Sep 28, 2016
Sep 27, 2016
Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-624
સર્વ-વ્યાપક-બ્રહ્મ-ચૈતન્ય,એ,બુદ્ધિમાં પ્રતિબિમ્બિત થયેલા "અંશ" થી,જીવ-રૂપ થઈને મન-રૂપ થાય છે.(મન-એ-"લિંગ-સ્વ-રૂપી-રથમાં ગોઠવાય છે) અને આમ થવાથી જગત થાય છે.(જગત ઉત્પન્ન થાય છે)
જેમ,વેતાલ શબની અંદર પેસીને શબને ઉઠાડે છે,તેમ,જયારે વાયુની પ્રધાનતા-વાળું-લિંગ-શરીર,દેહની અંદર પેસીને દેહને ઉઠાડે છે-ત્યારે લોક,"દેહ જીવે છે" એમ કહે" છે.
એજ રીતે લિંગ-શરીર ક્ષીણ થતાં,જયારે ચિત્ત બ્રહ્મમાં લીન થાય છે-ત્યારે તે "મરણ પામ્યો છે" એમ કહે છે.
Subscribe to:
Posts (Atom)