Feb 17, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-83


(૬) ---તે પછી "અહંકાર" ના "એક-દેશ-સમાન" અને "ચલન-શક્તિ" વાળો "વાયુ" ઉદય પામે છે.
"અહંકાર વાળી -એ જ બ્રહ્મ-સત્તા " એ-"આકાશ ની તન્માત્રા-રૂપ શબ્દ" ની ભાવનાને લીધે-
આકાશ કરતાં કંઈ ઘાટી થાય છે અને "શબ્દ-રૂપે" પ્રતીત થાય છે. અને
એ "શબ્દ" એ ભવિષ્ય ના પદાર્થો (વેદ) નો "વાચક" થાય છે.
કે જે "શબ્દ-સમૂહ" ના વૃક્ષના બીજ-રૂપ છે, અને "વેદ-રૂપે" પ્રકાશ પામે છે.અને
તે વેદનાં "પદો-વાક્યો-પ્રમાણો" એ નામથી ઓળખાય છે.

આ રીતે-"વેદ-રૂપ-પણા" ને પામેલા "બ્રહ્મ-તત્વ" માં થી સઘળું જગત ઉત્પન્ન થાય છે.
જે જે શબ્દો નો ઉદય થાય-તે તે શબ્દો ના વાચ્ય (વાંચન-પ્રમાણે) પદાર્થો-રૂપે -
એ જ (પદાર્થ-રૂપી) તત્વ પ્રતીત થાય છે.

(૭)---એક જાતના વાયુ-રૂપ "પ્રાણ" (પ્રાણ-વાયુ) ને ધારણ કરવાથી -
એ "બ્રહ્મ-સતા" (પરમ-સત્તા) "જીવ" કહેવાય છે.અને-
--ભવિષ્યમાં અનેક-રૂપ-વાળા જુદાજુદા "દેહો" ના લાભ થી-
"જીવ" ના વ્યષ્ટિપણાથી-જીવના અનેક "સમુહો" પેદા થાય છે. અને તે-
--ભવિષ્યમાં "ચૌદ-બ્રહ્માંડો" રહે છે,એટલે તેમના (તે જીવોના) ચૌદ પ્રકારો  છે.

આ રીતે "પ્રાણ-વાયુ" સાથે સંબંધ ધરાવનારા એ (ચૌદ-પ્રકારના) "જીવો" -એ-
"ચૈતન્ય" માંથી (નીકળી) "બ્રહ્માંડો-રૂપી" ખાડાઓ માં પડે છે.

(૮)---જેમાં પ્રથમ "નામ-કે-ગતિ" એવું કંઈ જ હોતું નથી-
એવું એક "ચૈતન્ય"  તરત જ "પ્રકાશ" પામીને--ક્ષણમાં -ભાવનાથી-"સ્પર્શ-રૂપ" થાય છે.અને
આ "સ્પર્શો ના સમૂહ-રૂપી-વૃક્ષ" ના "બીજ-રૂપ" એ "ચૈતન્ય" પવનો (આવહ-પ્રવહ-વગેરે) રૂપ થાય છે.
અને આ "પવનો-રૂપ" બનેલા "ચૈતન્ય" માંથી -
સર્વ પ્રાણીઓ (જીવો)  ની "ક્રિયા-રૂપ-ગતિ" (કર્મો) ચારે તરફ વિસ્તાર પામે છે.

(૯)--- એ જ "ચૈતન્ય" માં "પ્રકાશ" ની ભાવનાને લીધે-"પ્રકાશ" (તેજ) નો અનુભવ થાય છે.
અને તે "તેજ" માં ભવિષ્યના "રૂપ" અને "સમષ્ટિ-ભૂત-રૂપ" નો અનુભવ થાય છે.
"રૂપ" માંથી જ-"સૂર્ય-અગ્નિ" -વગેરે "વ્યષ્ટિ (વિશાળ)-રૂપો"  (તેજ) ઉત્પન્ન થાય છે.
અને આ જુદાજુદા "વ્યષ્ટિ-રૂપો" ના ભેદ થી સંસાર ફેલાય છે.

(૧૦)---એ જ "ચૈતન્ય" પોતે "હું જળ ના રસ ના સમુદાય-રૂપ છું"
એવી ભાવના ને લીધે "રસ-રૂપ" થઇ જાય છે.
રસ-ના સમુદાય-રૂપ અમુક પદાર્થ નો સ્વાદ લેતાં જે પ્રતીતિ થાય છે-તેનું નામ-"રસ-તન્માત્રા"
પરસ્પર સ્વાદો ની વૃદ્ધિ થતા સંસાર આગળ વિસ્તરે છે.
(૧૧)---એ જ "ચૈતન્ય" પોતે જયારે "હું પૃથ્વી છું" એવો સંકલ્પ કરે છે-ત્યારે
એવી ભાવનાને લીધે-તે ભવિષ્ય ના "પૃથ્વી"  ના વિભાગો ને યોગ્ય થઈ જાય છે.
અને સંકલ્પ ને લીધે જ તે પોતાના માં "ગંધ-પણા" ને જુએ છે.
"ભવિષ્ય ના ભૂગોળ-પણા" માટે "પ્રાણીઓ ની આકૃતિ"ઓ નું તે બીજ છે.

અને સર્વના આધાર એ -"પૃથ્વી-રૂપી" ચૈતન્યમાંથી ભવિષ્યમાં "સંસાર" વિસ્તાર પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE