Jan 28, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-63



(૩) મનના સંકલ્પ થી થયેલું જગત મિથ્યા છે.

રામ કહે છે કે-પૃથ્વી આદિ પંચભૂતો થી રહિત અને શુદ્ધ જે મન છે તે જ બ્રહ્મા છે -
એમ તમે જે કહી ગયા તે વાત અનુભવમાં આવે છે,
પરંતુ મારાં-તમારાં તથા બીજા પ્રાણીઓનાં શરીરો ની ઉત્પત્તિ માં જેમ વાસનાઓ કારણભૂત છે
તેમ બ્રહ્મા ની ઉત્પત્તિ માં પણ તેમના પૂર્વ-જન્મ ની વાસનાઓ કેમ કારણ-ભૂત ના હોય? તે વિષે મને કહો.

વશિષ્ઠ કહે છે કે-જેને ભોગવવાનાં "પૂર્વ-કર્મ વાળો -પૂર્વદેહ" હોય તેને આ દેહની ઉત્પત્તિ થવામાં -
પૂવદેહ ની વાસનાઓ કારણરૂપ હોય છે .પણ,
બ્રહ્માને તો પૂર્વદેહ જ નહોતો,અને તેને લીધે તેમણે પૂર્વ નું કોઈ જ કર્મ નહોતું.
એટલે,પછી,બ્રહ્મા ને પૂર્વ દેહની વાસનાઓ અને વાસનાઓ ને લીધે દેહ કેમ હોઈ શકે?
આથી,બ્રહ્મા નું શરીર -"સહાય આપનારાં કારણો" વગર જ પ્રકાશે છે.
અથવા-આપણી "કલ્પના-રૂપ કારણ"ને લીધે જ પ્રકાશે છે.
બાકી,યથાર્થ જ્ઞાન-વાળા બ્રહ્મા તો પોતાના કારણ-રૂપ ચિદાકાશ થી ભિન્ન રૂપ નથી જ.
હે,રામ,અજન્મા અને સ્વયંભૂ-એવા એ બ્રહ્મા નો જે દેહ છે તે,લિંગ-દેહ જ છે,ભૂતમય સ્થૂળ દેહ નથી.

રામ કહે છે કે-સર્વ પ્રાણીઓને લિંગદેહ અને સ્થૂળદેહ -એમ બે દેહ છે.
ત્યારે બ્રહ્મા ને એક લિંગ દેહ  જ છે,તો તેનું કારણ શું?

વશિષ્ઠ કહે છે કે-સઘળાં પ્રાણીઓનાં શરીર પંચમહાભૂતો વાળાં છે,તેથી તેમણે બબ્બે દેહ છે પણ ,
બ્રહ્મા પોતે તો સહ-કારી (સહાય આપનારાં) "કારણ" થી રહિત છે.તેથી તેમણે એક લિંગ-દેહ છે.
બ્રહ્મા સઘળાં પ્રાણીઓ ના કારણ-રૂપ છે,પણ બ્રહ્મા નું કોઈ કારણ નથી,તેથી તે એક દેહવાળા છે.

આમ,બ્રહ્મા કે જે ચિદાકાશ-રૂપ,માત્ર ચિત્તરૂપ શરીરવાળા છે અને એ આદ્ય-પ્રજાપતિ થી સઘળી પ્રજા
ઉત્પન્ન થઇ છે,એટલે તે સઘળી પ્રજાઓ પણ ચિદાકાશ-રૂપ જ છે.અને
બ્રહ્મા ના "સંકલ્પ" સિવાય બીજા કોઈ કારણોથી  તે સઘળી પ્રજા ઉત્પન્ન  થતી નથી.

આમ,બ્રહ્મા જેમ "બ્રહ્મ-રૂપ" છે તેમ સઘળી પ્રજા પણ બ્રહ્મ-રૂપ છે.કારણકે-
જે જેમાંથી ઉત્પન્ન થયું હોય છે,તે તે રૂપ જ હોય છે-એવો સઘળાઓ નો  અનુભવ છે.
જેમ,વાયુથી ઉત્પન્ન થતી ચલન-રૂપ સૃષ્ટિ -એ વાયુ થી જુદી નથી,
તેમ,બ્રહ્મા થી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પણ બ્રહ્મથી જુદી નથી.તે બ્રહ્મ-રૂપ જ છે.

એ બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ છે.તેથી તે જગતની પેઠે કર્માધીન નથી.આથી તે જન્મતા કે મરતા નથી
સંકલ્પ થી થયેલા "પુરુષ-રૂપ" અને પૃથ્વી-વગેરે પંચ-મહાભૂતો થી રહિત એ બ્રહ્મ કેવળ "ચિત્ત(મન)માત્ર" છે,
અને સઘળાં બ્રહ્માંડો ની ઉત્પત્તિ ના કારણ-રૂપ છે.
જે જે પ્રકારે એ બ્રહ્મા નો સંકલ્પ થાય તે તે પ્રકારે જગત પ્રગટ થતું જાય છે.
એટલે આ જગત એ પ્રાતિભાસિક (સંકલ્પ થી કલ્પેલી) છે,તો પણ તેનું આ રૂપ મનુષ્ય દૃઢપણે ભૂલી જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE