મુનિ (સાધુ બનેલ પારધીને) કહે છે કે-જેમ અંધકારમાંથી પ્રકાશનો લાભ ન થાય,તેમ એક સંપૂર્ણ જ્ઞાન વિના બીજા કશાથી
તુરીય અવસ્થાનો સાચો લાભ થતો નથી.સારી રીતે જ્ઞાનનો જયારે ઉદય થાય છે ત્યારે આ જગત યથાસ્થિત પણે રહ્યા છતાં
લયને પ્રાપ્ત થઇ જાય છે.અજ્ઞાન દશામાં પણ જગત તો યથાસ્થિત પ્રમાણે જ રહે છે,પણ તેનો લય થતો નથી.
સ્વપ્ન,જાગ્રત અને સુષુપ્તિ -એ ત્રણે અવસ્થાઓ,યથાસ્થિત એવા તે તે જગત સાથે તુરીયની અંદર રહેલી છે,
છતાં જ્ઞાનને લીધે જગતનો લય થઇ જાય છે.
જો કે તત્વ-દૃષ્ટિએ જોતાં તો કશું જ નથી,જગત કોઈ કારણમાંથી ઉત્પન્ન થયું
નથી,પણ,શાંત અને જન્મ-આદિના વિકારથી રહિત બ્રહ્મ જ સદા જગતના આકારે વિવર્ત-ભાવથી થઈને રહ્યું છે.
અને આવો સદાકાળ બોધ રહેવો તે જ 'તુરીય' અવસ્થા છે.