Showing posts with label શરીર અને ઇન્દ્રિઓ. Show all posts
Showing posts with label શરીર અને ઇન્દ્રિઓ. Show all posts

Sep 22, 2011

શરીર અને ઇન્દ્રિઓ




શરીર માં
--૫ -કર્મેન્દ્રિયો છે -જેનું કામ કર્મ કરવાનું છે
--૫ -જ્ઞાનેદ્રીઓ છે-જેનું કામ જ્ઞાન મેળવવાનું છે .
આ ઉપરાંત
મન,બુદ્ધિ અને અહંકાર ને પણ ઇન્દ્રિઓ ની સાથે મુકેલી છે.
જે વધુ સુક્ષ્મ છે .

દરેક ઇન્દ્રીઓ ના વિષયો છે.
અને દરેક ઇન્દ્રીઓ વિષયો તરફ ઢળતી હોય છે.

પાંચ કર્મેન્દ્રિઓ નું નિરિક્ષણ પ્રમાણ માં સહેલું છે .
જ્ઞાનેદ્રીઓ નું નિરિક્ષણ થોડુંક અઘરું છે .

જ્ઞાનેન્દ્રિઓ માં ચાર તો એક જ જગ્યાએ નજીક નજીક
માથા માં આવેલી છે. અને
પાંચમી ત્વચા  શરીર માં સર્વત્ર ફેલાયેલી છે .

જ્ઞાનેદ્રીઓ ને થતા જુદા જુદા  અનુભવો નું જ્ઞાન
તે જ્ઞાનેદ્રીઓ બુદ્ધિ ને આપે છે .
બુદ્ધિ આ અનુભવ જ્ઞાન સંગ્રહ કરે છે.અને

આ બુદ્ધિ જયારે આ જ્ઞાન નો અહમ કરે ત્યારે
જ્ઞાન અને બુદ્ધિ સીમિત થઇ જાય છે.

અને આ સીમિત બુદ્ધિ જયારે અહંકાર ના વર્તુળ માં રહી
જે વિચારો કરે તેને મન- વિચારો પણ કહી શકાય ...

મૂળભૂત સત્ય નું જ્ઞાન અંદર રહેલું જ છે ,પણ
આ અનુભવ જ્ઞાન કે જેને અજ્ઞાન કહીએ તો તે ---
અજ્ઞાન થી જ્ઞાન ઢંકાયેલું છે.

જે હરદમ બદલાતું રહે તે સાચું જ્ઞાન ના હોઈ શકે.
અને તેથી જ તેને અજ્ઞાન  કહી શકાય .

અહંકાર નું પડળ હટે તો બુદ્ધિ નવું જ્ઞાન સ્વીકારવા તૈયાર થાય છે.
બુદ્ધિ ના વિચારો મુક્ત બને તો મન મુક્ત બને .

ટૂંક માં
જ્ઞાનેદ્રીઓ તેના વિષયો સાથે સાથે ના તાદ્મ્યતા થી
જે જ્ઞાન નો (કે અજ્ઞાન નો)સંગ્રહ થાય છે.....

અહીં જો ---સત્ય જ્ઞાન--- નો અભાવ હોય તો શંશયો પેદા થાય છે.

આ શંશયો તે

પાપ-પુણ્ય
સત્ય-અસત્ય
સુખ-દુઃખ
શાંતિ-અશાંતિ
જ્ઞાન-અજ્ઞાન
સન્માર્ગ-કુમાર્ગ
અનુકુળ-પ્રતિકુળ
તર્ક -વિતર્ક

આવા હોઈ શકે.