Showing posts with label ગીતાસાર- ટૂંકમાં. Show all posts
Showing posts with label ગીતાસાર- ટૂંકમાં. Show all posts

Jan 31, 2013

ગીતાસાર- ટૂંકમાં





---અર્જુન મોહ (આશક્તિ) થી શોકમય થયો છે .--
   અજ્ઞાન અને અંધારા નું આગમન થયું છે ---
   તેની આંખો જાણે બંધ થઇ ગઈ છે ---

---શ્રી કૃષ્ણ જ્ઞાન -આત્મા વિષે નું-- આપે છે -(જ્ઞાન યોગ )

---પછી કર્મ અને કર્મફળ ના ત્યાગ ની વાત સમજાવી (કર્મયોગ )

---પછી ઇન્દ્રિયો અને મન પર સંયમ અને
    એકાગ્રતા ની રીત શીખવી

---પછી પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કર્યું (વિશ્વરૂપ દર્શન માટે )

---દિવ્ય ચક્ષુ આપી --વિરાટ સ્વ-રૂપ નું દર્શન અને અનુભવ કરાવ્યો

---જીવન મુક્તતા અને સ્વ-ભાવ  સમજાવ્યો

---ક્ષેત્રજ્ઞ અને ત્રણે ગુણો ને જાણનાર પુરુષોત્તમ નું જ્ઞાન આપ્યું -----

---દૈવી સંપતિ,ભક્તિ ,શ્રદ્ધા અને વૈરાગ્ય (સન્યાસ ) નું જ્ઞાન આપ્યું

છેવટે

શાંત થઇ આનંદ થી અર્જુન બોલી ઉઠે છે

--મારો --મોહ --નષ્ટ થયો છે

--તમારી --કૃપા -થી મને સાચું જ્ઞાન થયું છે

--હું --સ્થિર -થયો છું

--મારા બધા--શંશયો--નિર્મૂળ થયા છે

અને

હવેથી હું તમારા વચન પ્રમાણે વર્તીશ
(શરણં )
-----------------------------------------------

અર્જુન ને જે મળ્યું તે
કૃષ્ણજી એ ગીતા માં આપેલું છે -

આપણે પણ અર્જુન--કે- જે ઉપર બોલ્યો છે (હવેથી હું તમારા વચન પ્રમાણે વર્તીશ )
તે પ્રમાણે.....

ગીતા અને કૃષ્ણજી નું શરણ સ્વીકારવું જ રહ્યું ............

શ્રી કૃષ્ણ શરણં મમઃ
કૃષ્ણમ વંદે જગદ ગુરૂમ..........