રામ કહે છે કે-વિચિત્ર એવા અસંખ્ય પદાર્થોનો એક જ અમુક ચોક્કસ નિયમ કેમ હોય છે?અને પદાર્થોનો
એક જ પ્રકારનો અચલ સ્વભાવ કેમ હોય છે? દેવતાઓ અસંખ્ય હોવા છતાં સૂર્ય જ કેમ ઉગ્ર કાંતિવાળા છે?
અને દિવસો શા કારણથી લાંબા-ટૂંકા થાય છે?
વસિષ્ઠ કહે છે કે-વિધાતાને,પ્રથમ સૃષ્ટિના આરંભ-કાળમાં,કાકતાલીય ન્યાયની જેમ,જેવા જેવા નિયમ-વાળું,
જે જે વસ્તુનું ભાન થયું અને જેવા સ્વરૂપે તથા જેવા કાર્ય-કારણભાવથી તેની સ્થિતિ કલ્પાઈ,
તેવા જ પ્રકારે તે આજ પર્યંત જગતના નામથી ઓળખાય છે.
વિધાતા (સર્જનહાર) સર્વ શક્તિમાન છે,તેથી આદિકાળમાં જે જેવું ભાસ્યું તેવું જ સત્ય-રૂપ થઇ રહ્યું,
કેમ કે તેના પોતાનામાં સત્ય-સંકલ્પ હોવાને લીધે તેને જે ભાન થયું,તે અન્યથા (જુદું) કેમ થઇ જાય?