Showing posts with label પતંજલિના યોગસૂત્રો. Show all posts
Showing posts with label પતંજલિના યોગસૂત્રો. Show all posts
Dec 14, 2017
Dec 12, 2017
પતંજલિના યોગસૂત્રો-24-Yogsutra of Patanjali-Gujarati
ચિત્તના કોઈ એક ખૂણે ભરાઈ રહેલા અને વાઘની જેમ તરાપ મારવાને તૈયાર --એ પુરાણા પૂર્વના અસંખ્ય સંસ્કારોને દબાવવાના છે.તેમના પર પ્રભુત્વ મેળવવાનું છે,કે જેથી,આપણે જે ઇચ્છીએ એ "એક" જ વિચાર ઉઠે,અને બીજા દૂર રહે.પણ આમ થવાને બદલે તે બધા (સંસ્કારો) એકસામટા ઉપર આવવાને મથતા હોય છે.મનની એકાગ્રતામાં વિઘ્ન નાખનારી સંસ્કારોની આ જુદીજુદી "શક્તિ"ઓ છે.
Dec 11, 2017
Dec 10, 2017
પતંજલિના યોગસૂત્રો-22-Yogsutra of Patanjali-Gujarati
सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम् (૪૫)
સૂક્ષ્મ વિષયોમાં છેલ્લો એક કે જે અલિંગ (પ્રધાન-કે-પુરુષ-કે-આત્મા) છે. (૪૫)
સ્થૂળ વિષયો એટલે ફક્ત પંચ-ભૂતો અને તેમાંથી બનેલું સર્વ જગત.જયારે....
સૂક્ષ્મ વિષયોનો પ્રારંભ થાય છે.....તન્માત્રાઓ થી (સૂક્ષ્મ પરમાણુઓથી)....
ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,અહંકાર,ચિત્ત અને પ્રકૃતિ (સત્વ-રજસ-તમસ-ગુણોની સામ્યાવસ્થા)
આ બધાંનો સૂક્ષ્મ વિષયો ના વર્ગ માં સમાવેશ કરવામાં આવે છે,તેમાંથી બાદ છે....એક માત્ર પુરુષ (આત્મા)
Dec 7, 2017
પતંજલિના યોગસૂત્રો-19-Yogsutra of Patanjali-Gujarati
विशोका वा ज्योतिष्मती (૩૬)
અથવા--- શોક-માત્ર થી પર એવી "જ્યોતિ"નું ધ્યાન કરવાથી,(સમાધિ પ્રાપ્ત થાય છે.) (૩૬)
આ સમાધિ માટેની એક બીજા પ્રકારની રીત છે.યોગીઓ કહે છે કે-હૃદયની કમળ-રૂપે કલ્પના કરો,
અને તે કમળની અંદર એક ઝળહળતી "જ્યોત" છે તેવી કલ્પના કરી તે જ્યોતનું ધ્યાન કરો.
કલ્પના કરો કે-હૃદય-કમળની વચમાં થી સુષુમ્ણા જાય છે,અને તે કમળની પાંખડીઓ નીચેની
બાજુ ઢળેલી (શ્વાસ ને અંદર લેતી વખતે) છે.અને શ્વાસને બહાર કાઢતી વખતે,તે કમળની પાંખડી ઓ
ઉંચી (ઉર્ધ્વ-મુખી) થઇ છે.ને તે કમળ ની મધ્યમાં "જ્યોતિ" રહેલી છે તેનું ધ્યાન કરો.
કોઈ યોગીઓ બે ભ્રમર ની મધ્યમાં (કપાળમાં) જ્યોતિની કલ્પના કરવાનું કહે છે.
Dec 6, 2017
પતંજલિના યોગસૂત્રો-18-Yogsutra of Patanjali-Gujarati
જો આપણે ધારીએ કે-"મન" એ "સોય" જેવું છે.અને મગજ કે જે નરમ માખણ જેવો પદાર્થ છે,તેના પર એ મન-રૂપી સોય,જયારે જયારે નવો વિચાર કરે છે ત્યારે તે દરેકેદરેક તે મગજના પર એક કેડી કે ચીલો બનાવે છે.અને તે કેડી કે ચીલામાં મગજ-દ્રવ્યનો ભૂરો પદાર્થ (ગ્રે -એલીમેન્ટ) આવીને તેની અંદર (ચીલામાં) ભરાઈ જઈને તે ચીલાને બંધ થઇ જતો અટકાવે છે.(એટલે કે ભૂરા પદાર્થ થી ચીલા નું અસ્તિત્વ બને છે અને તે અસ્તિત્વ ત્યાં રહી જાય છે)
Dec 2, 2017
પતંજલિના યોગસૂત્રો-14-Yogsutra of Patanjali-Gujarati
દુનિયાના જુદા જુદા દેશોમાં વિચાર ભલે એક હોય,પણ દરેક દેશની ભાષાને લીધે તે વિચારને જુદા જુદા શબ્દ અને ઉચ્ચાર લાગુ પડવાના.
દરેક વિચારને વ્યક્ત કરવા એક શબ્દ હોવો જ જોઈએ.પણ માનો કે- "અ" શબ્દ છે તેનો ઉચ્ચાર કે ધ્વનિ એક જ હોતો નથી. તે "અ" એ જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે બોલાય છે.
Nov 30, 2017
Nov 29, 2017
પતંજલિના યોગસૂત્રો-11-Yogsutra of Patanjali-Gujarati
જયારે આ અવસ્થાએ -એટલે કે-અસંપ્રજ્ઞાત-કે ચેતનાતીત-અવસ્થાએ પહોંચાય છે-ત્યારે સમાધિ "નિર્બીજ" થાય છે.નિર્બીજ સમાધિ શબ્દથી -એ કહેવા માગે છે કે-આગળ બતાવેલી-જે સમાધિમાં ભાન રહે,ચિત્તમાંના તરંગો શાંત થઇને તે દાબેલા રહે છે.તે સમાધિમાં તરંગો "સંસ્કાર" ના સ્વરૂપમાં રહે છે.કે જે યોગ્ય સમય આવતાં તરંગોનુ સ્વરૂપ લે છે.એટલે કે-તે તરંગ-સંસ્કાર-રૂપી "બીજ" તો રહે જ છે,(તેનો અંકુર ફૂટે પણ ખરો)
Nov 28, 2017
પતંજલિના યોગસૂત્રો-10-Yogsutra of Patanjali-Gujarati
ઉપરની "સવિતર્ક" સમાધિમાં મન તત્વોને જાણે-પ્રશ્ન પૂછે છે-પણ-તેના બદલે સાધક જયારે તે જ ધ્યાનની અંદર-"તત્વો"ને દેશ (સ્થળ) અને કાળ (સમય)થી અલગ કરીને તેમને (તત્વોને) તે (સાધક) "તે તત્વો જેવાં છે-તેવે જ રૂપે" તેમનો "વિચાર" કરવાનો પ્રયત્ન કરે છે-ત્યારે તે-ધ્યાન "નિવિતર્ક" (પ્રશ્ન વિનાની-નિર્વિચાર) સમાધિ કહેવાય છે.
Nov 27, 2017
Nov 26, 2017
Nov 25, 2017
Subscribe to:
Posts (Atom)