એક નિશ્ચય પર આવીને કહેશે કે-હે શાપો,અવિચારીપણું મૂકી દઈ તમારે કાર્યના અંતનો વિચાર કરવો જોઈએ.
આપણે જો કલહના અંતે બ્રહ્મલોકમાં જઈને જ નિર્ણય કરવાનો હોય તો તે મુજબ હાલ જ કેમ નહિ કરવું?
આ પ્રમાણે વરોનું કહેવું સાંભળી,શાપોએ એ વાતનો સ્વીકાર કર્યો.
'હે વરો અને શાપો,જેઓ અંદર બળવાળા અને સ્થિરતા (સાર) વાળા હોય છે તેમનો જ જય થાય છે.
માટે તમારાઓમાં અંદર સારવાળા કોણ છે? તેની તમે જાતે જ શોધ કરો'
એમ બ્રહ્માનું વચન સંભાળીને સાર તપાસવા માટે વરોના હૃદયની અંદર શાપો અને શાપોના હૃદયની અંદર
વરો પ્રવેશ કરશે.તેઓ પોતે જ શોધ કરી હૃદયની અંદરના સારને જાણીને પરસ્પર એકમત થઇ બ્રહ્માને કહેશે કે-
વરો પ્રવેશ કરશે.તેઓ પોતે જ શોધ કરી હૃદયની અંદરના સારને જાણીને પરસ્પર એકમત થઇ બ્રહ્માને કહેશે કે-
શાપો કહેશે કે-હે પ્રજાનાથ,અમે વરો વડે જીતાયા છીએ,કેમ કે અમે અંદર સારવાળા નથી,વરો જ સારવાળા છે
અને વજ્ર-સ્તંભ જેવા અચળ છે.અમે શાપો અને વરો,એ બંને સર્વદા જીવ-ચૈતન્યના સંકલ્પ-રૂપ છીએ,
બીજું કંઈ અમારું સ્વરૂપ નથી.વર આપનારનો સંકલ્પ 'મેં વર આપ્યો' એવા-રૂપે થઇ જાય છે
અને તે જ યાચકની અંદર 'મેં વર મેળવ્યો' એવા રૂપને ધારણ કરે છે.એ જીવ-ચૈતન્યનો દૃઢ સંકલ્પ જ
દેહાકાર થઇ જઈ દેશ-કાળ-આદિ સેંકડો ભ્રમો વડે તે તે ફળને દેખે છે અને અનુભવે છે.
અને વજ્ર-સ્તંભ જેવા અચળ છે.અમે શાપો અને વરો,એ બંને સર્વદા જીવ-ચૈતન્યના સંકલ્પ-રૂપ છીએ,
બીજું કંઈ અમારું સ્વરૂપ નથી.વર આપનારનો સંકલ્પ 'મેં વર આપ્યો' એવા-રૂપે થઇ જાય છે
અને તે જ યાચકની અંદર 'મેં વર મેળવ્યો' એવા રૂપને ધારણ કરે છે.એ જીવ-ચૈતન્યનો દૃઢ સંકલ્પ જ
દેહાકાર થઇ જઈ દેશ-કાળ-આદિ સેંકડો ભ્રમો વડે તે તે ફળને દેખે છે અને અનુભવે છે.
શાસ્ત્રોક્ત તપ કરતાં,દૃઢ થઇ રહેલા સંકલ્પના 'બળથી' વશ થઇ ગયેલ વરદાતા દેવ પાસેથી જે વર-પ્રાપ્તિ મળે છે,
તે ચિદાત્માનો વિલાસ (વિવર્ત) જ છે.ફળ-પ્રાપ્તિની અવસ્થામાં તે વર,સંકલ્પના દૃઢપણાથી સારી રીતે પુષ્ટ થઇ ગયેલો
હોય,તો જ તે અંદર સારવાળો છે અને દુર્જેય છે,પણ શાપનું સારપણું ન હોવાથી તે દુર્જેય નથી.
હોય,તો જ તે અંદર સારવાળો છે અને દુર્જેય છે,પણ શાપનું સારપણું ન હોવાથી તે દુર્જેય નથી.
શુદ્ધ જીવોમાં પણ અતિ-શુદ્ધ જીવ-ચૈતન્ય,પોતાના દૃઢ સંકલ્પબળથી જય મેળવે છે
અને અશુધ્ધોમાં અશુદ્ધ જય મેળવે છે.કાળને લીધે ફળમાં પણ તેમની સમાનતા હોતી નથી.
એક ક્ષણ-માત્રથી પણ જે પુરાતન (આગળનો કે પહેલાંનો) હોય,તે ન્યાયની રીતે પાછલાને જીતી લે છે.
તેથી શાપની પ્રબળતાને બીજો કોઈ પણ ન્યાય સાધી આપવા સમર્થ થઇ શકતો નથી.
જો વર-શાપની અથવા વિરુદ્ધ કર્મની સમાનતા હોય તો-શુભ-અશુભ કોટિમાં રહેલી મિશ્ર વસ્તુનો સમાનપણે
અનુભવ થાય છે.હે મહારાજ,અમે જે આપની પાસેથી શીખ્યા છીએ તે જ આપને બતાવીએ છીએ,
અનુભવ થાય છે.હે મહારાજ,અમે જે આપની પાસેથી શીખ્યા છીએ તે જ આપને બતાવીએ છીએ,
કે જે અનુચિત જેવું છે,માટે અમારી ધૃષ્ટતાના અપરાધની ક્ષમા કરશો.અમે આપને નમન કરીએ છીએ.
અને હવે જલ્દી પોતાના સ્થાન પર જઈએ છીએ.