(૯૬) આત્મા અજરામર જ છે
વસિષ્ઠ કહે છે કે-તમને આગળ જે પાષણાખ્યાન કહ્યું,તે જ રીતે આ સર્વ સૃષ્ટિઓ,આરોપિત-રૂપે જ ચિદાકાશની અંદર
રહેલ છે.નિરાકાર બ્રહ્મ જ વિવર્તભાવથી સૃષ્ટિના જેવું થઇ રહેલું ભાસે છે.આ સર્વ,એ અનંત,નિર્વિકાર અને અવિનાશી
એવા ચિદાકાશ-રૂપ જ છે અને હજારો મહાક્લ્પોમાં પણ ઉદય કે નાશને પ્રાપ્ત થતું નથી.
એવા ચિદાકાશ-રૂપ જ છે અને હજારો મહાક્લ્પોમાં પણ ઉદય કે નાશને પ્રાપ્ત થતું નથી.
એટલે જીવ પણ ચિદાકાશ-રૂપ જ છે.તમે હું,અને આ ત્રણે લોકો પણ ચિદાકાશ-રૂપ છે.
ચિદાકાશને જો છોડી દેવામાં આવે તો (તે ચિદાકાશ વગરનું) આ શરીર નિર્જીવ જ છે.