Jul 28, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-233


પ્રથમ ઉત્પન્ન થયેલી “બ્રહ્મા ની મન-શક્તિ”
--તેની પાસે રહેલા “આકાશની શક્તિ” નો આધાર લે છે.અને
--તે આકાશમાં રહેલી  “પવન-શક્તિ” ને અનુસરે છે.જેથી,
  તે કંઈક “ચલન-રૂપ-ઘાટા-સંકલ્પ-પણા” ને પામે છે.
--ત્યાર પછી-શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-અને ગંધ-એ “તન્માત્રા” સહિત,
 પૃથ્વી-જળ-તેજ-વાયુ-અને આકાશ,એ પંચમહાભૂતને પામે છે.
--ત્યાર પછી,એ મન,બુદ્ધિ,અહંકાર અને ચિત્ત-વગેરે
   મનની  "જીવ-ઉપાધિ" થી સ્થૂળ "પ્રકૃતિ-રૂપ" થાય છે.
 અને આકાશ,પવન,તેજ અને જળના “રૂપ ના સંકલ્પથી” ક્રમ-પૂર્વક “હિમ-રૂપે” (ઘન-રૂપે) થાય છે.
--ત્યાર પછી,ઔષધિઓમાં પ્રવેશ કરીને,પ્રાણીના “ગર્ભ-પણા”ને પામે છે.
--ત્યાર પછી,જન્મ થાય છે અને તે પુરુષ થાય છે.
પોતાનો જન્મ થાય ત્યારથી જ –એટલે કે બાલ્યાવસ્થા થી જ પુરુષે –વિદ્યા-ગ્રહણ કરવી,
તે વિદ્યા (જ્ઞાન) થી વિવેક-વૈરાગ્ય વગેરે સાધન-સંપત્તિ-પુરુષ ને ક્રમ-પૂર્વક પ્રાપ્ત થાય છે.
અને તેથી સ્વચ્છ દૃષ્ટિ પ્રાપ્ત થતાં,”આ સંસાર-અનર્થ નો ત્યાગ કરવા યોગ્ય છે" તથા  
"મોક્ષ નો ઉપાય ગ્રહણ કરવા યોગ્ય છે” એવો વિચાર તે પુરુષને ઉત્પન્ન થાય છે.
એ પ્રમાણે-વિવેક-વાળા ,નિર્મળ સત્વ-ગુણ રૂપ,અધિકારી,પુરુષમાં  –ક્રમ-પૂર્વક,
ચિત્ત ને પ્રકાશ કરનારી-એવી “સાત-યોગ ભૂમિકા” ઉત્પન્ન થાય છે.
(૧૧૭) સાત-પ્રકાર ની અજ્ઞાન-ભૂમિકા નું વર્ણન
રામ કહે છે કે-હે,બ્રહ્મન,સિદ્ધિ આપનારી તે સાત-યોગ-ભૂમિકા વિષે મને સંક્ષિપ્ત માં કહો.
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જ્ઞાન-ભૂમિકા અને અજ્ઞાન-ભૂમિકા પણ સાત છે.
અને તેના પરસ્પર વિરોધી એવા ભેદો અસંખ્ય છે.
”સ્વાભાવિક-પ્રવૃત્તિ-રૂપ-પ્રયત્ન કરવો” અને “દ્રઢતાથી વિષય-ભોગમાં એક-રસ થવું”
એ બંને-“અજ્ઞાન-ભૂમિકા”ના અસાધારણ “કારણ” કહેલાં છે.અને-
શાસ્ત્રમાં કહેલ “સાધન-ચતુષ્ટ્ય” સહિત,શ્રવણાદિ-પ્રયત્ન” તથા “મોક્ષ ના વિષયમાં એક-રસ થવું”
એ “જ્ઞાન-ભૂમિકા નું અસાધારણ “કારણ” કહેલ છે.
આ બંને અભિવૃદ્ધિ પામીને અનુક્રમે- “સંસારસુખ કે બ્રહ્મસુખ” ના ફળ ને ઉપજાવે છે.
પ્રથમ,હું તમને સાત અજ્ઞાન-ભૂમિકા ના પ્રકાર કહું છું તે તમે સાંભળો.
પછી તમને સાત જ્ઞાન-ભૂમિકા ના પ્રકાર સંભળાવીશ.
“સ્વરૂપાવ-સ્થિતિ” અને “મુક્તિ” એ ટૂંકમાં “જ્ઞાન નું લક્ષણ” કહેવાય છે.અને એથી-વિરુદ્ધ-
“સ્વ-રૂપ” માં “ભ્રષ્ટતા અને અહંકાર-પણું” એ ટૂંકમાં “અજ્ઞાન નું લક્ષણ” છે.

શુદ્ધ “સ્વ-ભાવ” નું જ્ઞાન થવાથી,જે માણસ પોતાના “સ્વ-રૂપમાં થી ચલાયમાન” થતો નથી.તેને,
“રાગ-દ્વેષ” નો ઉદય ના થવાથી,”અજ્ઞાન-પણું” થવાનો સંભવ નથી.
સ્વ-રૂપ થી ભ્રષ્ટ થવાને લીધે-અનાત્મ-પદાર્થમાં આત્મા નું જે તાદામ્ય થાય છે
તેના જેવો બીજો કોઈ “મોહ” થયો નથી અને થશે નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE