Showing posts with label Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર. Show all posts
Showing posts with label Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર. Show all posts

Jan 1, 2013

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર-૧



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10


જ્ઞાનેશ્વર ના પૂર્વજ પૈઠણ (મહારાષ્ટ્ર) ની નજીક આવેલા આપેગાંવ ગામના કુલકર્ણી હતા.
તેઓ યજુર્વેદ ની માધ્યંદિની શાખાના દેશસ્થ બ્રાહ્મણ હતા.
તેમનું ગોત્ર પંચ પ્રવરવાળું “વત્સસ” હતું.

જ્ઞાનેશ્વર ના પૂર્વજ હરિહર પંત,તેમના પુત્ર રામચંદ્ર પંત,તેમના પુત્ર ગોપાલ પંત,તેમના પુત્ર ત્ર્યંબક પંત.
ત્ર્યંબકપંત ગોરક્ષનાથ ના શિષ્ય હતા તેમની સમાધિ આપેગાંવ માં છે.
ત્ર્યંબકપંત ના પુત્ર ગોવિંદ પંત ,તેમના પુત્ર વિઠ્ઠલ પંત  અને તેમના પુત્ર –તે જ્ઞાનેશ્વર.

વિઠ્ઠલપંત વૈરાગી હતા,પૈઠણ માં વેદ,કાવ્ય,વ્યાકરણ નો અભ્યાસ કરી તીર્થાટન કરવા નીકળેલા.
રસ્તામાં આળંદી નામના ગામના કુલકર્ણી સિધોપંત ની કન્યા રુકિમણી બાઈ સાથે તેમનું લગ્ન થયું.

કેટલોક કાળ વહી ગયા છતાં સંતાનપ્રાપ્તિ નો સંભવ નહિ જણાયાથી વિઠ્ઠલપંતે,રુકિમણી બાઈ ને કહ્યું-કે-
“મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો.” રુકિમણી બાઈ એ પોતાના પિતા (સિધોપંત) મારફત કહેવરાવ્યું-કે-
“સંતતિ વગર સન્યાસ લેવો ઉચિત નથી”

ત્યાર પછી એક વખત વિઠ્ઠલપંતે –સિધોપંત (સસરા) ને “ગંગા માં સ્નાન કરવા જાઉં છું” એમ કહ્યું.
અને “જાઓ” એવો ઉત્તર સાંભળી અનાયાસે આજ્ઞા મળેલી ગણી કાશી તરફ પ્રયાણ કર્યું.

કાશીમાં રામાનંદ સ્વામી એ તેમને મંત્રદીક્ષા આપી સંન્યાસ ગ્રહણ કરાવ્યો.અને  તે ચૈતન્યાનંદ બન્યા.
રામાનંદ સ્વામી તે વખતે કાશીમાં વિખ્યાત હતા,એમ કહેવાય છે-કે-કબીર પણ તેમના જ શિષ્ય હતા.
(એમ કહેવાય છે-કે વિઠ્ઠલ પંતે અસત્ય “મારે સ્ત્રી-પુત્રાદિ નથી” એમ બોલી ને –સંન્યાસ લીધેલો)

વિઠ્ઠલ પંત ના સંન્યાસ ની વાત રુકિમણી ના જાણવામાં આવતાં તેમને અતિશય દુઃખ થયું.
અને ભગવત્સેવા માં જીવન વિતાવવા લાગી.અને આમ બાર વર્ષ વીતી ગયાં.

એક વખત રામાનંદ સ્વામી શિષ્યો સહિત રામેશ્વરની જાત્રાએ નીકળ્યા.
ફરતા ફરતા તે આળંદી માં આવ્યા અને મારુતી ના મંદિર માં નિવાસ કર્યો.
રુક્મિણી બાઈ રોજ ના નિયમ મુજબ મારુતી નાં દર્શને આવ્યાં.દેવદર્શન પછી રામાનંદ સ્વામીને જોઈ તેમને પણ વંદન કર્યું. રામાનંદ સ્વામી એ પણ ભગવતપ્રેરણા અનુસાર “પુત્રવતી ભવ” એવો આશીર્વાદ આપ્યો.

આ આશીર્વચન સાંભળતા જ રુક્મિણી બાઈ ને હસવું આવ્યું.સ્વામીએ હસવાનું કારણ પૂછ્યું.
રુકિમણી બાઈ એ કહ્યું કે-“પતિએ તો કાશી જઈને  સંન્યાસ ગ્રહણ કર્યો છે,તો પછી આપનો આશીર્વાદ શી રીતે સત્ય થશે ? એવો વિચાર આવવાથી મને હસવું આવ્યું છે”
સ્વામીએ સવિસ્તાર હકીકત પૂછતાં તેમને માલુમ પડ્યું કે –આ ચૈતન્યાનંદ(વિઠ્ઠલપંત) ની જ પત્ની છે.

સ્વામી ને અતિ દુઃખ થયું અને આળંદી થી જ તેઓ કાશી પાછા ફર્યા.અને ચૈતન્યાનંદ (વિઠ્ઠલપંત) ને
ગૃહસ્થાશ્રમ માં પાછા ફરવાની આજ્ઞા કરી.
ગુરૂ ની આજ્ઞા અનુસાર વિઠ્ઠલપંતે રુક્મિણી નો ફરીથી અંગીકાર કરી ગૃહસ્થાશ્રમ માં ફરી પગલાં કર્યા.

વિઠ્ઠલપંત આમ ફરી થી ગૃહસ્થાશ્રમી થયા તેથી લોકો તેમની નિંદા કરવા લાગ્યા અને તેમને અડચણ કરવા
લાગ્યા.”સન્યાસી થયા પછી ફરીથી ગૃહસ્થાશ્રમી કેમ થયો?”  તે પ્રશ્ન વારંવાર પૂછાવા લાગ્યો.
કોઈ વિઠ્ઠલ પંત ને વિષયલંપટ કહી તેમનો, તો કોઈ રામાનંદ સ્વામીનો –તો કોઈ રુક્મિણી નો દોષ
કાઢવા લાગ્યા.

લોકો ની નિંદા અને બ્રાહ્મણો તેમજ આપ્તજનો એ તેમનો ત્યાગ કર્યો એટલે વિઠ્ઠલપંત જંગલ માં ઝૂંપડી બનાવી,ભગવત સ્મરણ માં જીવન જીવવા લાગ્યા.ધીમે ધીમે તેમને ભિક્ષા પણ મળતી બંધ થઇ ગઈ.
કોઈ વાર એક વખત નું અન્ન મળતું તો કોઈ વાર ઝાડ ના પાંદડાં કે વાયુભક્ષણ કરી દિવસ કાઢતાં –
બાર વર્ષ પસાર થઇ ગયાં.

વિઠ્ઠલ-રુક્મિણી ના આંગણે બે બે વર્ષના અંતરે-ચાર બાળકો નો જન્મ થયો.
(૧) નિવૃત્તિ નાથ-શકે ૧૧૯૫
(૨) જ્ઞાનેશ્વર--શકે-૧૧૯૭ –શ્રાવણ વદ-૮-મધ્યરાત્ર.( ઈસ્વીસન -૧૨૭૫)
(૩) સોપાનદેવ-શકે ૧૧૯૯
(૪) મુક્તાબાઈ-શકે-૧૨૦૧

કેટલાક લોકો ના મત અનુસાર તેમનો જન્મ અનુક્રમે શકે--૧૧૯૦-૧૧૯૩-૧૧૯૬-૧૧૯૯ –માં થયો હતો.

      (નોંધ-“શકે” ની સાલ માં ૭૮ વર્ષ ઉમેરતાં ઈસ્વીસન (અંગ્રેજી) વર્ષ થાય છે. 
      આ હિસાબે-જ્ઞાનેશ્વર નો જન્મ ઈસ્વીસન ૧૨૭૫ માં થયેલો ગણાય)



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૨


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10


નિવૃત્તિનાથ,જ્ઞાનેશ્વર,સોપાનદેવ અને મુક્તાબાઈ-એ ચારેની પરિસ્થિતિ  બાળપણ થી જ
વૈરાગ્ય ને પોષનારી હતી.

વિઠ્ઠલપંત નો બ્રાહ્મણ સમજે બહિષ્કાર કરેલો હોવાથી, તેમનો બધો સમય સ્ત્રી અને બાળકો માં જ જતો.
રુક્મિણીબાઈ કુવા પર પાણી લેવા કે નદી પર વસ્ત્રો ધોવા જતી-
ત્યારે ગામની સ્ત્રીઓ તેને પણ મેણા મારતી.
છોકરાંઓ પણ બહાર જતાં ત્યારે નાનાંમોટાં સર્વ માણસો તેમને “સન્યાસી નાં બાળકો” કહી ત્રાસ આપતાં.

તે વખતના જમાનામાં “જ્ઞાતિ બહાર” કરવા જેવી બીજી સખ્ત શિક્ષા –તે સમાજ માં નહોતી.
સર્વ દંડો માં અત્યંત અસહ્ય દંડ તે –આવો બહિષ્કાર ગણાતો. આવા બહિષ્કૃત મનુષ્યોને-
મશ્કરી,અત્યાચાર,નિંદા –સહન કરવાં પડતાં.સર્વ પ્રકારના પ્રતિબંધો તેમને પ્રાપ્ત થતાં.
વિઠ્ઠલપંત નો બહિષ્કાર બ્રાહ્મણો એ કરેલો પણ બીજી જાતિ ના લોકો પણ તેમની સાથે કોઈ પણ
પ્રકાર નો સંબંધ રાખતાં નહોતા.અને આ દુઃખ છોકરાંઓ ને પણ સહન કરવું પડતું હતું.

નિવૃત્તિનાથ સાત વર્ષ ના થતાં –તેમના યજ્ઞોપવિત (જનોઈ) વિષે વિઠ્ઠલપંત ને ચિંતા થઇ.

સંન્યાસ લીધા પછી,ફરીથી ગૃહસ્થાશ્રમ માં પ્રવેશ કરનાર વિઠ્ઠલપંત –એ પહેલું ઉદાહરણ હતા.
તે પહેલાં આવું કદી બનેલું નહિ-
એટલે પોતાના પુત્ર ને યજ્ઞોપવિત ધારણ કરાવી શકાશે-કે-નહિ કરીશકાય-તેનો તે નિર્ણય કરી શકતા નહોતા. તેમણે ખૂબ ખટપટ કરી –પરંતુ કોઈ પણ તેમની સાથે વાત સુદ્ધાં કરતુ નહિ.
અંતે રુક્મિણીબાઈ ના માત પ્રમાણે-“કાંઇ અનુષ્ઠાન કરવું” એવો નિશ્ચય કરી ને વિઠ્ઠલપંત-
ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) ગયા.ત્યાં તેઓ નદીમાં મધ્યરાત્રિએ સ્નાન કરી, સંતાનો ની સાથે-
બ્રહ્મગિરિ (પર્વત) ની  પ્રદિક્ષણા કરતા. અંતે એક દિવસ નિવૃત્તિનાથ ના ભાગ્યોદય નો સમય થયો.

એક દિવસ રાત્રિ ના સમયે સર્વ કુટુંબ પ્રદિક્ષણા કરતુ હતું તે વખતે –એક વિકરાળ વાઘ માર્ગમાં આવ્યો.
વિઠ્ઠલપંત એકદમ ગભરાઈ ને બાળકો ને સંભાળવામાં લાગ્યા. નિવૃત્તિ નાથ આગળ હતા તે –રસ્તો ચૂકી
ગયા અને બીજે જ રસ્તે ચાલ્યા ગયા. ચાલતાં ચાલતાં તે અંજની પર્વત ની એક ગુફામાં ગયા કે-
જ્યાં ગૈનીનાથ-તેમના બે શિષ્યો સાથે તપશ્ચર્યા કરતા હતા. નિવૃત્તિનાથે – ગૈનીનાથ ના ચરણ માં
મસ્તક મુક્યું. ગૈનીનાથ ને આ કોમળ વયના અધિકાર સંપન્ન બાળક ને જોઈ અત્યંત આનંદ થયો.
નિવૃત્તિનાથ સાત દિવસ ગુરુના સમીપ રહ્યા અને ગૈનીનાથે –તેમને યોગમાર્ગ ની દીક્ષા આપી અને
બ્રહ્મમાર્ગ નો બોધ કર્યો.

ગૈનીનાથ –એ “આદિનાથ” સંપ્રદાય ના હતા, એથી નિવૃત્તિ નાથ ને પોતાના સંપ્રદાય માં લઇ ને –
શ્રીકૃષ્ણ ની ઉપાસના અને નામસ્મરણ નો પ્રચાર કરવાની આજ્ઞા આપી.

નિવૃત્તિનાથ ની ઉંમર નાની હતી,તે વાત સાચી,પણ પૂર્વ સંસ્કાર ને કારણે તેમણે-ગુરૂ બોધ ગ્રહણ કર્યો,
અને પાછળથી પોતાના ભાઈ બહેન ને પણ તે બોધ આપી તેમને પણ કૃતાર્થ કર્યા.
(શંકરાચાર્યે પણ આઠમા વર્ષે ચારે વેદ નું અને બારમે વર્ષે સકળ શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું.
સોળમે  વર્ષે ભાષ્ય લખ્યાં અને બત્રીસ વર્ષમાં તો પોતાનું અવતાર કૃત્ય સમાપ્ત કર્યું હતું)

નિવૃત્તિ નાથ અને જ્ઞાનેશ્વર પણ આચાર્ય કોટિ ના જ હોઈ-તેમનું ચરિત્ર પણ તેવું જ હૃદયંગમ છે.

તે પછી નિવૃત્તિનાથ –કેટલેક દિવસે ગુરુની આજ્ઞા લઇ –માતપિતાને આવી મળ્યા.

જ્ઞાનેશ્વર ને પોતાના આયુષ્ય ના આઠમા વર્ષે જ નિવૃત્તિ નાથ નો ઉપદેશ મળેલો અને તે ઉપદેશ
ગ્રહણ કરી પૂર્ણતા ને પામેલા.

(નાથ સંપ્રદાય ના મૂળ ગુરૂ –આદિનાથ (શંકર) છે,આદિનાથ ના મુખ્ય શિષ્ય મત્સ્યેન્દ્રનાથ,
તેમના શિષ્ય ગોરક્ષનાથ ,તેમના શિષ્ય ગૈનીનાથ,તેમના શિષ્ય નિવૃત્તિનાથ અને
તેમના શિષ્ય જ્ઞાનેશ્વર છે-આમ જ્ઞાનેશ્વર એ નાથસંપ્રદાય ના હતા –એમ કહી શકાય)


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૩



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10

વિઠ્ઠલપંત ની જેવી ઘટના (સંન્યાસમાં થી ગૃહસ્થાશ્રમ માં આવવું) પહેલાં બ્રાહ્મણો માં બનેલી નહિ,
એટલે આ પ્રસંગ ને શાસ્ત્ર નો આધાર મળવો મુશ્કેલ હતો.
વિઠ્ઠલપંત ને બાળકો ને યજ્ઞોપવિત આપવાની ચિંતા હતી.એટલે છેવટે તેમણે એવો નિર્ણય કર્યો કે-
ગમે તે પ્રાયશ્ચિત કરવું પડે પણ બાળકો ને જ જાતિ- કુળ થી જુદાં કરવાં નથી.

એટલે તેમણે બ્રાહ્મણો ની સામે સાષ્ટાંગ નમસ્કાર કરી ને પ્રાર્થના કરી કે-
મેં કેવળ ગુરુની આજ્ઞા અર્થે જ ગૃહસ્થાશ્રમ નો ફરીથી સ્વીકાર કર્યો છે,કામ વાસના ને આધીન થઈને નહિ,
આપ જે કહેશો તે દંડ ભોગવવા હું તૈયાર છું,તમે કહેશો તે પ્રાયશ્ચિત્ત કરીશ,પણ કૃપા કરી મારાં બાળકો
યજ્ઞોપવિત ધારણ કરી શકે-એવો ધર્મ-શાસ્ત્રાર્થ શોધી કાઢી અને યોગ્ય નિર્ણય આપો.

બ્રાહ્મણો એ ઉત્તર આપ્યો કે-તમારા અપરાધ માટે શાસ્ત્ર માં ક્યાંય પણ પ્રાયશ્ચિત જણાવવામાં આવ્યું નથી.
તમારાં બાળકો ને જનોઈ ધારણ કરવાની અનુજ્ઞા નથી, તમારો અપરાધ એવો ઘોરતમ છે-કે-
દેહાંત (દેહ નો અંત લાવવો ) સિવાય કોઈ પ્રાયશ્ચિત તેને લાગુ પડતું નથી.

વિઠ્ઠલપંતે સ્ત્રી-પુત્રોનો મોહ છોડી –બ્રાહ્મણો ને વંદન કરી-એકદમ પ્રયાગ-ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું અને
ગંગા-જમના ના ઓઘ માં પોતાના દેહનું વિસર્જન કર્યું.રુકિમણીબાઈ પણ સાથે જ હતાં –તેમણે પણ
પોતાના સ્વામી ની પાછળ નદીના પાણીમાં ભૂસકો મારી-દેહ નો ત્યાગ કર્યો.

ત્યારે નિવૃત્તિ નાથ ની ઉંમર ભાગ્યે જ દશ વર્ષ ની હતી. માતા-પિતાના મૃત્યુ બાદ બાળકો થોડા દિવસ આપોગાંવ માં રહ્યા પરંતુ તેમના દુશ્મનોએ તેમને તેમના બાપદાદા ના ઘરમાં પ્રવેશવા દીધા નહિ,અને
તેમની મિલકત પણ પચાવી પાડી.બાળકો ઘરબાર વગરના થઇ ગયા.
બાળકો આકાશને છત અને ધરતી ને ઘર બનાવીને આપોગાંવ માં રહ્યા.
નિવૃત્તિનાથ અને જ્ઞાનેશ્વર ભિક્ષા માગી લાવતા અને
સોપાનદેવ નાની મુક્તાબાઈ ની સંભાળ લેતો. આમ તેઓએ દિવસ વ્યતિત કર્યા હતા.

ભાઈઓ અને બહેન ને લઈને છેવટે નિવૃત્તિનાથ આળંદી ગયા,
નિવૃત્તિનાથ તો પોતે શિવ સ્વ-રૂપ થયા હતા,પોતાના દેહનું પણ તેમને ભાન નહોતું,
નિજ સ્વ-રૂપમાં મસ્ત હતા,તેમને તો પોતાને જનોઈ નો કોઈ આગ્રહ નહોતો.
પણ જ્ઞાનેશ્વરે એક વખત કહ્યું કે-આપણે યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ,
અને આ બાબત બ્રાહ્મણો પાસે ફરીથી નિર્ણય કરાવવો જોઈએ.

નિવૃત્તિનાથ હવે ભાઈ-બહેન ને લઇ ને પૈઠણ તરફ પ્રયાણ કર્યું.
ગોદાવરી ને કિનારે સ્નાન કરી,તેઓ ગામમાં ગયા.
વિઠ્ઠલપંત ના મામા કૃષ્ણાજી પંત પૈઠણ માં જ રહેતા હતા.તેમને ઘેર તેઓ ઉતર્યા.
ચાર દિવસ પછી બ્રાહ્મણ સભા એકત્રિત થઇ,તેમની સમક્ષ,નિવૃત્તિ નાથે -આળંદી ના બ્રાહ્મણો નો પત્ર
રજુ કર્યો-કે જેમાં લખ્યું હતું કે-“આ સન્યાસી ના બાળકો છે,ને તેમને પ્રાયશ્ચિત નો શાસ્ત્રાર્થ જોઈએ છે”

પછી નિવૃત્તિનાથે આદરથી પ્રાર્થના કરી કે –અમે અનાથ છીએ તેમને તમે સનાથ કરો.
બ્રાહ્મણો ની સભા માં મોટા મોટા વેદો ને જાણનારા,શાસ્ત્રજ્ઞ અને અધ્યયન થી વિદ્વાન બ્રાહ્મણો બેઠા હતા.
કેટલાક સાત્વિક,દયાળુ વૃત્તિ ના બ્રાહ્મણો ને દયા પેદા થઇ હતી તો- કેટલાક નિંદા કરતા હતા.

પુષ્કળ વાદ-વિવાદ ના અંતે-બ્રાહ્મણોએ નિર્ણય આપ્યો કે-
“સન્યાસી ના બાળકો ને યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ શાસ્ત્ર માં ક્યાંય દ્રષ્ટિગોચર (દેખાતી) નથી.
માટે તેમને આજ્ઞા આપી શકાતી નથી.
વળી પ્રાયશ્ચિત થી પણ તમને પાવન કરી શકાય નહિ,
માટે હાલ છો,તેવી જ દશામાં હરિ ચિંતન કર્યા કરો.
સર્વ જગતને કૃષ્ણ-રૂપ જુઓ,જીતેન્દ્રિયપણે રહો,લગ્ન કરીને સંસાર ની વૃદ્ધિ કરશો નહિ,
દેહ રહે ત્યાં સુધી વૈરાગ્ય વૃત્તિ થી શ્રી હરિ ની અનન્ય ભક્તિ કરો.-
કે જેથી તમારાં સર્વ પાપો બળી ને તમે પવિત્ર થશો.”



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10




Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૪



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10



બ્રાહ્મણો ના મુખમાંથી આવો નિર્ણય સાંભળી,
જો કોઈ ને વિષય-લાલસા હોય તો –તો-તેનું હૃદય શોક થી ભરાઈ જાય-

પરંતુ અહીં તો જેમની સર્વ વિષય વાસનાઓ અનેક જન્મ ના પુણ્યકર્મ થી બળી ગઈ છે,
જેમના હૃદય મંદિર માં હરિ એ સ્થાયી નિવાસ કરેલો છે,અને જે પહેલાથી જ નિવૃત્ત થઈને બેઠા છે,
તેમને તો-બ્રાહ્મણો નો ઉપર નો નિર્ણય જોઈ ને ઉલટો આનંદ જ થાય.-એમાં કોઈ આશ્ચર્ય નથી!!!

જેમને વિષય નું ભાન નથી –તેમને વિષય-સેવન છોડી દેવાની આજ્ઞા એ કાંઇ શિક્ષા નથી.
બ્રાહ્મણો એ જે નિર્ણય આપ્યો તે –નિવૃત્તિનાથ અને જ્ઞાનેશ્વરને તો ઉપદેશરૂપ જ લાગ્યો.
તેમના મુખ પર શોક ની જરા પણ છાયા નહોતી.

ઘણા બ્રાહ્મણોને આ જોઈ ને તેમના પ્રત્યે આદરભાવ ઉત્પન્ન થયો,પણ કેટલાક અસંતુષ્ટ બ્રાહ્મણો એ-
સભા ના વિસર્જન થવાના સમયે-“તમારાં નામનો અર્થ શું ?” એમ પૂછ્યું-
ત્યારે નિવૃત્તિનાથે –ચારે ભાઈ બહેન ના નામનો જ્ઞાન થી સભર અર્થ સમજાવ્યો.

નાનાં છોકરાંના મુખે થી “જ્ઞાન” ની મોટી વાતો સાંભળી-
ઘણા જ્ઞાન ના અભિમાન થી ભરપૂર બ્રાહ્મણો તથા કોઈ અજ્ઞાની લોકોથી  હસ્યા વગર રહેવાયું નહિ.
એકાદ ટીખળી બ્રાહ્મણે રસ્તા પરથી જતા પાડા તરફ આંગળી ચીંધી અને કહ્યું-કે-
“નામ માં શું છે ? લોકો ગમે તેને ગમે તેવું નામ આપે છે,આ રસ્તા પર જે પાડો જાય છે
તેનું નામ પણ જ્ઞાનદેવ (જ્ઞાનેશ્વર) છે.”

આ સાંભળી ને જ્ઞાનદેવ (જ્ઞાનેશ્વર) બોલી ઉઠયા કે-
“ખરેખર, આ પાડા માં અને મારામાં “આત્મ” ભાવે જરા પણ ભેદ (ફરક) નથી. તે પાડો મારો જ આત્મા છે.
સર્વ દેહો માં “એક” જ પરમાત્મા રહેલો છે. સર્વ વસ્તુઓ “એક”જ તત્વ થી બનેલી છે.

પાણી થી ભરેલા જુદા જુદા અસંખ્ય ઘડાઓમાં જેમ “એક” જ સૂર્ય પ્રતિબિંબિત થાય છે,તો તેનાથી
“એક” સૂર્ય કંઈ અસંખ્ય સૂર્ય બની જતો નથી, સૂર્ય તો “એક” જ હોય છે,
એમ જ્ઞાની પુરુષો તે “એકત્વ” પ્રતિ જ લક્ષ્ય રાખે છે.
સોનાના વિવિધ અલંકારો માં જેમ એક જ સોનું રહેલું છે,
તેમ જુદા જુદા નામો વાળું- (“નામ-રૂપ” વાળું) જગત પણ “એક” પરમાત્મા નું જ બનેલું છે.”

જ્ઞાનેશ્વર ના અંતરમાં આવી જે અભેદ-દૃષ્ટિ (આત્મા-પરમાત્મા જુદા નથી તે) ઉત્પન્ન થયેલી હતી,
તેની પ્રતીતિ ત્યાં રહેલા સર્વ મનુષ્યો ને થોડીક વારમાં  જ થઇ ગઈ.
પેલા ટીખળી બ્રાહ્મણે પાડા ની પીઠ પર સોટીથી ત્રણ ફટકા માર્યા,
કે તરત જ જ્ઞાનેશ્વર ની પીઠ પર તે સોટીના સોળ ઉઠયા અને તેમાંથી લોહી વહેવા માંડ્યું.!!!!!

આ જોઈ સર્વ સભાસદો (બ્રાહ્મણો) આશ્ચર્ય માં પડી ગયા !!!
પણ આટલે થી સંતોષ ના થયો હોય –તેમ –હજુ પણ પેલો ટીખળી-અસંતોષી  બ્રાહ્મણ કહે છે કે-
“તારે જો તારું કુળ પાવન કરવું હોય તો-અને આ પાડો પણ જો તારો જ આત્મા હોય-
તો - આ પાડા ના મુખે થી વેદ બોલાવ”

આ શબ્દો સાંભળતાજ જ્ઞાનેશ્વર ઉભા થયા અને બ્રાહ્મણ ને સાદર વંદન કરી બોલ્યા કે-
“આપ ભૂદેવ (બ્રાહ્મણ-દેવ) છો,આપણા મુખમાંથી જે શબ્દ નીકળે તે નિષ્ફળ થાય નહિ”
એમ બોલી ને તે પાડા ની નજીક જઈ તેના માથા પર જમણો હાથ મુક્યો......

અને બધાના આશ્ચર્ય વચ્ચે-પાડા ના મુખે થી વેદ ની ઋચાઓ બોલાવા માંડી.!!!!!!!

પછી તો પૂછવું શું ? આખા ગામ માં કોલાહલ મચી ગયો,ગામના સર્વ માણસો એકઠા થઇ ગયા
અને આ આશ્ચર્યજનક –ચમત્કારિક ઘટના જોવા લાગ્યા.

આ બનાવ શકે ૧૨૦૯ (ઈસ્વીસન- ૧૨૮૭) માઘ સુદ પંચમી ના દિવસે પૈઠણ માં બનેલો.



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10



Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૫



Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10
જ્ઞાનેશ્વર નો જમણો હાથ પાડા ના માથા પર છે અને પાડા ના મુખે થી,
પુરા એક પ્રહર (ત્રણ કલાક) સુધી વેદ ની રુચા ઓ બોલાતી રહી.

આ જોઈ ને (સાંભળીને) બ્રાહ્મણો ને નિશ્ચય થયો કે-જ્ઞાનેશ્વર એ સાક્ષાત વિષ્ણુ નો અવતાર છે.
શુદ્ધિપત્ર માંગવા આવેલાં બાળકો કેટલી ઉચ્ચ કોટિનાં છે,અને
તેમની આગળ પોતાની યોગ્યતા કેટલી તુચ્છ છે,તે બ્રાહ્મણો ને હવે સમજાયું.
અને તેથી પોતાની વિદ્વતા નો ગર્વ છોડી ને –જ્ઞાનેશ્વર ની સ્તુતિ કરવા લાગ્યા.

પણ કેટલાક કુટિલ અને કુતર્કી લોકો આ ચમત્કાર પ્રત્યક્ષ જોયા છતાં પણ બોલવા લાગ્યા કે-
“કોઈ મેલી સાધના કે જાદુબળ થી આ દેખાવ દેખાડવામાં આવ્યો છે,સન્યાસી નાં છોકરાંઓનું મોઢું પણ
ના જોવું જોઈએ, જે ભટ્ટજી ને ત્યાં તે છોકરાંઓ ઉતર્યા છે,તેમને પણ નાત બહાર મુકવા જોઈએ.
તેમના ત્યાં કોઈએ કોઈ જાતનો વ્યવહાર રાખવો નહિ”

બન્યું એવું કે –બીજે દિવસે ભટ્ટજી –(જેના ત્યાં જ્ઞાનેશ્વર ઉતર્યા હતા તે)
શ્રાદ્ધ નિમિત્તે તે બ્રાહ્મણો ને જમવાનું આમંત્રણ આપવા ગયા ત્યારે સહુએ આમંત્રણ નો અસ્વીકાર કર્યો.
બ્રાહ્મણો ના ના પડવાથી ભટ્ટજી ઝંખવાણા પડી અને ઉદ્વેગ કરતા ઘરમાં બેઠા હતા.
ત્યારે જ્ઞાનેશ્વરે તેમને તેમના ઉદ્વેગ નું કારણ પૂછ્યું,એટલે ભટ્ટજી એ સર્વ હકીકત કહી.

જ્ઞાનેશ્વરે કહ્યું કે-ભલે તે બ્રાહ્મણો ના આવે,પણ તમે રસોઈ ની તૈયારી કરો અને –
એ બ્રાહ્મણો ને ભોજન જમાડી-સંતુષ્ટ કરીને તમે જે (મરી ગયેલા) પિતૃઓને સંતુષ્ટ કરવા માગો છે-એ
(મારી ગયેલા) પિતૃઓ પોતે જ ઈશ્વરની ઈચ્છા થી ભોજન કરવા પધારશે.
ભટ્ટજી એ પોતાની સ્ત્રી ને રસોઈ બનાવવાની આજ્ઞા આપી.

પત્રાવળીઓ પીરસાઈ,ત્યારે જ્ઞાનેશ્વરે ભટ્ટજી પાસેથી થોડા ચોખા લઇ અને સર્વ આસનો પર છાંટી,
પોતાના અસાધારણ યોગ સામર્થ્ય વડે,પિતૃઓ નું આવાહન કર્યું, અને સર્વ ના આશ્ચર્ય ની વચ્ચે,
સર્વ પિતૃઓ આસન પર વિરાજમાન થયેલા જણાયા.જ્ઞાનેશ્વર અને ઘરનાં સર્વે પણ સાથે જમવા બેઠા,
અને હર હર મહાદેવ ના ઘોષ સાથે સહુએ ભોજન આરોગવા માંડ્યું.

ભટ્ટજી ની ફજેતી કરવા ઇચ્છનાર જેઓ આજુબાજુ રહેતા હતા તેઓ ના સાંભળવામાં આ જયઘોષ આવતા,
આશ્ચર્ય ચકિત થઇ ગયા,અને વિચારવા લાગ્યા કે –આખા ગામમાંથી કોઈ નાના બાળક ને પણ ભટ્ટજી ને ત્યાં જવા દીધું નથી તો –આટલા માણસો નો અવાજ અંદર થી કેવી રીતે આવે છે ?
બારણું બંધ હતું એટલે લોકોએ બારણાની તિરાડ માંથી દ્રશ્ય જોયું-ને આભા થઇ ગયા.

બીજી બાજુ-ભટ્ટજી એ સર્વ પિતૃઓ ને તૃપ્ત કરી,મુખવાસ આપ્યા.અને પિતૃઓ વિદાય થયા.

આ બનાવ જોનાર સર્વ બ્રાહ્મણો ને –આમંત્રણ નો અસ્વીકાર કરવાનો પસ્તાવો થવા લાગ્યો.
અને પોતાના વર્તણુંક નો પશ્ચાતાપ થયો.અને તે સર્વે બ્રાહ્મણો એ ભટ્ટજી ને બારણાં ખોલવાની વિનંતી કરી.તેથી ભટ્ટજી એ બારણાં ખોલી સર્વ ને ઘરની અંદર આવવા દીધા.
સર્વ બ્રાહ્મણો એ ઘણા પ્રેમભાવ થી અને ખરા અંતઃકરણ થી,
નિવૃત્તિનાથ,જ્ઞાનેશ્વર,સોપાનદેવ અને મુક્તાબાઈ ના ચરણ માં સાષ્ટાંગ વંદન કરી સ્તુતિ કરી.ક્ષમા માગી.

આ પ્રમાણે જ્ઞાનેશ્વર મહારાજે કરેલા ચમત્કાર અને તેમની સર્વ પ્રકારની યોગ્યતા જોઈ,
પૈઠણ ના બ્રાહ્મણો એ એવો નિર્ણય કર્યો કે-આ તો મૂર્તિમંત “દેવ” છે,એમને પ્રાયશ્ચિત ની કોઈ આવશ્યકતા નથી. અને તે બ્રાહ્મણોની વતી બોપદેવે -શુદ્ધિપત્રક લખી આપી નિવૃત્તિદેવ ને અર્પણ કર્યું.
(શકે ૧૨૦૯-માઘ-સુદ-પાંચમ-ઈસ્વીસન-૧૨૮૭)


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10