Jan 1, 2012

ભાગવત-૧

ચતુશ્લોકી (ચાર શ્લોકનું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )

૧----સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો 
        (હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )                                                
    ---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
    ---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.
       ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.......( ૨/૯/૩૨ )

૨.---”માયા“ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રયપણું ) દેખાતું નથી.
   ---જેવી રીતે  શરીરના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.....................................(૨/૯/૩૩)
      (નોધ - શરીર ના ધર્મો-કે-દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
                                                  પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)

૩.---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'  માં સૃષ્ટિ ની પછી
       દાખલ થયેલા છે અને 
( જે દેખાય  છે)
      તે -દાખલ થયેલા પણ નથી ( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
   ---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થોમાં રહ્યો છું-અને-નથી પણ રહ્યો …..........(૨/૯/૩૪ )

૪.---આવી મારી “ સર્વત્ર “ સ્થિતિ છે.
     --આત્મા-નું તાત્વિક સ્વરૂપ  જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે 
-
     ---જે વસ્તુ -અન્વય  ( આત્માનું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
        અને 
     --અતિરેક  ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક કે આ બ્રહ્મ  નથી-આ બ્રહ્મ નથી )
        થી -સર્વ સ્થળે-સર્વદા છે -તે  આત્મા છે. ...............................................................( ૨/૯/૩૫ )


  NEXT PAGE 
..........................................................................................................................................................
શ્રીમદ ભાગવત  ના મુખ્ય પહેલા ત્રણ સ્કંધ નું લખાણ --નવ ભાગમાં નીચે ની લીંક પર થી  ............

010203040506070809