Feb 18, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-84


આ રીતે -ઉપર મુજબ-બતાવેલ જુદાજુદા ભૂતો (આકાશ-વાયુ-તેજ-જળ-પૃથ્વી) ના
"અહંભાવ" (અહંકાર) ને પામેલું,"ચૈતન્ય" જ "ભાવના" કરે છે,અને-તેથી
"તન્માત્રાઓ" (શબ્દ-સ્પર્શ-વગેરે) પરસ્પર એકઠી થઈને-
જેમ,પાણી માં પરપોટા થાય છે-તેમ,તે "ચૈતન્ય" માં જ નિત્ય-અનેક બ્રહ્માંડ (પદાર્થ) રૂપો પોતાની
મેળે જ પેદા થાય છે,અને એ પદાર્થો નો જ્યાં સુધી નાશ થઇ જતો નથી,ત્યાં સુધી,તે પદાર્થો-
સ્પષ્ટ રીતે જુદા ના પાડી શકાય તેમ એકઠા મળી ને રહેલા છે.

ઉપર કહેલા સર્વ પદાર્થો એ-"પર-બ્ર્રહ્મ" માં જ રહેલા છે.
જેમ,એક સૂક્ષ્મ-બીજમાં અનેક વડ રહેલા છે,અને તે અનેક-રૂપે,શાખાઓ-રૂપે ઉત્પન્ન થાય છે-
તેમ,બ્રહ્મ-રૂપ બીજમાં પણ અનેક બ્રહ્માંડો રહેલા છે,અને તે અનેક રીતે ઉત્પન્ન થાય છે, તથા,
સેંકડો શાખાઓથી સ્ફૂરે છે.

પરમાણુજેવા એ "સૂક્ષ્મ-બ્રહ્મ" માં માયા (પ્રપંચ) ને લીધે એ બ્રહ્માંડો પ્રતીત થાય છે અને
ક્ષણમાત્રમાં તો તે વધી જાય છે.
આ સઘળાં બ્રહ્માંડો- એ "ચૈતન્ય" ના વિવર્ત-રૂપ જ છે અને એમ હોવાથી તે "નિર્વિકાર" છે.

આ જે તન્માત્રાઓ (શબ્દ-સ્પર્શ-વગેરે) નો સમૂહ છે -તે "સંકલ્પ-રૂપ-પણા" ને પામેલ "ચૈતન્ય" જ છે.
એ ચૈતન્ય -એ પોતે નિર્વિકાર છે છતાં પોતાની જ્ઞાન-શક્તિ થી -પોતાના માં
જગત ને ત્રસરેણુ (ત્રણ અણુ) સમાન દેખે છે.

જગત નું બીજ "પાંચ-તન્માત્રાઓ"  (શબ્દ-સ્પર્શ-વગેરે) છે.
તે તન્માત્રાઓ નું બીજ-પરમાત્મા ની સાથે સાક્ષાત સંબંધ ધરાવનારી "માયા-શક્તિ" છે.
અને એ "માયા-શક્તિ" નું બીજ પરમાત્મા (બ્રહ્મ) જ છે. એમ વિદ્વાનો નો સર્વદા અનુભવ છે-
માટે જે જગત છે તે અજ અને આદિ-રૂપ બ્રહ્મ જ છે
અને આ જગત એ "બ્રહ્મ" ના "વિવર્ત-રૂપ" જ છે.

(૧૩) "બ્રહ્મ" ને "જીવ" ભાવ ની પ્રાપ્તિ

વશિષ્ઠ કહે છે કે-હે રામ,જેમાં આકાશ-તેજ કે અંધકાર થયા નહોતા -એવા -
ચિદ્રુપ,વિસ્તીર્ણ અને સ્વ-રૂપે સ્થિર રહેલા નિર્વિકાર "પરબ્રહ્મ" માં -
--દૃશ્ય પદાર્થો રૂપે પ્રતીત થવાના સ્વ-ભાવને લીધે-પ્રથમ-"વિષયો ની કલ્પના" ઉઠી.
--તે પછી,ચિત્ત-રૂપે પ્રતીત થવાને લીધે-"ચિત્ત ની કલ્પના" ઉઠી.
--પછી,દ્રશ્યો ની સાથે સંયુક્ત થઈને જીવ-રૂપ પ્રતીતિ થવાના સ્વ-ભાવને લીધે "ચિત્તની કલ્પના" ઉઠી,

--પછી દ્રશ્યો ની સાથે એકરૂપ-પણું પ્રતીત થવાની "અહંભાવ ની કલ્પના" ઉઠી.
--પછી,અહંભાવ ની વૃદ્ધિ થવાથી "બુદ્ધિ-પણા ની કલ્પના" ઉઠી.
--એવી જ રીતે શબ્દ-વગેરે વિષયોનું મનન કરનાર મન (અને બીજા કેટલાક ભાવો) ની કલ્પના ઉઠી,
--પછી,શબ્દ-વગેરે તન્માત્રાઓ નું પંચીકરણ થવાથી વૃદ્ધિ પામેલ અને તેથી સ્થૂળ-પણા ને પામેલ,
તે મનમાંથી,આવી રીતનો -બ્રહ્માંડ -વગેરે રૂપ મોટો ગોટો ઉત્પન્ન થયેલ જોવામાં આવે છે.

જેમ સ્વપ્ન માં બાંધ્યા વિનાનું નગર તરત ઉત્પન્ન થાય છે,
તેંમ આ ક્રમ પ્રમાણે તરત જ એ ગોટો ઉત્પન્ન થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE