Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૫

પ્રકરણ-૯

 

॥ अष्टावक्र उवाच ॥

कृताकृते च द्वन्द्वानि कदा शान्तानि कस्य वा । एवं ज्ञात्वेह निर्वेदाद् भव त्यागपरोऽव्रती ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-કૃત (કરવા જેવાં) અને અકૃત (નહિ કરવા જેવા) કર્મો,તેમજ,

--સુખ-દુઃખ જેવા દ્વંદો,કોનાં અને ક્યારે શાંત થયાં છે? આવું જાણીને

--આ સંસારમાં વૈરાગ્યશીલ થઈને,વ્રત-કર્મ વગરનો અને ત્યાગ-પરાયણ થા (૧)

 

कस्यापि तात धन्यस्य लोकचेष्टावलोकनात् । जीवितेच्छा बुभुक्षा च बुभुत्सोपशमः गताः ॥ २॥

જગતના લોકોનાં વર્તન (લોકચેષ્ટા)ના અવલોકન વડે,કોઈક “ધન્ય-પુરુષ” (મહાત્મા) જ,

--જીવન જીવવાની,જીવન ભોગવવાની,કે જીવનમાં કંઇક બનવાની “ઈચ્છા”—પ્રત્યે,

--“વૈરાગ્ય” ને પેદા કરીને શાંત બને છે.(૨)

 

अनित्यं सर्वमेवेदं तापत्रितयदूषितम् । असारं निन्दितं हेयमिति निश्चित्य शाम्यति ॥ ३॥

આ બધું દૃશ્ય જગત- અનિત્ય,ત્રિવિધ તાપ (આધ્યાત્મિક,આધિદૈવિક,આધિભૌતિક)થી દોષયુક્ત,

--સાર વગરનું,નિંદવા-યોગ્ય અને ત્યાજ્ય (ત્યાગ કરવા જેવું) છે,

--એમ નિશ્ચય કરી ને તે “ધન્ય-પુરુષ” (મહાત્મા) શાંત બને છે.(૩)

 

कोऽसौ कालो वयः किं वा यत्र द्वन्द्वानि नो नृणाम् । तान्युपेक्ष्य यथाप्राप्तवर्ती सिद्धिमवाप्नुयात् ॥ ४॥

જીવનમાં (સંસારમાં) એવો કોઈ કાળ (સમય) કે જીવનની એવી કોઈ અવસ્થા નથી કે જ્યાં મનુષ્યને.

--સુખ-દુઃખ વગેરે જેવા દ્વંદોનો સામનો કરવો પડતો ના હોય, એટલે જ,

--યથાપ્રાપ્ત (જે મળી જાય તે) વસ્તુઓમાં વર્તવાવાળો મનુષ્ય સિદ્ધિ (મોક્ષ)ને પામે છે.(૪)

 

नाना मतं महर्षीणां साधूनां योगिनां तथा । दृष्ट्वा निर्वेदमापन्नः को न शाम्यति मानवः ॥ ५॥

મહર્ષિઓના,સાધુઓના અને યોગીઓના જુદા જુદા પ્રકારના મતોને સાંભળી,

--વૈરાગ્યને પામેલ કયો મનુષ્ય શાંત થતો નથી? (એટલે કે મનુષ્ય શાંત થાય છે) (૫)

 

कृत्वा मूर्तिपरिज्ञानं चैतन्यस्य न किं गुरुः । निर्वेदसमतायुक्त्या यस्तारयति संसृतेः ॥ ६॥

વૈરાગ્ય,સમત્વ અને યુક્તિ (યોગ વગેરે) દ્વારા,“ચૈતન્ય” ના “સ્વ-રૂપ” નું જ્ઞાન પ્રાપ્ત કરી,

જે પોતાને સંસારમાંથી તારે છે, (મુક્ત બને છે),

--તે શું પોતે જ પોતાનો ગુરૂ નથી ? (અથવા –શું તેને બીજા ગુરુની જરૂર પડે ?) (૬)

 

पश्य भूतविकारांस्त्वं भूतमात्रान् यथार्थतः । तत्क्षणाद् बन्धनिर्मुक्तः स्वरूपस्थो भविष्यसि ॥ ७॥

તું ભૂતો (જીવો) ના વિકારો (દેહ,ઇન્દ્રિયો વગેરેના કાર્યો) ને યથાર્થ (વાસ્તવિક) રીતે,

--તે જ જીવોમાં દેખ.(તેમ કરવાથી તે વિકારો થી ઉદ્ભવતી બંધનાત્મ્ક અશાંતિ,અસારતા તને દેખાશે)

--(ને આમ તું કરીશ ત્યારે) તે ક્ષણે જ તું બંધનમાંથી મુક્ત બની સ્વ-રૂપમાં સ્થિર બનીશ. (૭)

 

वासना एव संसार इति सर्वा विमुञ्च ताः । तत्त्यागो वासनात्यागात्स्थितिरद्य यथा तथा ॥ ८॥

વાસનાઓ જ સંસાર (બંધન) છે,તેથી તે બધી વાસનાઓનો ત્યાગ કર,

--વાસનાઓના ત્યાગથી,સંસારનો (બંધન નો) પણ ત્યાગ થઇ જશે,અને,

--જે સ્થિતિ (પરમપદની-મુક્તિની) થવી જોઈએ તે આજે જ (હાલ જ) થઇ જશે. (૮) 


પ્રકરણ-૯-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE