Jul 26, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-231


વશિષ્ઠ કહે છે કે-લવણ રાજાને મન ના ભ્રમ થી ચંડાળ-પણું કેવી રીતે પ્રાપ્ત થયું હતું,
તે વિષે હું તેમનું તમને એક ઉત્તમ વૃતાંત કહું છું તે તમે સાંભળો.
લવણ-રાજા એ હરિશ્ચન્દ્ર ના કુળમાં જન્મ્યા હતા.
એક દિવસ તેમણે એકાંત માં એવો વિચાર કર્યો કે-
મારા દાદાએ મોટો રાજસૂય યજ્ઞ કર્યો હતો,અને હું પણ તેમના કુળમાં જન્મેલો છું,માટે,
હું પણ “માનસિક-યજ્ઞ” કરું.આમ વિચારી તેણે માનસિક રાજસૂય યજ્ઞ કર્યો
એટલે  તે પછી તે યજ્ઞ નું સંપૂર્ણ ફળ (યજ્ઞ કરવાનું દુઃખ-એટલે અહીં કહેલ ચંડાળ-દશા) તેને મળ્યું.


(નોંધ-આગળ આવે છે- કે-રાજસૂય યજ્ઞ કરનારને ૧૨ વર્ષ સુધી મોટું દુઃખ ભોગવવું પડે છે.
અને માનસિક રાજસૂય યજ્ઞ કરનારને તે શારીરિક યજ્ઞ કરનારથી પાંચ ગણું દુઃખ ભોગવવું પડે છે,
એટલે લવણ-રાજાને ૬૦ વર્ષ સુધી ચંડાળ-દશાનું દુઃખ ભોગવું પડ્યું-એમ કહેવા નો ઉદ્દેશ છે)
હે,રામ,આમ, મન છે તે જ સુખ-દુઃખ ને ભોગવનાર છે તેમ તમે સમજો.
અને તે મન ને સત્ય અને પવિત્ર ઉપાયમાં જોડો.
આ મન જો આત્મા નું અવલંબન કરીને રહે છે તો તે,સપૂર્ણ થાય છે.પણ,
જો તે નાશાત્મક-દેહમાં પ્રતિષ્ઠા પામીને રહે છે તો તેનો નાશ થાય છે.
માટે જો મનમાં “હું દેહ છું” એવો નિશ્ચય હોય તો તેનો ત્યાગ કરો.
હે,રામ,આ પ્રમાણે,સાર-અસાર-વિવેક વાળા ચિત્ત ને જયારે સત્ય-જ્ઞાન થાય છે,
એટલે તે બ્રહ્મ-બુદ્ધિ વાળા મનુષ્યના સર્વ દુઃખ નો મૂળ સહિત નાશ થઇ જાય છે.
(૧૧૬) યોગ-ભૂમિકા કહેવાનો પ્રારંભ
રામ કહે છે કે-હે,બ્રહ્મન,લવણ-રાજાને ઇન્દ્રજાળ કરનાર ની માયામાં ચંડાળ-દશાનું દુઃખ ભોગવવું પડ્યું,તે રાજસૂય યજ્ઞના નિમિત્ત નું ફળ છે,એમ તમે જે કહ્યું તેનું શું પ્રમાણ છે?
વશિષ્ઠ કહે છે કે-જયારે ઇન્દ્રજાળ કરનાર તે મનુષ્ય સભામાં આવ્યો ત્યારે હું ત્યાં હાજર હતો.
અને મેં તે પ્રત્યક્ષ જોયું છે.


લવણ-રાજાએ જયારે પોતાની ચંડાળ-દશાનું વર્ણન કરી રહ્યા ત્યારે,
તે ઇન્દ્રજાળ કરનાર મનુષ્ય અચાનક ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે રાજાએ મને પૂછ્યું કે-
મારે આ ચંડાળ-દશાનો અનુભવ કરવો પડ્યો તેનું શું કારણ છે?
ત્યારે સમાધિ દશામાં યોગ-બળ થી સઘળું નજરે જોઈને મેં તેને ઉત્તર આપ્યો કે-


રાજસૂય યજ્ઞ કરનાર ને બાર વર્ષ સુધી આપત્તિ ભોગવવી પડે છે,
અને તેમાં અનેક પ્રકારની વ્યથા રહેલી છે.એટલા માટે જ,આકાશમાં થી ઇન્દ્ર-દેવતાએ,
એક દેવ-દૂતને તમને દુઃખ આપવા સારું,ગારુડિક (જાદુગર) ના વેશમાં મોકલ્યો હતો.
અને તે દેવદુત તમને મહા-આપત્તિ નો અનુભવ કરાવ્યા પછી આકાશ-માર્ગે પાછો ચાલ્યો ગયો.
હે,રામ,આ પ્રમાણે મેં તમને મેં મારી નજરે જોયેલું છે તે કહ્યું છે એટલે તેમાં કોઈ જ સંદેહ નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE