અને જો સૃષ્ટિઓ ના હોય તો તેના નાશનું (પ્રલયનું) પણ અસ્તિત્વ નથી.માત્ર આકાર વિનાનો કલ્પના-રૂપી-સૂર્યના કિરણોનો સમૂહ,જ ઘટ્ટ થઇ આ સર્વત્ર (જગતના) આકારે ભાસ્યા કરે છે,
બાકી શૂન્યતા વિના તેનું બીજું કોઈ રૂપ નથી.આ શૂન્યતા એ પોતે જ અવસ્તુ-રૂપ છે
(શૂન્યતામાં કશું પણ સંભવી શકે નહિ-કેમ કે કશું નથી એટલે શૂન્યતા છે)
તો પછી તેમાં અહંતા-મમતા,રાગ-દ્વેષ-આદિ ભાવની કલ્પના તો ક્યાંથી સંભવે?