Showing posts with label પંચમહાભૂત. Show all posts
Showing posts with label પંચમહાભૂત. Show all posts

Sep 23, 2011

પંચમહાભૂત




આપણું શરીર પંચ મહાભૂત નું બનેલું છે .

પહેલું તત્વ --આકાશ-- છે.  

     આકાશ કે જેને મહાકાશ અથવા શૂન્યાવકાશ પણ કહી શકાય ....

      -- આધુનિક વિજ્ઞાને પુરવાર કર્યું છે કે શૂન્યાવકાશ માં
       ધ્વનિ ના --તરંગો--ફરી શકે નહી .એટલે
          આ આકાશ ને સાંભળી શકાય નહી --કાનથી ----
      --આકાશ ને જોઈ પણ શકાતું નથી ---------આંખથી ---    
         તો પછી તેનું વર્ણન કેમ થી શકે?
     
       --- એટલે જ કહેવાય છે કે --શુદ્ધ પરમ તત્વ --આકાશ --
        પાંગળું છે --મૂઢ છે ..

      ઉદાહરણ તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો ---

      આપણી પાસે કોમ્પ્યુટર હોય પણ જો તેમાં બેટરી ના હોય તો
      કોમ્પ્યુટર પાસે ઘણું બધું હોવા છતાં તે પાંગળું છે.....

      જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
     સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

      આકાશ --ના "દેવ" ---વિષ્ણુ છે. (પુરૂષ -બ્રહ્મ)
     અને માથે હાથ મુકીને -આંખો બંધ કરીને આરામ કરી રહ્યા છે .......

       વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...


બીજું તત્વ --વાયુ --છે 

      આકાશ -વાયુથી-પ્રાણ થી -શક્તિ થી ભરેલો છે
     
      આ વાયુ પણ જોઈ શકતો નથી ........આંખથી
      સાંભળી પણ શકતો નથી .................કાન થી

      એટલે તેનું પણ વર્ણન કેમ થી શકે ?

      પણ તેમાં પ્રાણ શક્તિ છે અને તેમાં તરંગો બની શકે ...
      તરંગો જો થાય તો કાનથી તેને સાંભળી શકાય .

       
      ઉદાહરણ તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો ---

      આપણી પાસે જે કોમ્પ્યુટર છે તેની  બેટરી -શક્તિ તે વાયુ છે.      

      જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
     સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

      વાયુ --ની "દેવી "---લક્ષ્મીછે. (સ્ત્રી-માયા -પ્રકૃતિ  -માતાજી)
      અને માથે હાથ મુકીને -આંખો બંધ કરીને આરામ કરી રહેલા
      વિષ્ણુ ને પગે હાથ મૂકી જગાડી રહ્યા છે ....

       વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...

ત્રીજું તત્વ -તેજ -છે 

      આ તેજ એટલે કે પ્રકાશ તત્વ પણ સર્વત્ર છે.

      પ્રકાશ ને જોઈ શકાય છે ....આંખ થી

      જ્યાં અંધારું નથી તે પ્રકાશ છે .

      સમય ---ને શરુ કરનાર આ તેજ તત્વ છે.


      ઉદાહરણ તરીકે -માત્ર સમજવા તરીકે જોઈએ તો ---

      આપણી પાસે જે કોમ્પ્યુટર છે તેમાં એક ક્લોક હોય છે
      અને તેના વગર કમ્પ્યુટર ને સમજ નથી હોતી કે તે ક્યાં છે
      અને ક્યોં થી શરૂઆત કરવાની છે  !!!!

      જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
      સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

        તેજ ના દેવ -સુરજ- છે . (પુરૂષ-બ્રહ્મા-)
       અને માથે હાથ મુકીને -આંખો બંધ કરીને આરામ કરી રહેલા
        વિષ્ણુ ને માતાજી બંને ના મિલન થી વિષ્ણુ જાગે છે ---
      તેમની આંખો ખુલે છે --"હું' નું ભાન થાય છે -પ્રકાશ થાય છે --
      એટલે -સ્વ -નું ભાન થાય છે.

      એક તરંગ ની "અ ઉ મ -ઓમ " ની ઉત્પત્તિ -----
     
      એક નવા સર્જન ની શરૂઆત ..........બ્રહ્મા ની --સુર્યની

       વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...

ચોથું તત્વ --જલ -- છે 

      બ્રહ્માંડ માં- જલ -નું સર્જન પણ સૂર્ય અને શક્તિ ના સંયોગ થી થયેલું છે.
      બીજા શબ્દો માં કહીએ તો જલ માં  સૂર્ય (બ્રહ્મા )અને શક્તિ (પરસેવા રૂપ??) નો એક નાનો અંશ છે.
       એક નવું સર્જન છે .

          જો તર્ક ને આગળ દોડાવવો હોય તો ગ્રંથો મુજબ -
       સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

        જલ ના દેવ-શિવ -છે  (પુરૂષ અંશ -સ્ત્રી અંશ)

            .શિવ અને શક્તિ અવિભાજ્ય બનાવ્યા .
         શક્તિ વિભાજીત થઇ અને સંહારક શક્તિ નું તેમને પ્રદાન થયું .
       

            જલ- શક્તિ- સંહારક છે તેનો અનુભવ બધાને છે .

            વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...

પાંચમું તત્વ -પૃથ્વી-છે 
   
        આ પૃથ્વી બ્રહ્માંડ નું સર્જન નો એક ભાગ છે
       તેથી
       આ પૃથ્વી પણ -સમય- નો એક ભાગ છે .

          પૃથ્વી પણ જલશક્તિ ના વિઘ્ન  ને દૂર કરી અને વિઘ્ન માં થી બહાર નીકળી
           તેની સાથે મળી અને એક નવી સૃષ્ટિ નું સર્જન કરે છે.

      સરળતાથી સમજવા માટે ઋષિ મુની ઓ એ ઉદાહરણ બનાવ્યું  અને કહ્યું કે --

        પૃથ્વી ના દેવ -ગણેશ - છે . (પુરૂષ અંશ -બ્રહ્મા અંશ )
        શિવ અને શક્તિ નાં પુત્ર છે .
     

       વધુ આગળ વિચારનારા --આનાથી --ખૂબ આગળ વિચારી શકશે ...