Dec 1, 2012

રામાયણ-૨૬

      PREVIOUS PAGE
     NEXT PAGE

કેવટ અભણ છે,પણ તે જે વાત કરે છે-તે એક ભણેલાને પણ પાછા પાડી દે તેવી છે.
રામજી ને એ જોતાની સાથે ઓળખી ગયો છે, રામજી ને એણે ભરપૂર પ્રેમ કર્યો છે.
કેવટ રામના રાજ્યાભિષેક વખતે તેના ઉપકાર નો બદલો લેવા ગયો નથી.

પરંતુ રામજી એ યાદ રાખી ગુહક ના મારફતે પ્રસાદ મોકલાવ્યો છે. અતિસંપત્તિ માં પણ રામજી –
કેવટ ના પ્રેમને ,કેવટ ના ઉપકાર ને ભૂલ્યા નથી. ગુહક ને કહ્યું છે-કે-
“હું તમારે ગામ આવેલો ત્યારે કેવટ મને ગંગાપાર લઇ ગયો હતો,તેને આ વસ્ત્રો-આભૂષણો આપજો,
તેણે મારી બહુ સેવા કરી છે.” વસ્ત્ર-આભુષણ આપી-યાદ રાખી- રામજી એ કેવટનું સન્માન કર્યું છે.

દુઃખ માં કોઈએ પ્યાલો ભરી ને પાણી આપ્યું હોય તો પણ તેણે ભૂલવું ન જોઈએ. ભગવાન જયારે
સુખ નો દહાડો આપે ત્યારે તેને યાદ રાખવું –અને બને તો તેમનું સન્માન કરવું જોઈએ.

ગંગાજી  પાર કરી ને આગળ ચાલ્યા છે.
આગળ રામ,વચ્ચે સીતા અને પાછળ લક્ષ્મણ. લક્ષ્મણજી સીતા-રામ ના ચરણો માં દૃષ્ટિ રાખી ને ચાલે છે.
રામ-લક્ષ્મણ ની વચ્ચે સીતાજી કેવાં શોભે છે ? જાણે કે બ્રહ્મ અને જીવ ની વચ્ચે માયા.

લક્ષ્મણજી રામ-સીતાના ચરણ (ચરણ ની પડેલી છાપ) ને બચાવી ને ચાલે છે. પગદંડી પર બહુ  જગ્યા
રહેતી નથી એટલે લક્ષ્મણ પગદંડી ની બહાર કાંટા પર ચાલે છે.
રામજી થી આ જોવાતું નથી. એટલે ક્રમ ફેરવ્યો છે.પહેલાં લક્ષ્મણ પછી સીતા અને પાછળ રામ.

રસ્તામાં મુકામ કર્યો છે.ગામના લોકો રામ-સીતાના દર્શન કરવા આવે છે.
ગામની સ્ત્રીઓ સીતાજી ને પૂછે છે-આ બે છે-એમાં “તમારા” કોણ છે ?
સીતાજી એ કહ્યું-કે ગોરા છે તે મારા દિયર છે,રામજી નો પરિચય આપ્યો નથી માત્ર આંખ થી ઈશારો કરે છે.

શ્રુતિ પણ પરમાત્મા નું વિધિ થી નહિ પણ નિષેધપૂર્વક વર્ણન  કરે છે-“ન ઇતિ ન ઇતિ”

ભગવાન ધીરે ધીરે પ્રયાણ કરે છે.પ્રયાગરાજ માં પધાર્યા છે.ત્રિવેણી સંગમ માં સ્નાન કર્યું.
પ્રયાગ રાજ ના મહાન સંત ભરદ્વાજ મુનિ નો ત્યાં આશ્રમ છે.પ્રભુ આશ્રમ માં પધાર્યા છે.
ભરદ્વાજ મુનિ ને અતિ આનંદ થયો છે-કહે છે-કે-આજ સુધી જે સાધન કર્યું તેનું ફળ આજે મળી ગયું.
આપનાં દર્શન થી મારી તપશ્ચર્યા સફળ થઇ છે.”

સર્વ સાધન નું ફળ છે ભગવાન ના દર્શન.
ભગવદ દર્શન વગર શાંતિ મળતી નથી કે જીવન સફળ થતું નથી.

એક રાત્રિ પ્રભુએ ત્યાં મુકામ કર્યો –બીજે દિવસે સવારે રામચંદ્રજીએ ભરદ્વાજમુનિ ને કહ્યું-તમારા શિષ્યો
અમને વાલ્મીકિઋષિ નો આશ્રમ નો રસ્તો બતાવવા સાથે આવે તેવો પ્રબંધ થઇ શકે તો કરો.
ચાર ઋષિકુમારો સાથે આવે છે અને રામજી વાલ્મીકિ ઋષિ ના આશ્રમ માં પધાર્યા છે.

વાલ્મીકિ એ રામકથા સમાધિ-ભાષા માં લખેલી છે.રામજી ના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણ લખ્યું છે.
વાલ્મીકિ આદિ કવિ છે.કહે છે-કે વાલ્મીકિ ના મુખમાંથી પહેલો શ્લોક નીકળેલો.
વાલ્મીકિ ને અતિશય આનંદ થયો છે,કહે છે-કે-તમારા નામનો આશ્રય કર્યો,તેથી આપે કૃપા કરી.અને
આજે મારે ત્યાં પધાર્યા છો.

રામજી કહે છે-કે-આપ તો ત્રિકાળદર્શી છો.

      PREVIOUS PAGE
     NEXT PAGE