રાજાએ 'હવે સમય બરબાદ કરવો એ સારું નથી'એમ વિચારી તે પોતાના મહેલમાંથી બહાર નીકળ્યો અને
પોતાની પાસેના મંત્રીને હુકમ કર્યો કે-યુદ્ધની તૈયારી કરો.રાજાઓ,સામંતો અને મંત્રીઓને બોલાવી
ઉત્તમ યુક્તિઓથી સૈન્યની ગોઠવણ કરો,સેનાના અધ્યક્ષોની નિમણુક કરી ચારે બાજુ દૂતો મોકલો.
રાજા આમ કહેતો હતો ત્યારે દ્વારપાળ દોડતો આવી કહેવા લાગ્યો કે-
ઉત્તર તરફનો સામંત આપને મળવા ઈચ્છે છે.ત્યારે રાજાએ કહ્યું કે-તેને સત્વરે અહી બોલાવી લાવો.