर्यममुवाचेदं सर्वधर्मभृतां वर II १ II

માર્કંડેય બોલ્યા-'હે યુધિષ્ઠિર,ધર્મવ્યાધે તે નિપુણ વિપ્રવરને ફરીથી આ બધું કહ્યું'

વ્યાધ બોલ્યો-ધર્મનું પ્રમાણ વેદ છે-એવી વૃદ્ધોની આજ્ઞા છે.પણ આ ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે,અનેક શાખાવાળી છે ને પાર વિનાની છે.જેમ કે (કહેવાય છે કે)પ્રાણના સંકટ સમયે ને વિવાહ પ્રસંગે અસત્ય કહેવું એ યોગ્ય હોઈ શકે છે કેમ કે એવા સંજોગોમાં અસત્યથી સત્ય ફળ મળે છે ને સત્યથી અસત્ય ફળ મળે છે.

આવા પ્રસંગે ઉલટું વર્તવાથી ધર્મ સધાય છે !! જુઓ આ ધર્મની સૂક્ષ્મતાને !! 

Apr 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-492

 

અધ્યાય-૨૦૮-જીવહિંસાનુ નિરૂપણ 


II मार्कण्डेय उवाच II स तु विप्रमथोवाच धर्मव्याधो युधिष्ठिर I यदहमाचरे कर्म घोरमेतदसंशयम् II १ II

માર્કંડેય બોલ્યા-હે યુધિષ્ઠિર,હવે તે ધર્મવ્યાધે,બ્રાહ્મણને કહ્યું કે-'હું આ જે કર્મ આચરૂં છું તે નિઃસંશય ભયંકર છે,

પણ હે બ્રાહ્મણ,પૂર્વે કરેલા કર્મો ભોગવ્યે જ છૂટકો છે.પૂર્વજન્મના પાપથી આ કર્મદોષ મને આવ્યો છે.

આ દોષ ફેડવા હું પ્રયત્ન કરું છું પણ મારો છૂટકો થતો નથી.જો કે વિધિએ પ્રથમથી જ પ્રાણીઓને હણી મૂક્યાં છે

એટલે તેમનો પછીથી નાશ કરનારાઓ તો માત્ર નિમિત્તરૂપ જ છે.વળી,હું જે પ્રાણીઓનું માંસ અહીં વેચું છું તે 

માંસ,ભોજનના કામમાં આવે છે તેથી તે પ્રાણીઓ પુણ્ય પ્રાપ્ત કરે છે.