Sep 3, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-270


એ ચૈતન્ય એ સર્વ-વ્યાપક છે,એટલા માટે -જેમ કોઈ સમયે આપણાં અને પરાયાં સ્વપ્નો મળી જાય છે,
તેમ,જુદાજુદા સંસારો પણ પરસ્પર મળી જાય છે.
બ્રહ્મા-વગેરેને પણ પોતાના સ્વ-રૂપમાં જ ભ્રાન્તિને લીધે,
આ બ્રહ્માંડ- રૂપી લાંબુ અને મોટું સ્વપ્ન -પોતાની અંદર જ ઉઠેલું છે.

વાસના ના ઉદય પ્રમાણે વિવર્ત પામવાનું ચૈતન્ય માં સામર્થ્ય જ છે.અને,
જેમ,પાંદડાં-ફળો વગેરે તેના બીજમાં રહેલાં છે,તેમ સર્વ વાસનાઓ ચૈતન્યમાં જ રહેલી છે.

"જગત" ની અંદર "જીવ-રૂપ પરમાણુઓ" અને "જીવો" ની અંદર "જગત-રૂપ પરમાણુઓ" પ્રતીત થાય છે,
તે આશ્ચર્ય નથી-કારણકે-જીવ અને જગત એ બંને બ્રહ્મ-રૂપ હોવાથી,તે  આકાશ-તુલ્ય છે.

હે,રામ,આમ સમજી ને તમે "જગતોની અને જીવોનીપરસ્પરમાં સ્થિતિ કેમ સંભવે?"
માટે-એ ભ્રાંતિ ને છોડી દો.
ચૈતન્ય-રૂપ-જીવ, પોતાના જ અંશ-રૂપ દેશ,કાળ,ક્રિયાઓ અને દ્રવ્યો થી બનેલાં જગતને -
જાણે તે જગત,બીજાં હોય તેમ માની લે છે.પણ તે જગત કોઈ રીતે ભિન્ન સંભવતાં નથી.    

બ્રહ્મથી માંડી કીડા સુધીના જીવોને "સ્વપ્ન ની પેઠે",પોતાની અંદર પોતાની મેળે જ દેખાતા એ-
"ચૈતન્ય-રૂપ-અંશ-શરીર" -ને- ભ્રાંતિ થી "સ્થૂળ શરીર " માની લેવામાં આવ્યું છે.
જે કંઈ આ જગત સ્ફુરેલું છે,તેનો કોઈ પણ અંશ વાસ્તવિક રીતે બ્રહ્મ થી જુદો પડતો નથી.-
પણ,ચૈતન્ય ના સૂક્ષ્મ અંશો-રૂપી જીવો "પોતાના-રૂપ- જગતને" ભ્રાંતિ થી જુદું માનીને તેનો સ્વાદ લીધા કરે છે.
અત્યંત વિસ્તીર્ણ આકારવાળો આ "બ્રહ્માંડ-રૂપી-વન--ખંડ" કે જે ચૈતન્ય ના એક પરમાણુ-રૂપ છે,
તે અમસ્તો જ જોવામાં આવે છે.કારણકે-
દૃશ્ય (જગત) ના બીજ-રૂપ ચૈતન્ય-એ સર્વ-વ્યાપક છે,અને અવિનાશી છે.
તેમ છતાં,તે સઘળાં બ્રહ્માંડો ને જોવા માટે અજ્ઞાની જીવ પોતાથી બહાર જુએ છે,
અને જ્ઞાની જીવ તેમને પોતાની અંદર જુએ છે.

બ્રહ્માંડ-રૂપ-દ્વૈત ને જોવાનો ઘણા કાળ નો અભ્યાસ થવાને લીધે,જીવ,તે બ્રહ્માંડમાં -
પોતાની અધોગતિ-કે ઉર્ધ્વગતિ થયાનું ભ્રાંતિ થી જ માની લે છે.
જેમ,એક સ્વપ્ન પછી બીજા અને બીજા પછી ત્રીજા- એમ વારંવાર સ્વપ્ન ને જોયા કરતો મનુષ્ય,   
શિખર પરથી ધસી પડેલી શિલાની જેમ મોટા ખાડામાં જાણે કે અથડાયા કરે છે,
તેમ,એક સંસાર પછી,બીજા અને બીજા પછી ત્રીજા-એવા સંસારો ને જોયા કરતો અજ્ઞાની જીવ -
જન્મ-મરણ ના મોટા ખાડાઓમાં  અથડાયા કરે છે.    

વાસ્તવિક રીતે,અખંડ-તત્વ થી જુદા નહિ  પડતાં,અને જુદાંજુદાં શરીરો-રૂપે સ્ફુરેલા જીવોમાં -
કેટલાએક જ્ઞાની જીવો,-ભ્રાંતિ-રહિત-પોતાના  "સ્વ-રૂપ" માં જ રહ્યા છે,
કેટલાએક અજ્ઞાની જીવો દેહાદિક (શરીર-વગેરે) માં મળી ગયા છે,તો
કેટલાએક  જ્ઞાનીઓ બ્રહ્માંડ ને તથા જીવોને પોતાની અંદર ઉઠેલી ભ્રાંતિ-રૂપ જ સમજે છે-વળી,
તેઓ તો આ જોવામાં આવતા જગતને સ્વપ્ન જેવું મિથ્યા જ માને છે.

ચૈતન્ય સર્વ-વ્યાપક અને સર્વાત્મક છે,તેથી બ્રહ્માંડ નું બહાર જણાવું,એ-ચૈતન્ય ની સત્તા થી છે,
અને અંદર જણાવું તે પણ ચૈતન્ય ની સત્તાથી જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE