Showing posts with label જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય. Show all posts
Showing posts with label જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય. Show all posts

May 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૨

શ્રીકૃષ્ણ કહે છે-કે-તારા સર્વ કર્મો,મન પૂર્વક મને અર્પણ કરી,મારામાં તત્પર (પરાયણ) થઇ,
મારામાં બુદ્ધિને પરોવી,સતત મારામાં ચિત્ત વાળો થા. (૫૭)
આવી રીતે મારામાં ચિત્ત ને સ્થિર કરીને,મારી કૃપાથી તુ બધી મુશ્કેલીઓમાંથી તરી જઈશ. પરંતુ જો-“અહંકાર” (અભિમાન) ને લીધે તુ મારું કહ્યું સાંભળીશ નહિ તો નાશ પામીશ. (૫૮)

May 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૧

અત્યંત શુદ્ધ બુદ્ધિથી, દૃઢતાપૂર્વક  પોતાને (પોતાની જાતને) નિયમમાં રાખીને,
વિષયો (શબ્દાદિક-વગેરે) નો અને રાગ-દ્વેષ (દ્વંદો)નો ત્યાગ કરીને, (૫૧)
એકાંત સેવનાર,અલ્પાહાર કરનાર,વાચા,કાયા તથા મનને અંકુશમાં રાખનાર,
ધ્યાનયોગમાં પરાયણ,એવો તે –નિત્ય વૈરાગ્યનો આશરો લઈને, (૫૨)
અહંકાર,બળ,દર્પ (ઉન્મત્તતા),કામ,ક્રોધ,પરિગ્રહને છોડીને-
મમતા વગરનો અને શાંત –એવો તે –બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે (૫૩)

May 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૦

જ્યાં સુધી કોઈ પણ મનુષ્યને આત્માનું  (પરમાત્માનું) જ્ઞાન થયું નથી ત્યાં સુધી તે 
–એક ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી.પ્રકૃતિ (માયા) ની શક્તિથી તેના ગુણો(સત્વ.રજસ,તમસ) ને લીધે જુદા જુદા “સ્વ-કર્મો” બન્યા અને તે –
“સ્વ-કર્મો” નું પાલન કરવાને લીધે “સ્વ-ધર્મ” બન્યા.(અહીં “સ્વ” શબ્દ બહુ મહત્વનો છે)
(નાના બાળકને માતા સિવાય કોઈ બીજાનો આધાર નથી,એટલે બાળકનું પાલન કરવું એ માતાનું “સ્વ-કર્મ” છે અને તે જ તેનો “સ્વ-ધર્મ” છે.બાળક મોટો થાય અને તે વખતે વૃદ્ધ માતાની સેવા કરવી તે તેનું “સ્વ-કર્મ” અને “સ્વ-ધર્મ” છે)

May 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૯

ગુણો (સત્વ-રજસ-તમસ)ના આધારે (કારણથી) બુદ્ધિ અને ધૃતિ (ધૈર્ય)ના પણ ત્રણ પ્રકારો છે.(બુદ્ધિ જયારે કર્મ કરવાનો નિશ્ચય કરે ત્યારે તે બુદ્ધિ-એ ધૃતિ (ધૈર્ય)ના નામથી ઓળખાય છે)
(૧) સાત્વિક બુદ્ધિ-પ્રવૃત્તિ (કર્મ માર્ગ) અને નિવૃત્તિ (સંન્યાસ માર્ગ) કોને કહેવાય? શું કરવું? અને શું ના કરવું?ભય શાથી છે? કે નિર્ભયતા શાથી છે? બંધન કેમ થાય છે? 
કે મોક્ષ કેમ થાય છે?આનો જવાબ જે બુદ્ધિ જાણે છે-તે સાત્વિક બુદ્ધિ કહેવાય છે.(૩૦)

May 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૮

કર્મની પ્રેરક (પ્રેરણા આપનાર) ત્રિપુટી-નીચે મુજબ છે.
(૧) જ્ઞાન (જેના વડે જાણવામાં આવે છે) (૨) જ્ઞેય(જાણવામાં આવનારી વસ્તુ)
(૩) જ્ઞાતા (જાણનાર)

કર્મના કારણ-રૂપ (કર્મનો પાયો-કર્મનો સંચય) ત્રિપુટી –નીચે મુજબ છે.
(૧) કરણ-(જે સાધનોથી કર્મ કરવામાં આવે-તે બાહ્ય અને આંતર ઇન્દ્રિય)
(૨) કર્મ (ક્રિયા) (૩) કર્તા (કર્મ કરનાર -કરણ પાસે વ્યાપાર કરાવનાર).(૧૮)

May 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૭

પાંચ કારણના યોગે “કર્મ”નો વિસ્તાર થાય છે.અને આ પાંચ કારણો જ કર્મના 
હેતુ-રૂપ છે.આત્મા તો ઉદાસીન કે દ્રષ્ટા છે-તે કર્મોનો સહાયક નથી.
જેવી રીતે રાત્રિ અને દિવસ આકાશમાં ઉત્પન્ન થાય છે,છતાં આકાશ તો તેમનાથી ભિન્ન જ હોય છે,તેવી રીતે પાંચ કારણોથી કર્મ-રૂપી વેલાઓની રચના થાય છે,
પણ આત્મા તો ભિન્ન જ હોય છે.

May 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૬

નિત્ય (નૈમિતિક) કર્મો,જન્મ-બંધનના કારણભૂત હોઈને,તે કર્મોનું યુક્તિપૂર્વક આચરણ 
કરીને –કર્મોના બંધનમાંથી મુક્ત થવાય છે,આ કર્મનો મર્મ તામસિક પ્રકૃતિવાળો ભ્રમિત મનુષ્ય સમજી શકતો નથી અને નિત્ય કર્મોનો ત્યાગ કરે છે-આમ,અજ્ઞાનથી 
નિત્ય (નૈમિતિક) કર્મોને ત્યજવામાં આવે તો તેને “તામસ ત્યાગ” કહે છે. (૭)

May 3, 2021

ગીતા રહસ્ય-૧૦૫-જ્ઞાનેશ્વરી-અધ્યાય-૧૮

અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસયોગ-૧
આ અધ્યાયના શરૂઆતમાં અર્જુન –શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે-કે-
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દો જુદા જુદા છે,પણ એ બંનેનો અર્થ તો 
“ત્યાગ” હોય એવું જ સમજાય છે. જો આ બંને શબ્દો માં ફરક હોય તો –
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દોનો સાચો અર્થ મને સમજાવો.(૧)

May 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૪

આ જે સર્વ દ્રશ્ય જગત છે,તે અસત્  હોવાથી-તે- સત્નું રૂપ નથી.પરંતુ 
જે સાચે જ સત્નું સ્વરૂપ (પરમાત્મા) છે-
તે સત્નું રૂપ દૃષ્ટિગોચર (દેખાતાં) થતાં –આત્મસ્વ-રૂપ ની પ્રાપ્તિ થાય છે.
કાર અને તત્-કાર થી “કર્મો” બ્રહ્મરૂપ થાય છે.કર્મો –સત્ (ઉત્તમ) બને છે,
તેમ છતાં

May 1, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૩

જે અનાદિ પરબ્રહ્મ છે,અને જે જગતનું તથા સર્વનું વિશ્રાંતિસ્થાન છે.
તેના –એક –જ-નામ –ના ત્રણ પ્રકાર છે.  તત્- સત્
ખરેખર તો તે બ્રહ્મનું કોઈ નામ કે કોઈ જાત નથી.
પરંતુ અજ્ઞાની જનોને તેમના અજ્ઞાનના અંધકારમાં
તે બ્રહ્મને ઓળખી શકે તે માટે વેદોએ તેને નામ આપ્યું છે.

Apr 30, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૨

હવે પછી ત્રણ પ્રકારના યજ્ઞનું વર્ણન કર્યું છે.
ફળની આકાંક્ષા વગર (ફળની ઈચ્છા વગર)- “યજ્ઞ કરવો એ પોતાનું કર્તવ્ય છે,એટલે કરવો જ જોઈએ” એવું સમજીને મનથી નિશ્ચય કરીને શાસ્ત્રોક્ત વિધિથી –જે યજ્ઞ કરવામાં આવે તે-સાત્વિક યજ્ઞ -છે.આવા યજ્ઞ માં “અહંકાર” (હું યજ્ઞ કરું છું) નો અભાવ હોય છે.(૧૧)

Apr 29, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૧

દંભ,અભિમાન,કામ અને આસક્તિ –ના બળથી યુક્ત,એવા જે મનુષ્યો,શાસ્ત્રવિરુદ્ધ ઘોર તપ કરે છે,અને આવા જે અવિવેકી (અજ્ઞાની) મનુષ્યો,શરીરની સર્વ ઇન્દ્રિયોને 
કષ્ટ આપી અને શરીરમાં આત્મા રૂપે રહેલા પરમાત્માને પણ કષ્ટ આપે છે.
તેવા લોકો આસુરી નિષ્ઠાવાળા છે.(તામસિક શ્રદ્ધા વાળા) (૫-૬)

Apr 28, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૦-અધ્યાય-૧૭

અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય વિભાગયોગ
સોળમા અધ્યાયના અંતમાં શ્રીકૃષ્ણે એવો નિશ્ચિત સિદ્ધાંત કહ્યો-કે-
“સત્કર્મ કે દુષ્કર્મ કરવાના સંબંધમાં શાસ્ત્ર જ પ્રમાણ છે”
અર્જુનને આ વાત સાંભળીને સંશય થયો-એટલે તે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે.-કે-
આપનું કથન મને સંશય યુક્ત ભાસે છે.પ્રાણીમાત્રને શાસ્ત્રજ્ઞાન સિવાય મોક્ષપ્રાપ્તિ 
થતી જ નથી –તેવું જે એકપક્ષીય  આપ બોલ્યા છો-તેનો હેતુ શું છે ?

Apr 27, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૯

પોતાની જાતની પોતે જ પ્રશંસા કરનારા,અક્કડ બનીને જગતમાં ફરનારા,તથા
ધન અને માનના અભિમાન માં ઉન્મત્ત થયેલા –આવા આસુરી સંપત્તિ ધરાવતા મનુષ્યો,શાસ્ત્રવિધિ ને છોડી ને –માત્ર દંભ અને પોતાની મોટાઈ બતાવવા કેવળ નામના જ યજ્ઞો કરે છે.(૧૭)

Apr 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૮

શ્રીકૃષ્ણ કહે છે-દૈવી સંપત્તિ વડે સંસારમાંથી છૂટકો થાય છે,(મુક્તિ મળે છે) 
–જયારે આસુરી સંપત્તિથી,સંસાર નું બંધન પ્રાપ્ત થાય છે.
હે અર્જુન તુ દૈવી સંપત્તિ  જન્મેલો છે માટે તુ શોક ન કર.(૫)
આ જગતમાં દૈવ અને આસુર –એવા બે પ્રકારના મનુષ્યોનો વર્ગ છે.
દૈવી સંપત્તિ ધરાવતા-દૈવ વર્ગના લક્ષણો નું વર્ણન આગળ આવી ગયું,
એટલે હવે આસુર વર્ગ ના (આસુરી સંપત્તિના) લક્ષણો નું વર્ણન કર્યું છે. (૬)

Apr 23, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૭-અધ્યાય-૧૬

અધ્યાય-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ-૧
આ અધ્યાયમાં પ્રાણીઓની (જીવોની) દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કરવા માં આવ્યું છે.સહુ પ્રથમ દૈવી સંપત્તિ વિષેનું વર્ણન છે.દૈવી સંપત્તિ કે જે,
મુમુક્ષુને (મોક્ષ પામવા ઈચ્છનારને) સાથીરૂપ થાય છે.એકબીજાને સહાય કરે 
એવા પુષ્કળ પદાર્થોના સંચિત  (ભેગા) થયેલા સમુદાય ને સંપત્તિ કહે છે.એક સ્થળે એકત્રિત થયેલી અને સર્વને સુખ આપનારી –સંપત્તિને દૈવી-સંપત્તિ કહે છે.

Apr 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૬

ક્ષર એટલે કે જે પ્રતિક્ષણે નાશ પામે છે તે-
અગાઉ ના અધ્યાયમાં ક્ષેત્ર (શરીર)-અને પ્રકૃતિ (માયા) નું જે-વર્ણન કર્યું- અને
આ અધ્યાયમાં –વૃક્ષની આકૃતિથી જેનું વર્ણન કર્યું –તે- જેને જગત પણ કહે છે.
તે સર્વે નાશવંત (ક્ષર) છે.

Apr 21, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૫

ગીતા-અધ્યાય-૭-શ્લોક-૪-૫માં જે અપરા અને પરા પ્રકૃતિના નામથી- તથા-
અધ્યાય-૧૩-શ્લોક-૧ માં જે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના નામથી જે વર્ણન છે-તે જ બંનેનું અહીં હવે-ક્ષર અને અક્ષર ના નામથી વર્ણન કર્યું છે.અને આ બંનેથી જુદા કે જેને પરમાત્મા કહે છે-તે-ઉત્તમ પુરુષ –પુરુષોત્તમ –નું વર્ણન કરી અત્યંત ગુહ્ય જ્ઞાન બતાવ્યું છે.

Apr 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૪

શ્રીકૃષ્ણ કહે છે-કે-સર્વે પ્રાણીઓના (જીવોના) હૃદયમાં (અંતઃકરણમાં) નિવાસ કરનારો હું (ઈશ્વર) છું.મારાથી જ (ઈશ્વરથી જ) –સર્વ પ્રાણીઓને (જીવોને)
જ્ઞાન અને સ્મૃતિ (યાદ રહેવું તે) ઉત્પન્ન થાય છે. વળી મારાથી જ (ઈશ્વરથી જ)
અજ્ઞાન અને વિસ્મરણ (ભૂલી જવું તે) પણ ઉત્પન્ન થાય છે.

Apr 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૩

આમ આત્મા જયારે દેહને ત્યાગી જાય છે-ત્યારે તે પોતાની સાથે–પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠા મન ને,(ફૂલની સુગંધની જેમ) લઇ જાય છે.અને પછી –તે જીવની ગતિ પ્રમાણે-મનુષ્યલોક કે સ્વર્ગલોકમાં-જે જે સ્થળે –જીવ (આત્મા) દેહ ધારણ કરે છે-તે તે સ્થળે તે મન –વગેરે છ ઇન્દ્રિયોનો ફરીથી વિસ્તાર કરે છે.(જેમ)
દીવો ઓલવાઈ જતાં-જે પ્રમાણે –પોતાના તેજ સહિત –તે દીવાનો લોપ (નાશ) થાય છે-
પરંતુ તેને પાછો સળગાવતાં-તે પોતાના સહિત પ્રકાશવા માંડે છે.