Showing posts with label પરમ શાંતિ ક્યાં છે ?. Show all posts
Showing posts with label પરમ શાંતિ ક્યાં છે ?. Show all posts

Feb 1, 2013

પરમ શાંતિ ક્યાં છે ?





ગીતા ૪-૩૯ મુજબ

જિતેન્દ્રિય,
તત્પર થયેલો ,
શ્રધ્ધાવાન (પુરૂષ)
જ્ઞાન ને પ્રાપ્ત થઇ
તત્ક્ષણ(તરત જ )
પરમ શાંતિ ને પ્રાપ્ત કરે છે .

------------------------------------------------------------------
ઉદાહરણ તરીકે જ્ઞાનેશ્વર કહે છે

નાની તલાવડી માં જયારે તરંગો હોય છે ત્યારે
ચંદ્ર કે સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ નથી હોતું ,
જયારે તરંગો
"શાંત "
થાય છે ત્યારે તે સ્પષ્ટ થાય છે .

----------------------------------------------------------------
અશાંતિ એ તરંગો છે
આ તરંગો આવે છે ક્યોંથી?

૧ -ઇન્દ્રીયોની વિષયો ભોગવવાની લોલુપતા થી
૨ -અશ્રધ્ધા થી
૩- અજ્ઞાન થી
૪-કામના થી
૫-મમતા (મોહ ) થી
૬- અહંકાર થી
૭-આશક્તિ થી

જો આ તરંગો બંધ થાય તો શાંતિ પ્રાપ્ત થાય .