Feb 1, 2013

સંસાર નું કર્મ અને ગીતા




લડાઈ ના મેદાન માં અર્જુન ને -મોહ- થયો છે.

કૃષ્ણ એને આત્મત્વ નો--જ્ઞાન નો-- બોધ કરે છે.(અધ્યાય-૨)

એટલે અર્જુન વધુ દ્વિધા માં પડી ગયો છે અને પ્રશ્ન કરે છે કે-- (અધ્યાય-૩ )
જ્ઞાન ને જો તમે વધારે ઉત્ત્તમ માનતા હો તો ----
તમે મને આવા ઘોર કર્મ (લડાઈ) માં કેમ જોડો છો ??
તમારા આવાં અટપટાં વાક્યો મારી બુદ્ધિ ને મુંઝવણમાં નાખી દે છે .....
તમે આ જ્ઞાન કે કર્મ એ બેમાંથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો ........

લગભગ આવોજ પ્રશ્ન આપણા બધા નો છે ......
અત્યારે ઠેર ઠેર જ્ઞાન ની વાતો રોજ સાંભળી એ છીએ ....
અને સંસાર માં કર્મ કેમ કરવું તેની સમજ પડતી નથી........

ચાલો જોઈએ કે કૃષ્ણ શું કહે છે .....
કેવી રીતે આ પ્રશ્ન નું નિરાકરણ કરે છે.???ગીતા -અધ્યાય-૩
------------------------------------------------------------------------------------------------------------------
બે પ્રકારની નિષ્ઠા (રસ્તા) છે.
જ્ઞાન વડે જ્ઞાની ઓ ની અને
નિષ્કામ કર્મ વડે યોગી ઓ ની .....................................................................૩

કર્મો -ના -કરવાથી નિષ્કામ ભાવ ને પમાતુ  નથી કે
કર્મો ના --ત્યાગ-- થી પણ સિદ્ધિ મળતી નથી ................................................૪

ખરેખર તો કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર
રહી શકતો નથી. કારણ કે
પ્રકૃતિ ને પરવશ સર્વ ને કર્મ તો કરવા જ પડે છે.........................................૫

જે મૂઢ પુરૂષ કર્મેન્દ્રિઓ ને રોકીને --
મન વડે ઇન્દ્રીઓ ના વિષય નું ચિંતન કરે છે --
તે ઢોંગી છે ................................................................................................૬

ખરેખર--શ્રેષ્ઠ એ છે કે --
મન વડે ઇન્દ્રીઓ ને નિયમ માં કરી ---
ફળ માં આશક્તિ રાખ્યા વગર ---
કર્મેન્દ્રિઓ થી નિષ્કામ કર્મ કરવું .................................................................૭

મારે આ ત્રણે લોક માં આમ જોઈએ તો કોઈ પણ કર્મ કરવાનું  નથી
કે કશું મેળવવાનું પણ નથી ----
છતાં હું સતત કર્મ કરતો રહું છું..................................................................૨૨
--------------------------------------------------------------------------------------------------------------------------------
ટૂંક માં "નિષ્કામ કર્મ" મુખ્ય શબ્દ છે. અને તે જવાબ છે......
-------------------------------------------------------------------------------------------------------------------------------
અહીં પાછો અર્જુન ને બીજો પ્રશ્ન થાય છે.....

મનુષ્ય પોતે ઈચ્છતો ના હોવા છતાં --
બળપૂર્વક કોઈ કામ માં જોડવામાં આવ્યો હોય તેમ --
કોનાથી પ્રેરાઈ ને પાપ નું આચરણ કરે છે?
------------------------------------------------------------------------------------------------------------------------------
રજોગુણ થી ઉત્પન્ન થનારો આ
કામ ---જ---ક્રોધ છે.એ
કદી તૃપ્ત ના થનારો મહા પાપી છે.
અને તુ આને મહાશત્રુ જાણ.........................................................................૩૭

જેમ ધુમાડા થી અગ્નિ,મેલથી આરસી અને ઓર થી ગર્ભ
ઢંકાયેલો રહે છે તેમ
આ મહાશત્રુ -કામ- વડે જ્ઞાન ઢંકાયેલું રહે છે.................................................૩૮

જ્ઞાનેન્દ્રિઓ ,કર્મેન્દ્રિઓ,મન અને બુદ્ધિ  આ -કામ- નાં
આશ્રયસ્થાન કહેવાય છે.
જે જ્ઞાન ને ઢાંકી દઈ મનુષ્યને- મોહ -પમાડે છે.............................................૪૦
-------------------------------------------------------------------------------------------------------------------------------
ટૂંક માં
કર્મ તો કરવાનું જ છે.
પણ નિષ્કામ કર્મ કરવાનું છે.

કર્મ કરવાથી ફળ તો મળે જ છે .......
પણ એ ફળ પર આપણો અધિકાર નથી .........

પણ થાય છે એવું કે માનવી ફળ પ્રત્યે આશક્ત થઇ જાય છે.

ખાલી ફળ વાપરે તો કોઈ વાંધો નાં હોઈ શકે......
પણ આ ફળ -મારું --છે ....એ -સમજ -સાથે વાંધો છે........
-----------------------------------------------------------------------------------------------------------------------------

આખી ગીતા માં માત્ર આ ત્રીજા અધ્યાય માં જ
જનક રાજા નું ઉદાહરણ આપેલું છે.

જનક રાજા ની વિગતો તો બધાને ખબર છે.

જનક ને વૈદેહી કહ્યા હતા.
પોતે દેહ નથી એવું માનનાર એ એકલા રાજા હતા.

એક પ્રસંગ છે.
કોઈએ જનક ને પૂછેલું કે--

તમે આ રાજ્ય ભોગવો છો-રાણીઓ છે-નોકરો છે-પૈસા છે-રાજા છો
પણ આમ અલિપ્ત કેમ રહી શકો છો?

જનકે જવાબ આપવા કરતા એક નોકર ને બોલાવ્યો -
અને તેના  હાથ માં તેલ ભરેલો દીવો આપ્યો અને કહ્યું કે
પુરા ગામ માં ચક્કર મારીને પાછો આવ-
પણ સાથે એક તલવારધારી માણસ મોકલું છું -
જો દીવામાં થી એક ટીપું તેલ નીચે પડશે કે
દીવો હોલવાઈ જશે તો ---
તે તારું માથું કાપી નાખશે ...

નોકર ચક્કર મારી સાજોસમો પાછો આવ્યો -
જનકે પૂછ્યું કે
રસ્તામાં રાજ્યના દીવાન તેને જોયેલા ?

નોકરે કહ્યું -
ના ...મારું તો સતત માત્ર દીવા સામેજ ધ્યાન હતું .....

જનકે પેલા પ્રશ્ન નો જવાબ આમ આપી દીધેલો ...

સતત આત્મ પ્રત્યે ધ્યાન હોય તો
દેહ હોવા છતાં વિદેહ છે.
------------------------------------------------------------
કર્મયોગ વિષે વધારા નું લખાણ નીચેની લીંક પર છે