Jul 15, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-220



(૧૧૦) મન નો વૈભવ અને તેની શાંતિ
વશિષ્ઠ કહે છે કે-પરમ કારણ-રૂપ “સ્વ-સ્વરૂપ” ના અજ્ઞાન ને લીધે,તે "ચૈતન્ય" એ ચિંતવન કરવાને યોગ્ય
એવા કોઈ પદાર્થ નું ચિંતન કરે છે.અને એમ કરવાથી તે “કલ્પના”-એવું- નામ  ધારણ કરે છે
જેથી તે ચૈતન્ય અનેક પ્રકારના રૂપ ના વિચિત્ર પણા ને પામીને કલુષિત-પણા ને પામે છે.
અને તે ચૈતન્ય-એ અજ્ઞાનથી પેદા થયેલ મિથ્યા-રૂપ પદાર્થો અને સંકલ્પ-વિકલ્પ- રૂપી મનને
પામી ને મુંઝાય છે.કે જે મનોવૃત્તિ એ અસત્ છે
જે પ્રમાણે બાળક ભૂતનો વિસ્તાર કરે છે તે પ્રમાણે,તે મન હજારો દોષથી દુઃખ નો વિસ્તાર કરે છે.
જો,કલંક-વાળી મનોવૃત્તિ  દુઃખ નો વિસ્તાર કરે છે તો-વાસનાનો ક્ષય થયા પછી,નિષ્કલંક થયેલી
મનોવૃત્તિ તે મહા-દુઃખોનો નાશ કરે છે,તે દુરના પદાર્થને પાસે લાવે છે ને પાસેના પદાર્થને દૂર લઇ જાય છે.
જેમ બાળક રમકડાં મળ્યાથી તે  રમકડાંમાં નાચે છે,તેમ મન એ પ્રાણીમાત્રમાં નાચે છે.
જેમ,અંધારામાં માર્ગમાં ચાલતા વટેમાર્ગુને –દુરથી ઝાડનું ઠુંઠું પિશાચ-રૂપ લાગે છે,
તેમ,અજ્ઞાનીને પોતાના મનથી અભયમાં પણ ભય લાગે છે.
જેમ દારુ પીને મદોન્મત થયેલા ને પૃથ્વી ભમતી લાગે છે,તેમ,કલંક થી મલિન થયેલું મન,
મિત્રમાં પણ શત્રુ ની શંકા કરે છે.મનુષ્ય નું મન જયારે આકુળ હોય ત્યારે,જો અમૃત નું પણ
ઝેર  ના ભાવથી ભોજન કરવામાં આવ્યું હોય તો તે ભોજન એ ઝેર ના જેવું જ કામ કરે છે.

વાસના એ જ પ્રાણીમાત્ર ના મનને મોહના કારણ-રૂપ છે,માટે વાસનાને મૂળમાંથી કાપી નાખવી જોઈએ.
જે મનુષ્યે વિચાર કરીને વાસનાનો ત્યાગ કર્યો હોય,તે મનુષ્યમાં આત્મા સૂર્ય ની જેમ પ્રકાશે છે.
એટલા માટે દેહ નહિ પણ મન એ જ મનુષ્ય છે તેમ સમજો.મન વડે જે કર્યું તે જ કર્યું અને મન વડે જેનો
ત્યાગ કર્યો તેનો જ ત્યાગ થાય છે.આ સમગ્ર જગત તથા ભૂમંડળ એ મનોમાત્ર છે.
મન એ જ આકાશ ,પૃથ્વી,ને વાયુ છે.અગ્નિ માં તેજ અને સૂર્યમાં જે પ્રકાશ છે તે પણ મનથી જ કલ્પિત છે.
જે મનુષ્ય નું મન મોહ પામે તે જ મનુષ્ય મૂઢ કહેવાય છે,કારણકે- શરીરનું મરણ થયા પછી
“શબ એ મૂઢ છે” એમ કોઈ કહેતું નથી.
મન જયારે જુએ છે ત્યારે તે નેત્ર (આંખ) થાય છે,મન જયારે સાંભળે છે ત્યારે તે કાન થાય છે,
સ્પર્શ કરે છે ત્યારે ત્વચા (ચામડી) થાય છે,સુંઘે છે ત્યારે નાક અને રસ ગ્રહણ કરે ત્યારે જીભ થાય છે.
આ પ્રમાણે નટ (નાટ્ય-કલાકાર) જેમ બહુ વેશ ધારણ કરે છે,તેમ મન એ દેહમાં બહુ વૃત્તિઓ થી
બહુ જાતના વેશ ધારણ કરે છે.
મનુષ્યને ચિત્ત-વૃત્તિમાં જેવો પ્રતિભાસ થાય છે,તેવો જ પ્રત્યક્ષ અનુભવ થાય છે.અને તેવા પ્રતિભાસ ને લીધે જ સ્વપ્ન થી આકુળ ચિત્ત-વાળા હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિ બાર વર્ષ ની થઇ પડી હતી.
જેવી રીતે,સવારે રાજ્ય મળવાનું છે –એવા બંદીવાન ને સવારે રાજ્ય મળશે એવી મનમાં આશા હોવાથી,
તે બંધન પણ સુખ-રૂપ લાગે છે,તેવી રીતે,સારી મનોવૃત્તિ વડે રૌરવ નર્ક પણ સુખ-રૂપ થઇ પડે છે.
જેમ,મોતીના હારમાં થી દોરો બળી જાય છે તો બધાં મોતી વિખરાઈ જાય છે,
તેમ,મન ને જીતવાથી સર્વ ઇન્દ્રિયો જીતાય છે.
તે ચિત્ત-શક્તિ-રૂપ બ્રહ્મ તો પોતાની સત્તાથી વાણી-વગેરે સર્વ ક્રિયાથી શૂન્ય છે,તેમ છતાં,
તે બ્રહ્મને,પણ “મન” એ - દેહ સમાન જડ બનાવી,તેની
અંદર, સંકલ્પ-વગેરેની ભ્રાંતિ થી અને
બહાર-પર્વત, નદી,સમુદ્ર,આકાશ-વગેરે ની કલ્પના કરાવી-વ્યર્થ ભમાવે છે.
મન વિવેક-વાળું હોય તો પણ,તે મન,પોતાની ઇષ્ટ વસ્તુને (જો કે તે સારી ના હોય તો પણ)
અમૃત સમાન મધુર બનાવે છે.અને સારી વસ્તુને વિષ-તુલ્ય બનાવે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE