Feb 23, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-89


શ્રીરામ પૂછે છે કે-જીવ એક છે કે અનંત છે? અથવા જીવનો કોઈ પર્વત જેવો સમષ્ટિ પિંડ છે -કે-
તેમાંથી મેઘ ની ધારાઓ ની પેઠે,સમુદ્રમાંની જળકણો ની પેઠે,અથવા તો
તપેલા લોઢામાંથી નીકળતા અગ્નિ ના તણખાઓ ની પેઠે-"જીવો" નીકળ્યા કરે છે?
હે,ભગવન,મને તમે જીવના સમુહો કેમ બને છે તેનો તમે નિર્ણય કહો.
જો કે તમારા કહેવાનો અભિપ્રાય ઘણો ખરો તો મારા સમજમાં આવી જ ગયો છે,તો પણ ,
નિશ્ચય ને માટે,તમે એ વિષય નું સ્પષ્ટ-પણે વિવેચન કરો.

વશિષ્ઠ કહે છે કે- જીવ "એક" પણ નથી તો પછી અનંત હોવાનો તો સંભવ જ ક્યાંથી હોઈ શકે?
આ તો "સસલાનું શિંગડું ઉડીને ચાલ્યું"  એવી તમે  વાત કરો છો.
હે,રાઘવ,જીવ-એક- નથી,જીવોના  સમુહો પણ નથી,અને જીવનો પર્વત જેવો કોઈ સમષ્ટિ-પિંડ પણ નથી.

સઘળાં પ્રતિભાસોવાળા જે કોઈ જીવો દેખાય છે,તેઓ કોઈ છે જ નહિ,
એવો આ વિષયમાં તમે પાકો નિશ્ચય રાખો."શુદ્ધ,નિર્મળ,ચૈતન-માત્ર અને વ્યાપક એક "બ્રહ્મ" જ છે,
એ બ્રહ્મ સઘળી "શક્તિ"ઓ વાળું હોવાથી -તે દ્રશ્યો-રૂપે ભાસે છે.

પરબ્રહ્મ-એ-પોતાની સત્તાનું -જ-જીવ,બુદ્ધિ,ક્રિયા,ચલન,મન,દ્વિત્વ (બે) એકત્વ (એક) -વગેરે વડે જે-
અનુસંધાન  કરતું દેખાય છે તે -અજ્ઞાન- થી જ થાય છે,
અને જો -જ્ઞાન- થાય તો-સઘળી સત્તા બ્રહ્મ-રૂપે જ અવશેષ રહે છે.
"આત્મ-બોધ" થી એ -અજ્ઞાન- ટળી જાય છે,પણ તે આત્મ-બોધ થવો બહુ દુર્લભ છે.
જેમ,દીવો થતાં અંધકારનો ક્યાંય પત્તો મળતો નથી,તેમ,બોધ થતાં અજ્ઞાન પણ દૂર થઇ જાય છે.

આ પ્રમાણે જે જીવ છે તે જ -વિભાગરહિત,અખંડિત,સઘળી શક્તિવાળું,અને આદિ -અંત-રહિત,
એવું "બ્રહ્મ" જ છે.જે કંઈ જીવ અને જડ આદિ ભેદ દેખાય છે તે વાસ્તવિક રીતે બ્રહ્મ જ છે.

રામ પૂછે છે કે-હે,બ્રહ્મન,જેમ તમે કહો છો તેમ જ હોય તો,સઘળાં જીવો સમષ્ટિ-રૂપે એક જ છે,
તો પછી,"એક"  જીવ ની ઇચ્છાથી "સઘળાં" જીવો ને કેમ સુખ-દુઃખાદિ થતાં નથી?

વશિષ્ઠ કહે છે કે-"વ્યષ્ટિ-રૂપ" વિભાગો થયા પહેલાં જ -
સઘળી શક્તિ-વાળા-એવા એ "સમષ્ટિ-વિરાટ" ની એવી ઈચ્છા હોય છે કે-
"સઘળાઓમાં હું એક જ સાચા સંકલ્પ-વાળો રહું,મારા વિના બીજા કોઈના સંકલ્પો સાચા થાય નહિ"
અને આથી તે -સમષ્ટિ-વિરાટ-નિરંતર - જેવી ઈચ્છા કરે છે કે- તરત-તે પ્રમાણે જ થાય છે.
પણ વ્યષ્ટિ જીવો ની ઈચ્છા પ્રમાણે થતું નથી.

એ "સમષ્ટિ-વિરાટે" પછીથી ઉદય પામનારા અને પોતાના અંશ-રૂપ "વ્યષ્ટિ-જીવો" ની ક્રિયાના "ક્રમ' ને
માટે આવો નિયમ કર્યો કે-"તેઓની ક્રિયાઓ-અમુક રીતથી અને અમુક સાધનો થી જ થાય.પણ
સંકલ્પ-માત્ર થી થાય નહિ"
આમ છતાં,કોઈ સમયે-રીત અને સાધનો વિના-પણ કોઈ મહર્ષિ વગેરે (વ્યષ્ટિ-જીવ) ની ઓ
સંકલ્પ-માત્ર થી સિદ્ધ થતી હોય કે થતી દેખાય તો ત્યાં-
સંકલ્પ સિદ્ધ કરવાની સમષ્ટિ-વિરાટ ની જ ઈચ્છા છે-એમ માનવું.
કોઈ પણ "જીવ" ની "ક્રિયા" (કર્મ) તેની "શક્તિ" પ્રમાણે જ ફલિત થાય છે.
અને તે "સમષ્ટિ-વિરાટે" સ્થાપેલા નિયમો મુજબ જ થાય છે.

"વ્યષ્ટિ-જીવો" જો
---"ઉપાસના"-ના માર્ગે ચાલે-તો-જેમ,તાંબુ-એ ઔષધો થી પાકી ને અનુક્રમે "સોનું" થાય છે -
તેમ,તે "સમષ્ટિ-વિરાટ" (ઔષધ) ને પામીને-પાકીને- અનુક્રમે "બ્રહ્મ-રૂપે" થાય છે.
---"જ્ઞાન" ના માર્ગે ચાલે તો-જેમ તાંબુ પારસમણિનો સંયોગ થતાં તરત જ સોનું થાય છે-
તેમ તરત જ -એટલે કે અનુક્રમ -વિના જ "બ્રહ્મ-રૂપ" થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE