જેમ આકાશમાં દીવા વગેરેના આકાર વિના પણ પ્રકાશ રહે છે,
તેમ આ જગત,પોતાના નામ-રૂપ વિના,બ્રહ્મમાં એકરૂપ થઈને રહે છે.
જ્ઞાન થતાં બ્રહ્મ-રૂપ થયેલા,આ જગતના બાહ્ય (રૂપ-આદિ) વિષયો અને અંદરના (સંકલ્પ-આદિ) વિષયો,નિઃસાર છે,અને તે અસત્ય હોવા છતાં મિથ્યા-રૂપ જ ભાસી રહ્યા છે.
આમ,સૃષ્ટિનાં નામ-રૂપ બાદ કરતા,સર્વ સૃષ્ટિ પરબ્રહ્મ-રૂપ જ છે અને પરબ્રહ્મ સર્વ સૃષ્ટિ-રૂપ છે.(એ જ "સર્વ ખલ્વિદમ બ્રહ્મ" વગેરે ઉપનિષદનાં વચનોનો ખરો અર્થ છે)