Showing posts with label ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ. Show all posts
Showing posts with label ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ. Show all posts

Jan 31, 2013

ગીતા ના ત્રણ મુખ્ય રસ્તાઓ





ગીતામાં પરમ તત્વ ને પામવાના જુદા જુદા રસ્તા ઓ બતાવ્યા છે .

આ રસ્તાઓ--જુદા જુદા યોગો કહી શકાય ...

બધા રસ્તા ઓ પર એક સાથે તો કેમ જઈ શકાય ?

એટલે જ કોઈ એક રસ્તો શરૂઆત માં પસંદ કરી શકાય ......

ક્યાંક શરુ કરવાનું છે ....જાગવાનું છે .......

પછી આગળ જઈને બધા રસ્તા મળી જાય છે ............

મુખ્ય રસ્તા ઓ ત્રણ બતાવ્યા છે

જ્ઞાન યોગ ---કર્મયોગ ---ભક્તિયોગ

ત્રણ જુદી જુદી પ્રકૃતિના માનવો માટે ત્રણ જુદા જુદા રસ્તા ઓ છે ....

પોતાની પ્રકૃતિ અનુસાર કોઈ એક રસ્તા થી શરૂઆત કરવાની છે ---

પ્રકૃતિ ના ત્રણ પ્રકારો વર્ણવ્યા છે --(સાત્વિક --રાજસિક --તામસિક

અને

તે બાહ્યિક પ્રકૃતિ  અને અંતરિક પ્રકૃતિ માં વિભાજીત પણ છે.)

-----------------------------------------------------------------------------------------------------------

કર્મયોગ

----મોટા ભાગના માનવો કર્મ પ્રધાન જોવા મળતા હોય છે --
   ઉદાહરણ તરીકે --
    આવા લોકો કહેતા હોય છે ..
     -----ભગવાને એક જિંદગી આપી છે તો મજા કરો
     -----આપણે તો કામ કરે જવાનું -ફળ મળે તે ભોગવે જવાનું

     આ સાચું જરૂર છે ---પણ
       આમ જિંદગી ભોગવવા માં રસ્તે આવતા ભોગો માં માનવ
          આશક્ત થઇ અને એષણા ઓ નો શિકાર નથી થતો હોતો ???

    ----આ વખતે કર્મયોગ આવીને અનાશક્તિ નો પાઠ ભણાવે છે
          (જેને ભણવો હોય તેને જ )

ભક્તિયોગ
---બીજા થોડા માનવો લાગણીપ્રધાન હોય છે
---જેમાં થોડા માનવો ભક્ત હોવાનો આડંબર ધરતા હોય છે
    અને ટીલાં -ટપકાં -માળા -મંદિર-યજ્ઞ -દાન  માં મસ્ત હોય છે

     ---આ વખતે ભક્તિયોગ આવીને તીવ્ર ભક્તિ અને શરણાગતિ ના
         પાઠ ભણાવે છે (અલબત્ત જેને ભણવા હોય તેને જ )

જ્ઞાનયોગ

--બીજા થોડા માનવો તર્કપ્રધાન  હોય છે --સંશોધન વૃત્તિ વાળા હોય છે -
---જેમાં થોડા માનવો જે જ્ઞાની છે --તે જ્ઞાન  ના દેખાવ માં
    તૈયાર અને જ્ઞાન ના અહમ માં મસ્ત હોય છે .

     ---આ વખતે જ્ઞાનયોગ આવી અહમ નો નેસ્તનાબૂદ કેમ કરવો અને
          શિવોહમ ના પાઠ ભણાવે છે ---

================================================================

આ જ ત્રણ રસ્તાઓ ને લગતા જ

થોડા બીજા રસ્તાઓ જોવા માં આવે છે ----
કે જેના માત્ર નામ જુદા છે -----પણ મોટે ભાગે આનું જ્ઞાન -તે ઉપરનાં ત્રણ માં
આવી જાય છે.
અમુક પ્રકૃતિ ના લોકો માટે તે જુદા પડ્યા હશે??

રાજયોગ ---------૩-૨૮
                            ૫-૮
                            ૫-૯
હઠયોગ ----------૮-૧૨
                           ૮-૧૩
જપયોગ---------૮-૧૪
અભ્યાસ યોગ ---૧૨-૯
                           ૬-૩૫