પ્રકરણ-૧-૩
તું અસંગ,અક્રિય (કોઈ પણ ક્રિયા વગરનો),સ્વયંપ્રકાશ અને નિર્દોષ છે.
--તું
જે સમાધિ (સમાધિ –વગેરે ની ક્રિયા) કરી
રહ્યો છે
--તે
જ તારું બંધન છે (આત્મા તો અક્રિય છે) (૧૫)
તારા
વડે જ આ વિશ્વ વ્યાપ્ત થયેલું છે,અને તારા માં જ વિશ્વ વણાયેલું છે,
--ખરી
રીતે જોતાં તો તું શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ જ છે, માટે
--તારી
ક્ષુદ્ર ચિત્તવૃત્તિને (મનથી હું બંધાયેલો છું તેવી ચિત્તવૃત્તિને) વશ ના થા. (૧૬)
તું કશાની પણ ઈચ્છા વિનાનો,કોઈ પણ જાતના વિકારો
વિનાનો,
--શાંત અંતઃકરણ વાળો,અગાધ (ઊંડી) બુદ્ધિવાળો,ક્ષોભ
વગરનો. અને
--માત્ર ચૈતન્ય (આત્મા) માં જ નિષ્ઠા (વિશ્વાસ)
રાખનારો થા, (૧૭)
તું સાકાર (શરીર..વગેરે) ને ખોટી માન,અને
--નિરાકાર “તત્વ” (આત્મા-પરમાત્મા) ને નિશ્ચલ
માન,
--આ તત્વ ના જ્ઞાનથી સંસારમાં ફરી જન્મવાનો સંભવ
રહેતો નથી. (૧૮)
જેવી રીતે અરીસા ની મધ્યમાં પ્રતિબિંબિત થયેલા,
--પ્રતિબિંબ ના રૂપ ની અંદર,બહાર,અને ચારે બાજુ
માત્ર અરીસો જ રહેલો છે (બીજું કાંઇ નહિ) તેવી રીતે
--આ શરીરમાં પણ અંદર,બહાર અને ચારે બાજુ એ એક માત્ર
ચૈતન્ય (ઈશ્વર) જ રહેલું છે. (૧૯)
જેવી રીતે ઘડામાં રહેલું આકાશ (ઘડાકાશ) અને
--બહાર રહેલું સર્વવ્યાપક આકાશ (મહાકાશ) એ એક જ
છે,
--તેવી રીતે સમસ્ત પ્રાણી માત્ર માં (જીવ માત્રમાં)
અંદર (આત્મા રૂપે) અને બહાર,
--નિત્ય,અવિનાશી,બ્રહ્મ (પરમાત્મા) રહેલું
છે. (૨૦)
પ્રકરણ -૧-સમાપ્ત-અનુસંધાન-પ્રકરણ-૨