Showing posts with label જગત નો નિયંતા. Show all posts
Showing posts with label જગત નો નિયંતા. Show all posts

Oct 7, 2011

જગત નો નિયંતા


બહુ સમય પહેલા વાંચેલી એક વાત યાદ આવે છે ,,,,,,

એક ચિત્રકાર નાસ્તિક હતો 
એક દિવસ ઘેર આવ્યો અને જોયું કે -
તે જે કેનવાસ સવારે કોરું મુકીને ગયેલો તેના પર 
કોઈકે પર્વતો -નદી -ઝાડ -પક્ષી વગેરે દોરી નાખ્યું છે ......

ગુસ્સે થઇ દીકરા ને બોલાવ્યો અને ખુલાસો માંગ્યો ......
દીકરો કહે કે મેં દોર્યું નથી ---
ચિત્રકાર કહે છે કે --
કોઈકે તો દોર્યું જ હોવું જોઈએ --એમ નેમ આ સફેદ 
કેનવાસ પર આ બધું કેવી રીતે આવે ?

હવે દીકરો કહે છે કે -
જે કેનવાસ પર દોરેલું છે તે બધું -
પર્વતો -નદી -ઝાડ -પક્ષી વગેરે ------
જગત માં કેવી રીતે આવ્યું ?
કોઈકે તો બનાવ્યું હશે ને ?

તમારી વાત સાચી છે .....
જે જગત નો નિયંતા છે  તે  "પરમાત્મા " છે .