Jan 27, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-62



સૃષ્ટિ ના આરંભમાં એ "પર-બ્રહ્મ-રૂપ-આકાશ" માં એ "આકાશજ" બ્રાહ્મણ રહેલો છે.અને એને-
દેહ,કર્મો,કર્તા-પણું,કે વાસના-કંઈ પણ નથી,અને શુદ્ધ ચિદાકાશ-રૂપ,જ્ઞાનઘન,પ્રભારૂપ અને વ્યાપક છે.
તેને પૂર્વ-જન્મ ની વાસનાઓ ની કાંઈ પણ જાળ નથી.
જો એના ચિત્ત ની વૃત્તિ બહિર્મુખ ન હોય તેઓ તે હમણાં જેવો જોવામાં આવે છે,તેવો પણ જોવામાં આવે નહિ.

આથી પર-બ્રહ્મ ના જ્ઞાનથી,વિષયનું મિથ્યા-પણું જાણવામાં આવે તો-પછી,વિષયો ને જાણનારી સર્વ લાગણીઓ,પણ ચૈતન્ય-રૂપ થઇ જાય,એટલે પછી,તેમાં,પંચ-મહાભૂતો નો સંભવ જ ક્યાંથી અને કેવો હોય?
તો,હે મૃત્યુ,તું એ આકાશજ બ્રાહ્મણ ને દબાવવાનો પ્રયત્ન જ કરીશ નહિ,
કારણકે આકાશ કોઈ સમયે અને કોઈથી પણ પકડી શકાતું નથી.

વશિષ્ઠ કહે છે કે-યમ ની આવી વાત સાંભળીને, મૃત્યુ વિસ્મય પામ્યો અને પાછો પોતાના સ્થળે ગયો.
રામ કહે છે કે-આ,તો આપે સ્વયંભૂ,અજન્મા,એકાંતમાં અને વિજ્ઞાન-રૂપ -એવા મારા પ્રપિતામહ,
બ્રહ્માની જ કથા (આકાશજ બ્રાહ્મણ નું ઉદાહરણ આપીને) કહી છે એમ હું ધારું છું.

વશિષ્ઠ કહે છે-કે-હે,રામ,તમે ધારો છો તે સાચું છે.મેં બ્રહ્માની જ વાત કહી છે. બે મનુઓ ના સંધિ-કાળમાં ,
મૃત્યુએ જયારે બ્રહ્મા ને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે યમરાજા એ -તેને ઉપર મુજબ સમજ આપી હતી.
જે કામ નિત્ય કરવામાં આવતું હોય,તે કામ માં જ રુચિ વધતી જાય છે,એ સ્વાભાવિક છે,
આથી સર્વ ને મારતા મૃત્યુ ને બ્રહ્મા ને મારવાનું પણ મન થયું હતું.
પણ બ્રહ્મા તો પર-બ્રહ્મ-રૂપ છે.મૃત્યુ તેને શી રીતે દબાવી શકે?

બ્રહ્મા નું શરીર કેવળ મનોમાત્ર અને સંકલ્પમાત્ર છે.અને પૃથ્વી આદિ પંચમહાભૂતો થી રહિત છે.
બ્રહ્મા  એ-પર-બ્રહ્મ ચિદાકાશ ના -"ચમત્કાર-રૂપ" છે.અને અનુભવ-રૂપી આકારવાળા છે-તેથી તે પરબ્રહ્મ જ છે.અને તેમને (બ્રહ્માને) કારણ-પણું કે કાર્ય-પણું કાંઈ જ નથી.

જેમ સંકલ્પ થી ઉત્પન્ન થયેલા પુરુષને પૃથ્વી આદિ પંચભૂતો નો સંબંધ હોતો નથી, અને,તે,
જેમ આકાશ માં સ્ફુર્યા કરે છે,તેમ,બ્રહ્મા પણ પર-બ્રહ્મ માં સ્ફુર્યા કરે છે.
જેમ,સ્વપ્નમાં તથા સંકલ્પમાં -પંચ મહાભૂતો સાથે સંબંધ થયા વિના -નગર-વગેરે દેખાય છે,
તેમ,બ્રહ્મા પણ પંચમહાભૂત થી રહિત હોવા છતાં દેખાય છે.

પરમાત્મા માં દૃશ્ય કે દ્રષ્ટા કાંઈ નથી,કેવળ ચૈતન્ય-પણું જ છે,તો પણ,તેમાં બ્રહ્મા પ્રતીત થાય છે.
મન નું તે રૂપ સંકલ્પ માત્ર જ છે,તે પંચમહાભૂતો સાથે જોડાયેલું નથી,અને તે મન જ  બ્રહ્મા કહેવાય છે.
માટે બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ પુરુષ છે.અને તેમાં પૃથ્વી-આદિ પંચમહાભૂત નથી.
જેમ,ચિત્ર ચિતરવાનો પ્રારંભ કરતાં પહેલાં ચિતારા ના મનમાં દેહ વિનાનું પુતળું ખડું થાય છે,
તેમ,પરમાત્મા ના નિર્મળ મનમાં બ્રહ્મા ભાસે છે.

જે પરમાત્મા ચિદાકાશ રૂપ છે,કેવળ છે,અને આદિ,મધ્ય અને અંત થી રહિત છે,
તે જ પરમાત્મા (બ્રહ્મ) અજ્ઞાન ને લીધે જાણે આકારવાળા પુરુષ (બ્રહ્મા) જેવા જોવામાં આવે છે,
વાસ્તવિક રીતે વિચારતાં,તો જેમ વાંઝણી ને પુત્ર હોઈ શકે નહિ,તેમ,પરમાત્મા ને દેહ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE