વસિષ્ઠ કહે છે કે-પછી એ (ચાર) વિપશ્ચિત રાજાઓની પાસે રહેનારા મંત્રીઓએ,તે રાજાઓને અનેક પ્રકારનાં વન,વૃક્ષ,
સમુદ્ર,પર્વત,મેઘ અને વનચર વર્ગ (પ્રાણીઓ)ને દેખાડવા માંડ્યા ને કહેવા લાગ્યા કે-
સમુદ્ર,પર્વત,મેઘ અને વનચર વર્ગ (પ્રાણીઓ)ને દેખાડવા માંડ્યા ને કહેવા લાગ્યા કે-
હે મહારાજ,આકાશને અડી રહેલ પર્વતની આ શિખર-ભૂમિ તમે જુઓ.અતિ ઊંચાઈને લીધે તે તીવ્ર વાયુ-વાળી છે.
તેની પાસે રહેલ સમુદ્ર પોતાના તરંગો વડે પર્વતની પાસેની જમીન,અને તે જમીન પરના વનોને ઉખેડી નાખે છે.
ભરતી સમયે તણાઈ આવતા શંખો-આદિ વડે તે સમુદ્રનો કિનારો શોભે છે.