Mar 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1098





વસિષ્ઠ કહે છે કે-ઉપર પ્રમાણે પોતાના ચારે દિશાના સામંતો પરાજિત થયાના સમાચાર દૂતો પાસેથી સાંભળીને,
રાજાએ 'હવે સમય બરબાદ કરવો એ સારું નથી'એમ વિચારી તે પોતાના મહેલમાંથી બહાર નીકળ્યો અને
પોતાની પાસેના મંત્રીને હુકમ કર્યો કે-યુદ્ધની તૈયારી કરો.રાજાઓ,સામંતો અને મંત્રીઓને બોલાવી
ઉત્તમ યુક્તિઓથી સૈન્યની ગોઠવણ કરો,સેનાના અધ્યક્ષોની નિમણુક કરી ચારે બાજુ દૂતો મોકલો.
રાજા આમ કહેતો હતો ત્યારે દ્વારપાળ દોડતો આવી કહેવા લાગ્યો કે-
ઉત્તર તરફનો સામંત આપને મળવા ઈચ્છે છે.ત્યારે રાજાએ કહ્યું કે-તેને સત્વરે અહી બોલાવી લાવો.

Mar 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1097

\સુવર્ણ અને રત્ન આદિની લાભની ઈચ્છાથી,પ્રવૃત્ત થયેલો પુરુષ,ખાણને ધોવાને બદલે આકાશને ધોવા માંડે,
તો ઘણો પ્રયત્ન કર્યા પછી પણ તેને કશું (સુવર્ણ કે રત્ન) મળે નહિ,એ પ્રમાણે પૃથ્વી (જગત) આદિના અસદવિચારો વડે
વૃથા જ આયુષ્ય ચાલ્યું જશે અને કશું તત્વ મનુષ્યને જાણવામાં આવશે નહિ.
કાર્ય-કારણ-કાળ-આદિની કલ્પના વડે આકુળ ચિત્તવાળા પુરુષોને,જગત અને જગતના પદાર્થો દેખાય છે,
એવા પુરુષોનું આપણે કશું પ્રયોજન નથી.વસ્તુતઃ તો પોતાના અનુભવ વડે પ્રમાણમાં આવતું ચિદાકાશનું
જે કંઈ નિરાકાર સ્વરૂપ છે,તે જ દૃશ્ય એવા કાલ્પનિક નામને ધારણ કરીને પૃથ્વી-આદિ રૂપે પ્રતીતિમાં આવે છે.

Mar 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1096

એક ભાવની નિવૃત્તિ થઇ બીજા ભાવની પ્રાપ્તિ થતાં વચ્ચે જે ચિદાત્માનું રૂપ જોવામાં આવે છે તે ચિદાકાશ છે,
અને તે જ સર્વ-રૂપે થઇ રહેલું છે,બીજું કશું પણ નથી.કાર્ય-કારણ-ભાવ આદિની દૃષ્ટિ અવિદ્યા વડે કલ્પાયેલી છે,
અને એ ચિદાત્મા જ,જેમ જગતની કલ્પના કરે છે તેમ કાર્ય-કારણ-ભાવને પણ કલ્પી લે છે.
તેની સ્વતંત્ર 'ઈચ્છા'ને કોણ રોકી શકે એમ છે? જો બીજો જ કોઈ દૃષ્ટા-ભોકતા કે કર્તા હોય,
તો હજી આ દૃશ્ય શી રીતે થયું? અને તે દૃશ્ય શું છે? એવી સંભાવના ઘટી શકે,
પરંતુ જો ચિદાત્મા પોતે જ દૃષ્ટા-ભોક્તા-કર્તા-રૂપ હોય,તો તે સંભાવના ઘટી શકતી નથી.