Showing posts with label તત્વોપદેશ. Show all posts
Showing posts with label તત્વોપદેશ. Show all posts

Nov 2, 2011

PAGE-8-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
          END
હે,ધીરજવાળા,શિષ્ય,(તું મારા શરણે આવ્યો) માટે મેં (આચાર્યે) વિધિ પ્રમાણે,
બ્રહ્મ (પરમાત્મા) અને જીવાત્મા (આત્મા) નું વિજ્ઞાન તને ઉપદેશ્યું છે.અને
તેં પણ સારી રીતે તેમાં પ્રયત્ન કર્યો છે,જેથી “દ્વૈત-ભાવ-રૂપ” તારો “સંશય” છેદાયો છે. તેથી,
તું બંધન-રહિત,રાગ-દ્વેષ-વગેરે દ્વંદો થી રહિત તથા નિસ્પૃહ થઇ સુખે થી વિચર.(૭૮-૭૯)
ખરી રીતે તું પ્રપંચ-રહિત છે,અને સ્વ-ભાવ થી જ નિત્ય-મુક્ત છે.જેથી તને બંધન કે મોક્ષ છે જ નહિ.
કારણ એ બંને તારામાં કેવળ કલ્પિત  જ છે,
તેમજ,કોઈ નો લય (નાશ) નથી કે કોઈ ની ઉત્પત્તિ નથી.
કોઈ બંધાયેલો નથી,કોઈ સાધક નથી,કોઈ મુમુક્ષુ નથી,કે કોઈ મુક્ત પણ નથી,
આ જ પરમાર્થ (પરમ-અર્થ)-સાચી વાત છે.  (૮૦-૮૧)
વેદો ના સિદ્ધાંત નો સાર આ જ છે.
માટે એ જ પ્રમાણે બુદ્ધિ થી બરાબર વિચાર કરી,નિદિધ્યાસન કર,અને પછી,
“દ્વૈત-ભાવ” જેમાં છેદાઈ જાય છે,એવા “પોતાના” આનંદ-રૂપ,અવિનાશી પરબ્રહ્મ નો સાક્ષાત્કાર કરી,
તું પોતે,જીવતાં જ સારી રીતે “મુક્ત” થા. અને વિશ્રાંતિ પામી ને શાંતિ નો આશ્રય કર. (૮૨-૮૩)
તારે આ રીતે,આ વેદાંત ના “અદ્વૈત” ના જ્ઞાન નો સદા વિચાર કર્યા કરવો,
સદ-ગુરૂ ને સદા વંદન કરી ભાવાદ્વૈત (ભાવથી ગુરૂ સાથે એક-પણું) કરવું, પણ,
ક્રિયાદ્વૈત (ક્રિયા થી સમાન-પણું) કરવું નહિ.
સદગુરૂ ને પૂજ્ય ગણી તેમના સેવક તરીકે જ વર્તવું.(અભિમાન લાવવું નહિ). (૮૫-૮૭)
“તત્વોપદેશ” સમાપ્ત.

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

          END

PAGE-7-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
ઉપરના દ્રષ્ટાંતમાં જેમ ચોર લોકો એ તે મનુષ્ય ને હેરાન કર્યો,તેમ,
--આ સંસારમાં રાગ-દ્વેષ,દેહાભિમાન –વગેરે જે દુઃખદાયી શત્રુ-વર્ગ છે તેમને ચોર જેવા સમજવા.
કે જે તારા “આત્માનંદ-રૂપ” ધન ને ચોરી લેનારા છે,
--તે ચોરો, “અદ્વૈત-આનંદ-રૂપ” તારા પોતાના મૂળ સ્થાને થી ભ્રષ્ટ કરી (દૂર કરી),
સ્થૂળ-સૂક્ષ્મ-વગેરે “શરીરો-રૂપી” સંસાર ની વનભૂમિઓમાં અત્યંત દૂર લઇ ગયા.
--તું “બ્રહ્માનંદ” તરફ પ્રમાદી બની પોતાના “અજ્ઞાન-રૂપ” નિંદ્રા ને વશ થયો,
ત્યારે તે ચોરો (રાગ-વગેરે) એ, ભોગ,તૃષ્ણા –વગેરે બંધનો થી તને મજબૂત બાંધ્યો,
--તે સંસાર રૂપી વનમાં સર્વ દુઃખો ના મૂળ કારણ –ત્રણ શરીરો તથા કર્મો ની આંધળી વાસનાઓથી,
બનેલી જાતજાતની યોનિઓમાં –તે ચોરોએ તને પેસાડ્યો છે.
--એમ,”આત્માનંદ” તરફ ની તારી દૃષ્ટિ ને,ચૂકવી ને તને સંસારી બનાવ્યો છે.
--જેથી અનાદિકાળ થી માંડી તું સદાય દુઃખ અનુભવે છે.
--વળી,જન્મ-મૃત્યુ,ઘડપણ વગેરે દોષવાળી નરક જેવી પરંપરાને ભોગવતો,તું ખેદ-શોક ને પામે છે.
--આમ હોવા છતાં,તું તું એ દુઃખ-દાયી,અવિદ્યા-રૂપ (અજ્ઞાન-રૂપ) બંધન ને દૂર કરવા અને “સ્વ-રૂપાનંદ” ને
પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય તું મેળવી શક્યો જ નહોતો. (૬૪-૭૦)
પરંતુ જેમ પેલો ગાંધાર-દેશનો મનુષ્ય લાંબા કાળ સુધી એ દુઃખ ની સ્થિતિમાં જંગલ માં પડી રહ્યો હતો,
તે વખતે દૈવ-યોગે,કોઈ દયાળુ મુસાફરો ત્યાં આવી પહોંચ્યા અને તેઓએ તેના આંખ અને હાથ પગ ના બંધનો છોડીને તેને તેના દેશ નો (ગામનો) માર્ગ બતાવ્યો,
જેના પર ચાલતો ચાલતો,તે મનુષ્ય,પોતાના ગાંધાર દેશમાં પહોંચ્યો,
જ્યાં પોતાના સગાં-સંબંધીઓ સાથે પૂર્વ ની પેઠે સુખી થઇ ને રહ્યો.  (૭૧-૭૫)
એ જ પ્રમાણે, તું પણ અનેક દુઃખ-દાયી જન્મો માં ભટકતો રહ્યો હતો,પરંતુ છેવટે દૈવ-યોગે,તને શુભ-માર્ગ માં શ્રદ્ધા થઇ,સારાં કર્મો અને સારા આચાર-વિચાર પાળવા માંડ્યા,
--જેથી પુણ્ય નો ઉદય થતા ઈશ્વર-કૃપાથી તને બ્રહ્મ-વેતા,ઉત્તમ,સદગુરૂ મળી આવ્યા,તેં વિધિમુજબ સંન્યાસ લીધો,વિવેક-વગેરે સાધનો થી તું યુક્ત બન્યો,અને ઉત્તમ બુદ્ધિશાળી હોવાથી,બ્રહ્મોપદેશ પ્રાપ્ત કર્યો.
--વૈરાગ્ય-વગેરે ના અભ્યાસ થી આજે તે બ્રહ્મજ્ઞાન માં તું અત્યંત પંડિત બન્યો છે,વળી બુદ્ધિમાન હોઈ,

યુક્તિથી બીજી વસ્તુ નો વિચાર ના કરતાં,નિદિધ્યાસન થી યુક્ત બની,પરમપદ ને પામ્યો જ છે.(૭૪-૭૭)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE

PAGE-6-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
જે પરમાત્મા પ્રથમ થી એક જ હતા,પણ,
તેમણે પાછળ થી આ જગત સર્જી ને તેમાં “જીવ-રૂપે” (આત્મા-રૂપે) પ્રવેશ કર્યો,
માટે તે પરમાત્મા (આત્મા-જીવ-રૂપે) તું જ છે.
તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે,છતાં પોતાના એ “આત્મા” રૂપ ને ભૂલી જઈ,
અત્યંત “જીવ-પણા” (હું-પણા-શરીર-પણા) ને પામ્યો હતો.
પરંતુ હવે જ્ઞાન થયા પછી,એ જ તું –અદ્વૈત,આનંદ-રૂપ,માત્ર ચૈતન્ય-સ્વરૂપ,
શુદ્ધ,સામ્રાજ્ય ને પામેલો “પરમાત્મા”  છે.
અજ્ઞાન-દશા માં તારામાં જીવ-પણું (હું-પણું) ભાસતું હતું,કર્તા-પણું વગેરે જે ભાસતાં હતાં,
તેનો હવે જ્ઞાન-દશામાં વાસ્તવિક રીતે વિચારતાં સમજાશે કે તે સઘળું મિથ્યા છે.(૫૩-૫૬)
આ સંબંધે વેદમાં કહેલું અપૂર્વ દૃષ્ટાંત તું સાંભળ.
ગાંધાર દેશમાં એક ધનવાન પુરુષ સદાકાળ પોતાના શરીર ને મહા કિંમતી રત્નો થી શણગારી ને રહેતો.
કોઈ એક વેળા તે પોતાના ઘરના આંગણા માં ગફલત થી સૂતો હતો,ત્યારે તેના રત્નો અને દાગીનાઓથી
લલચાઈ ને ચોર લોકો ત્યાં આવ્યા. (૫૭-૫૮)
તે ચોરો તેને ત્યાંથી પાસેના ગીચ વન માં લઇ ગયા અને તેના દાગીના પડાવી લઇ તેની આંખે પાટા બાંધી, હાથ-પગ દોરીથી બાંધી, તેને એ જંગલ ની ઝાડીઓ માં જ ફેંકી દઈ,ત્યાંથી રવાના થઇ ગયા.
તે જંગલ ની ઝાડીઓમાં કાંટા,વીંછીઓ.સર્પો,વાઘ વગેરે છવાયેલી હતી.
તેના શરીર ને પ્રતિકૂળ આવા બધાથી તે ધનવાન પુરુષ ભયાતુર થયો. (૮૯-૬૧)
તે શરીર ને સહેજ પણ હલાવતો ત્યારે તેના અંગો કાંટા થી વીંધાઈ જતા હતાં,તેથી તે કોઈ પણ
શારીરિક ચેષ્ટા કરવામાં પણ અસમર્થ થઇ પડ્યો,અને ભૂખ,તરસ,તાપ,વાયુ,અગ્નિ અને અત્યંત તપાવનાર,
તાપોથી તે તપી રહ્યો. (૬૨)
આ રીતે બંધનમાંથી છુટવા અને પોતાના ઘેર પહોંચવાની ઇચ્છાવાળો તે મનુષ્ય અત્યંત દુઃખ ને પામીને

તે કેવળ બૂમો પાડતો ત્યાં એ જ સ્થિતિ માં થોડો સમય રહ્યો. (૬૩)

તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE

PAGE-5-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
આ લોક માં શ્રીગુરુ (સદગુરૂ) ની કૃપા વિના “પર-બ્રહ્મ” નો અપરોક્ષ અનુભવ થતો નથી.
“વેદ નાં વાક્યો થી અંતકરણ શુદ્ધ થઇ જશે,અને પોતાની મેળે જ જ્ઞાન પ્રગટશે” એવું માની,
સદગુરૂ ની શી જરૂર છે ? તેવું માનવું યોગ્ય નથી.
કારણકે સદગુરૂ ને શરણે જનારો પુરુષ જ (તેનું અભિમાન છૂટી જવાથી) પરબ્રહ્મ ને જાણે છે,
એવું વેદે પોતે જ કહ્યું છે.(૪૪-૪૬)
આ સંસાર માં સદગુરૂ જ જ્ઞાન આપનારા છે,તેમના ચરણે બેસવાથી અહમ નો વિનાશ થાય છે,અને
તેમની પાસે થી બ્રહ્મ ને અને જીવાત્મા ની એકતા જાણી, દ્રશ્ય જગત ને મિથ્યા સમજી,
અદ્વૈત બ્રહ્મ માં સ્થિતિ કરવી. કે જે “બ્રહ્મ” “આત્મા-રૂપે” પણ દરેક માં સદા રહેલ છે.
(અપરોક્ષ-પણે તે અનુભવાય છે) અને તે “બ્રહ્મ” દ્વૈત-ભાવથી રહિત,ચૈતન્યમય છે. (૪૭-૪૮)
આ લોકમાં વેદાંતો,એ અદ્વૈત ચૈતન્ય નું જ પ્રતિપાદન કરે છે, દ્વૈત –જડ (મિથ્યા)- નું નહિ.કેમકે,
અદ્વૈત-ચૈતન્ય.(વસ્તુ) સુખ-રૂપ છે અને દ્વૈત,(જડ-મિથ્યા) વસ્તુ દુઃખ-રૂપ છે.   (૪૯)
આમ, વેદાંતોએ તે બંને-ચૈતન્ય (અદ્વૈત) તથા જડ (દ્વૈત) નો વાસ્તવિક દ્રષ્ટિએ,યુક્તિથી અભ્યાસ કરી,
નિર્ણય કર્યો છે. માટે અદ્વૈત જ સદા સત્ય છે અને દ્વૈત સદા મિથ્યા છે (એવું તું જાણ)  (૫૦)
શુદ્ધ પરમાત્મા માં આ અશુદ્ધ,માયામય,દૃશ્ય સંસાર ના જ હોઈ શકે,માટે જેમ છીપ માં ભ્રાંતિ થી દેખાતું રૂપું,
ખોટું જ છે,તેમ પરમાત્મા માં અજ્ઞાનથી જણાતું આ “જગત મિથ્યા” જ છે.(કારણ કે મૂળથી જ નથી,)
તેથી તેના (જગતના) પોતાનામાંથી તેનું “સત્-પણું” (હોવા-પણું) હોય જ નહિ,
(અથવા, અસત્ નું સત્-પણું હોય જ નહિ,)
વળી “દ્વૈત-રૂપ” આ જગત,જ્ઞાન-દ્વારા બાધિત (મિથ્યા સાબિત) થઇ શકે છે.તેથી પણ તે “સત્” નથી,
અને (વળી પાછું) પ્રત્યક્ષ દેખાય છે એટલે “અસત્” નથી,

પણ સત્ હોય તે અસત્ ના હોઈ શકે અને અસત્ હોય તે સત્ ના હોઈ શકે-એટલે- આમ પરસ્પર વિરુદ્ધ હોવા થી તે,જગત “અનિર્વાચ્ય” (કોઈ રીતે કહી ના શકાય તેવું) જ છે. (૫૧-૫૩)


TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE

PAGE-4-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
            NEXT PAGE
માટે “તત્વમસિ” વગેરે વેદવાક્ય ના પ્રમાણ થી,”બ્રહ્મ” નું આત્મ-રૂપી જ્ઞાન,
જે યુક્તિ થી થાય છે-તે યુક્તિ અહીં કહેવામાં આવે છે. (૨૧)
“તત્વમસિ” એ વાક્યમાં પ્રથમ “ત્વમ” પદ ના અર્થ નું જો યથાર્થ જ્ઞાન (શોધન) કર્યું હોય તો,જ
તે આખા વાક્ય નો વિચાર સંભવી શકે છે,બીજ કોઈ પ્રકારે નહિ.
માટે પ્રથમ “ત્વમ” પદ નું શોધન (યથાર્થ જ્ઞાન) કર્યું  છે.   (૨૨)
“ત્વમ” પદ નો વાચ્યાર્થ (મુખ્ય અર્થ) એ છે કે-
જે દેહ-ઇન્દ્રિય વગેરે ના ધર્મો ને પોતાનામાં ખોટા (ખોટી રીતે) માની લે છે, અને
“કર્તા-પણું” (હું કરું છું તેવું) વગેરે નું મિથ્યાભિમાન કરે છે તે જીવાત્મા.  (૨૩)
“ત્વમ” પદ નો લક્ષ્યાર્થ-એ છે કે-
જે (આત્મા) પોતે જ્ઞાન-સ્વ-રૂપ હોવાથી,દેહ-ઇન્દ્રિય વગેરે નો કેવળ સાક્ષી જ છે.અને તેથી તે, દેહ-ઇન્દ્રિય વગેરે થી જુદો અને જુદા લક્ષણ વાળો (વિલક્ષણ) છે.અને તે “શુદ્ધાત્મા”  “ત્વમ” છે. (૨૪)
માત્ર વેદાંત-વાક્યોથી જાણી શકાતું,જગતથી પર,અવિનાશી,અવિકારી,અદ્વૈત,અતિ શુદ્ધ અને
જે કેવળ સ્વાનુભવ થી જ જાણી શકાય છે,તે પરબ્રહ્મ “તત્” પદ નો “લક્ષ્યાર્થ” છે.   (૨૫)
“તત્” અને “ત્વમ” એ બંને પદો નો “સમાનાધિકરણ્ય” નામનો સંબંધ છે. અને તેથી જ (આવી રીતે)
વેદાંતો (ઉપનિષદો)  “બ્રહ્મ” ની “એકતા”  સિદ્ધ કરે છે.   (૨૬)
પછી ના શ્લોક ૨૭ થી ૪૨ માં “તત્” અને “ત્વમ”  શબ્દ એક જ છે એવી-
“એકતા” નું વ્યાકરણ ની દ્રષ્ટિએ વિશ્લેષણ કરી ને બતાવ્યું છે.(૨૭-૪૨)
“અહં બ્રહ્મ” (હું બ્રહ્મ છું) એવું જ્ઞાન જેને થાય છે,તે શોક-રૂપ સંસારથી છૂટે છે.
ઉપનિષદો ના મહાવાક્યો થી જ “આત્મા” પ્રકાશમાન થાય છે. અને

આગળ-પાછળ  ના અનુસંધાન થી “તત્” અને “ત્વમ” પદ ની એકતા પણ સમજાય છે.(૪૩)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

            NEXT PAGE

PAGE-3-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
                NEXT PAGE

તું (ત્વમ) પ્રમાણો (ઉદાહરણો) થી જણાતો (જાણી શકાતો) નથી.
તું (ત્વમ) એ “જ્ઞાન-સ્વ-રૂપ” હોઈ “પોતે” જ “પોતાનું” “પ્રમાણ’ છે.
આત્મા ને કોઈ મનુષ્ય - પ્રત્યક્ષ પ્રમાણ થી જાણવા ઈચ્છે,તો તે અગ્નિ ને લાકડાં વડે બાળવા ઈચ્છે છે.
એટલે કે તે અશક્ય ને શક્ય બનાવવા તૈયાર થાય છે.આમ આત્મા પ્રમાણ થી જાણી શકાતો નથી. (૧૪)

આત્મા, એ વિશ્વ ને અનુભવે છે,તેથી એ પોતે બીજા વડે અનુભવાતો નથી, જેમ,
આત્મા વિશ્વ ને પ્રકાશિત કરે છે,તેથી એ પોતે,બીજા વડે પ્રકાશિત કરી શકાતો નથી. (૧૫)

એમ જે “આવું” (બ્રહ્મ),”તેવું” (બ્રહ્મ) કે “આ” (બ્રહ્મ) નથી, તેમ છતાં “પરોક્ષ” પણ નથી.
પરંતુ,સદા “સત્” (સત્ય) સ્વ-રૂપે રહેનાર છે તે જ “બ્રહ્મ”(આત્મા-પરમાત્મા) છે.અને
તું (ત્વમ) સર્વ નો “દ્રષ્ટા” માત્ર જ છે તેથી,”દૃશ્ય” (દેહ-વગેરે) નથી. (૧૬)

જે વસ્તુઓ “આ”-રૂપે દેખાય (જણાય) છે,વેદાંત તે સર્વ નો “તે બ્રહ્મ નથી” એમ કહી નિષેધ કરે છે.
એ “બ્રહ્મ-તત્વ” તો કોઈ સ્વરૂપે (મુખથી) કહી શકાય તેવું નથી,માટે તે (અનિદમ) “આ”-રૂપ નથી,
અને સ્વ-પ્રકાશ હોવાથી વેદ્ય (પ્રકાશ ફેંકીને આંખથી જોઈ શકાય-જાણી શકાય તેવુ) નથી.  (૧૭)

સત્ય-રૂપ,જ્ઞાન-રૂપ,અને અનંત—એ પ્રમાણે બ્રહ્મ નું લક્ષણ કહેવાય છે,અને,
સત્ય-રૂપ-પણાથી,જ્ઞાન-રૂપ-પણાથી,અને અનંતપણાથી તું (ત્વમ) જ- “બ્રહ્મ” છે.  (૧૮)

“એક” જ પરમાત્મા (બ્રહ્મ) ને જયારે (આત્મા-રૂપે) દેહ –વગેરે ની ઉપાધિ હોય છે ત્યારે “જીવ” કહેવાય છે.અને જયારે માયા-રૂપ (પ્રકૃતિ) ની ઉપાધિ હોય ત્યારે,પરમાત્મા (ઈશ્વર) કહેવાય છે, પણ
જ્ઞાનથી એ બંને ઉપાધિઓ દૂર થતાં સ્વયં “પરમાત્મા” જ પ્રકાશે છે.   (૧૯)

“જે બીજાં બધાં પોતાની સાબિતી-રૂપ પ્રત્યક્ષ (જોઈ શકાય તેવાં) પ્રમાણો જરૂરી માને છે,પણ
જે,પોતે એ પોતાની સાબિતી માટે પ્રત્યક્ષ પ્રમાણો ને જરૂરી ગણતું નથી,”
એવા એ વેદવાક્ય ને “બ્રહ્મ એ જ આત્મા છે” એમ જાણવામાં પ્રમાણ માન્યું છે.  (૨૦)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

                NEXT PAGE

PAGE-2-તત્વોપદેશ

PAGE-2
તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
                NEXT PAGE

વળી આનાથી વિરુદ્ધ –જો અનેક વિષયો અને અનેક ઇન્દ્રિયો રૂપ આત્મા જો (જુદા જુદા) હોય ,
તો અનેક સ્વામી વાળા, આ દેહ ની વ્યવસ્થા પણ જળવાઈ રહે નહિ,
જેમ,એક દેશમાં જો એક જ રાજા  હોય તો જ ત્યાં રાજ્ય-વ્યવસ્થા બરોબર જળવાઈ રહે છે,
તેમ,દેહમાં એક જ, “આત્મા-રૂપ સ્વામી” હોય તો જ બરાબર વ્યવસ્થા જળવાઈ રહે.   (૮)

એ જ પ્રમાણે “મન” અથવા “પ્રાણ” પણ તું (ત્વમ=આત્મા) નથી. કેમ કે એ બંને જડ છે.
“મારું મન બીજે ઠેકાણે ગયું છે” એમ જે આપણે કહીએ છીએ, તેથી,
મન અને આત્મા જુદાં છે એવો અનુભવ થાય છે.  (૯)

તેમ જ “મારો પ્રાણ ભૂખ અને તરસ થી પીડાય છે” એમ જે આપણે કહીએ છીએ,તેથી,
પ્રાણ અને આત્મા પણ જુદાજુદા છે તેવો અનુભવ થાય છે.
વળી આત્મા તો મન અને પ્રાણ નો દ્રષ્ટા છે,તેથી,
જેમ ઘડાને જોનાર ઘડાથી જુદો હોય છે તેમ,આત્મા,મન અને પ્રાણ થી જુદો જ છે.  (૧૦)

એ જ રીતે “બુદ્ધિ” પણ તું (ત્વમ=આત્મા) નથી.કેમકે-
બુદ્ધિ સુષુપ્તિ અવસ્થામાં લય પામે છે (કારણકે તે વેળા તે આત્મા ના સંબંધ વિનાની હોય છે) અને
જાગ્રત અવસ્થામાં ચૈતન્ય-આત્મા ની છાયા (પ્રતિબિંબ) સાથે સંબંધ પામી ને જ,
આખા શરીર માં વ્યાપી ને રહે છે, માટે જ આત્મા એ બુદ્ધિ નથી.  (૧૧)

જાગ્રત અવસ્થામાં એ “બુદ્ધિ” ચૈતન્ય-આત્મા ના સંબંધવાળી હોઈ ને જ,
અનેક રૂપ-વાળી તથા અતિ-ચંચળ બને છે,અને સુષુપ્તિમાં આત્માનો સંબંધ છૂટવાથી લય પામે છે,
પણ તું (ત્વમ) તો એ બુદ્ધિ નો દ્રષ્ટા,પ્રકાશક અને સદા એક જ રૂપવાળો હોઈ તેનાથી જુદો છે. (૧૨)

સુષુપ્તિમાં દેહ-વગેરે નો અભાવ હોય છે,તો પણ એ દેહના સાક્ષી તરીકે તું (આત્મા) તો હોય છે,જ.
કારણ કે ઉંઘી ને ઉઠ્યા પછી, જાગ્રત સમયે “આજે  હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો” એમ એવો,
પોતાના આત્મા નો અનુભવ થાય છે, તેથી પણ સાબિત થાય છે કે-
પોતાના સિવાય આત્મા નો બીજો કોઈ પ્રકાશક નથી.  (૧૩)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

                NEXT PAGE