શાંતિ વડે ઉદારતાનો આશ્રય કરી,અસંગ-પણાથી તમે જે કોઈ કર્મ કરશો તે કર્મના તમે કર્તા નથી,એમ સમજો.
મનની સ્થિતિ જો તમે કેવળ પરમાત્મામાં જ રાખશો,તો હું ધારું છું કે વજ્રની ધાર (દુઃખો) પણ બૂઠી થઇ જશે.
સંકલ્પની કલ્પના વિનાના અને પોતાના હ્રદયાકાશમાં રહેલા આત્મ-સ્વરૂપમાં જ જે સ્થિર થઈને રહે છે,
તેવો,આત્માની અંદર રમી રહેલો પુરુષ મહેશ્વર જેવો છે.