Sep 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-625

સદાશિવ કહે છે કે-બ્રહ્મ-એ-વ્યવહારની દૃષ્ટિથી સર્વ-શક્તિઓ-વાળું છે અને પરમ-અર્થ (પરમાર્થ) દૃષ્ટિથી "એક-સત્તા-રૂપ" જ છે.
આવી કરવામાં આવેલી, વ્યવસ્થાથી- જ -જો-બે દૃષ્ટિ- નો સ્વીકાર કરીએ-
તો-પછી,દ્વિત્વ (બે) અને એકત્વ (એક) કે જે એક સર્વ-શક્તિ છે-તેમાં ઉઠેલી તમારી શંકા નિર્મૂળ જ છે.

Sep 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-624

સર્વ-વ્યાપક-બ્રહ્મ-ચૈતન્ય,એ,બુદ્ધિમાં પ્રતિબિમ્બિત થયેલા "અંશ" થી,જીવ-રૂપ થઈને મન-રૂપ થાય છે.(મન-એ-"લિંગ-સ્વ-રૂપી-રથમાં ગોઠવાય છે) અને આમ થવાથી જગત થાય છે.(જગત ઉત્પન્ન થાય છે)
જેમ,વેતાલ શબની અંદર પેસીને શબને ઉઠાડે છે,તેમ,જયારે વાયુની પ્રધાનતા-વાળું-લિંગ-શરીર,દેહની અંદર પેસીને દેહને ઉઠાડે છે-ત્યારે લોક,"દેહ જીવે છે" એમ કહે"  છે.
એજ રીતે લિંગ-શરીર ક્ષીણ થતાં,જયારે ચિત્ત બ્રહ્મમાં લીન થાય છે-ત્યારે તે "મરણ પામ્યો છે" એમ કહે છે.