Feb 22, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-88



આ જગત "અધિષ્ઠાન-રૂપે સત્ય" છે,બાધરહિત છે,અખંડિત છે,આદિ-અંત થી રહિત છે,જ્ઞાન-માત્ર છે,
અને આકાશ ની પેઠે સ્વચ્છ છે.
તે "પર-બ્રહ્મ" માં "બ્રહ્મા" એ "શૂન્ય-રૂપ" જ છે.
પણ જે "પર-બ્રહ્મ" છે તે જ -સર્વદા "શૂન્ય" એવા "બ્રહ્મા-રૂપે" પ્રકાશે છે.
એ "બ્રહ્મા" એ "બ્રહ્મ" (પર-બ્રહ્મ)ના મનોમય શરીર-વાળા છે.પણ "પાંચ-મહાભૂત-શરીર" વાળા નથી.
પૃથ્વી-વગેરે પદાર્થો, એ "બ્રહ્મા" ના "સંકલ્પ" થી થયેલા છે-માટે તે સત્ય નથી.
પણ સસલા ના શિંગડા -જેવા અજાત પદાર્થો જેવા છે.

(૧૪) બ્રહ્મ ની સત્તા નું વર્ણન

વશિષ્ઠ કહે છે કે-એ રીતે જગત અને અહંકાર -વગેરે કંઈ પણ દૃશ્ય ઉત્પન્ન થયું નથી.અને
ઉત્પન્ન થયેલું નહિ હોવાને લીધે-તે મુદ્દલ છે જ નહિ. જે કંઈ છે તે "બ્રહ્મ" જ છે.

જેમ,સમુદ્ર નું જળ તરંગ-પણા ને પ્રાપ્ત થાય છે,તેમ "બ્રહ્મ"  એ પોતે જ પ્રથમ "જીવ-પણા" ને પ્રાપ્ત
થાય છે,પણ, એ રીતે "જીવ-પણું" ધારણ કરવાથી,તેનું "બ્રહ્મ-પણું" મટી જતું નથી.
જેમ,સંકલ્પ-રૂપ-ચૈતન્ય ની વૃત્તિ,"સ્વપ્ન ના પર્વત" વગેરે ને પ્રિય માને છે,
તેમ,ભ્રાંતિ થી આ "વિરાટ-દેહ" ને પણ પ્રિય માને છે.

આ જે મોટો "વિરાટ-દેહ" છે તે પૃથ્વી-આદિ થી રહિત છે,મનોમય જ છે અને ચૈતન્યમાત્ર બ્રહ્મમય જ છે.
આ વિરાટ દેહ એ કોઈ પણ જગ્યાએ નિશ્ચિત હોય તેમ નથી અને સ્વપ્ન ના પર્વત જેવો છે.
સ્વપ્નમાં દેખાયેલું નગર જો સ્થિર રહે,તો આ વિરાટ-દેહ સ્થિર રહે,એમ છે.
ચિત્રકાર ના મનમાં રહેલું ચીતરવાનું સૈન્ય જો સ્થિર રહે તો-આ વિરાટ-દેહ સ્થિર રહે તેમ છે.
તે "બ્રહ્મ-રૂપ" વિરાટ-દેહ -તે ઉત્તમ સ્તંભ માં વણ-કોતરાયેલી પૂતળી-રૂપ છે.

પહેલા પ્રજાપતિ-એ -"બ્રહ્મા" કહેવાય છે.
તે પણ પૂર્વ-કાળ નાં કર્મ આદિ -કોઈ કારણો નહિ હોવાને લીધે-કારણો વિનાના જ છે.
પૂર્વ-કાળ ના સઘળા બ્રહ્માઓ (દરેક "કલ્પ" ના બ્રહ્માઓ) મહા-કલ્પો ના અંતમાં મુક્ત જ થઇ જાય છે.
માટે આ "કલ્પ" ના બ્રહ્માનાં પૂર્વ-કર્મો ક્યાંથી હોય?
જેમ,દર્પણ માં પ્રતિબિમ્બિત પદાર્થ એ મિથ્યા છે,તેમ બ્રહ્મમાં પ્રતીત થયેલા "બ્રહ્મા" પણ મિથ્યા જ છે.
તે-દૃશ્ય નથી,દ્રષ્ટા નથી,સ્ત્રષ્ટા(સર્જન કરનાર) નથી કે સૃજ્ય (સર્જન કરેલી વસ્તુ) પણ નથી.

જેમાં સઘળાં નામ-રૂપો ની કલ્પના થાય છે એવું "બ્રહ્મ" એક જ છે.
જેમ એક દીવામાંથી અનેક દીવાઓ ઉદય પામે છે,તેમ એક બ્રહ્મ માંથી અનેક જીવો ઉદય પામે છે.
જે,એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નાઓનો ઉદય થાય છે,
તેમ હિરણ્યગર્ભમાંથી "વિરાટ"નો ઉદય થાય છે.(હિરણ્યગર્ભ-Ref=Chapter-82)
અને એ "સંકલ્પ-માત્ર વિરાટ"માંથી વ્યષ્ટિ-દેહ નો ઉદય થાય છે.
આથી વિરાટ અને વ્યષ્ટિ-દેહ -પૃથ્વી આદિથી રહિત જ છે.

પ્રથમ "સંકલ્પ-રૂપ -એ એક વિરાટ" માંથી,જે "બીજા સંકલ્પો-રૂપ જીવો" ઉદય પામે છે,
તેમની ઉત્પત્તિ માં બીજાં કોઈ "સહાયકારી કારણો" હોતાં નથી.તેથી તે "જીવો" એ વિરાટ-રૂપ જ છે.
સહાયકારક કારણો ન હોય તો,"કાર્ય" અને "કારણ" એક જ હોય છે.
આથી,બ્રહ્મમાંથી,આ જે ભ્રાંતિ-રૂપ સૃષ્ટિ ઉદય પામી છે,તે બ્રહ્મ થી ભિન્ન નથી.

"સૃષ્ટિ" વિરાટ થી અભિન્ન છે,અને વિરાટ-એ-બ્રહ્મ થી અભિન્ન છે.માટે "જીવ" એ "બ્રહ્મ" છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE