બીજા મુનિ કહે છે કે-હે વ્યાધના મહાગુરૂ મુનિ,જાગ્રત અવસ્થામાં જોયેલા પદાર્થોના 'સંસ્કારો' બુદ્ધિમાં ચોંટી જાય છે
અને તે સંસ્કારો સ્વપ્નમાં તેના શબ્દ અને અર્થથી પ્રતીતિ થતા ઘણી વખત જોવામાં આવે છે,આથી
તે જાણે સત્ય હોય તેમ પ્રતીતિમાં આવે છે,પણ સૃષ્ટિના આદિકાળમાં,તે સમયે -કે-તે સમય પહેલાં,બીજું કશું ના હોવાથી,
તથા,પૂર્વ-સૃષ્ટિના સંસ્કારો (વચ્ચે પ્રલય-કાળનો અંતરાય આવી જવાથી) નાશ પામ્યા હોવા છતાં,
તથા,પૂર્વ-સૃષ્ટિના સંસ્કારો (વચ્ચે પ્રલય-કાળનો અંતરાય આવી જવાથી) નાશ પામ્યા હોવા છતાં,
આ સૃષ્ટિ-રૂપી સ્વપ્ન,તો ચિદાકાશની અંદર પ્રથમથી જ દૃશ્ય(જગત)-રૂપે પ્રતીતિમાં આવે છે.