ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૨

શ્રીકૃષ્ણ કહે છે-કે-તારા સર્વ કર્મો,મન પૂર્વક મને અર્પણ કરી,મારામાં તત્પર (પરાયણ) થઇ,
મારામાં બુદ્ધિને પરોવી,સતત મારામાં ચિત્ત વાળો થા. (૫૭)
આવી રીતે મારામાં ચિત્ત ને સ્થિર કરીને,મારી કૃપાથી તુ બધી મુશ્કેલીઓમાંથી તરી જઈશ. પરંતુ જો-“અહંકાર” (અભિમાન) ને લીધે તુ મારું કહ્યું સાંભળીશ નહિ તો નાશ પામીશ. (૫૮)

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૧

અત્યંત શુદ્ધ બુદ્ધિથી, દૃઢતાપૂર્વક  પોતાને (પોતાની જાતને) નિયમમાં રાખીને,
વિષયો (શબ્દાદિક-વગેરે) નો અને રાગ-દ્વેષ (દ્વંદો)નો ત્યાગ કરીને, (૫૧)
એકાંત સેવનાર,અલ્પાહાર કરનાર,વાચા,કાયા તથા મનને અંકુશમાં રાખનાર,
ધ્યાનયોગમાં પરાયણ,એવો તે –નિત્ય વૈરાગ્યનો આશરો લઈને, (૫૨)
અહંકાર,બળ,દર્પ (ઉન્મત્તતા),કામ,ક્રોધ,પરિગ્રહને છોડીને-
મમતા વગરનો અને શાંત –એવો તે –બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે (૫૩)

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૦

જ્યાં સુધી કોઈ પણ મનુષ્યને આત્માનું  (પરમાત્માનું) જ્ઞાન થયું નથી ત્યાં સુધી તે 
–એક ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી.પ્રકૃતિ (માયા) ની શક્તિથી તેના ગુણો(સત્વ.રજસ,તમસ) ને લીધે જુદા જુદા “સ્વ-કર્મો” બન્યા અને તે –
“સ્વ-કર્મો” નું પાલન કરવાને લીધે “સ્વ-ધર્મ” બન્યા.(અહીં “સ્વ” શબ્દ બહુ મહત્વનો છે)
(નાના બાળકને માતા સિવાય કોઈ બીજાનો આધાર નથી,એટલે બાળકનું પાલન કરવું એ માતાનું “સ્વ-કર્મ” છે અને તે જ તેનો “સ્વ-ધર્મ” છે.બાળક મોટો થાય અને તે વખતે વૃદ્ધ માતાની સેવા કરવી તે તેનું “સ્વ-કર્મ” અને “સ્વ-ધર્મ” છે)

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૯

ગુણો (સત્વ-રજસ-તમસ)ના આધારે (કારણથી) બુદ્ધિ અને ધૃતિ (ધૈર્ય)ના પણ ત્રણ પ્રકારો છે.(બુદ્ધિ જયારે કર્મ કરવાનો નિશ્ચય કરે ત્યારે તે બુદ્ધિ-એ ધૃતિ (ધૈર્ય)ના નામથી ઓળખાય છે)
(૧) સાત્વિક બુદ્ધિ-પ્રવૃત્તિ (કર્મ માર્ગ) અને નિવૃત્તિ (સંન્યાસ માર્ગ) કોને કહેવાય? શું કરવું? અને શું ના કરવું?ભય શાથી છે? કે નિર્ભયતા શાથી છે? બંધન કેમ થાય છે? 
કે મોક્ષ કેમ થાય છે?આનો જવાબ જે બુદ્ધિ જાણે છે-તે સાત્વિક બુદ્ધિ કહેવાય છે.(૩૦)

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૮

કર્મની પ્રેરક (પ્રેરણા આપનાર) ત્રિપુટી-નીચે મુજબ છે.
(૧) જ્ઞાન (જેના વડે જાણવામાં આવે છે) (૨) જ્ઞેય(જાણવામાં આવનારી વસ્તુ)
(૩) જ્ઞાતા (જાણનાર)

કર્મના કારણ-રૂપ (કર્મનો પાયો-કર્મનો સંચય) ત્રિપુટી –નીચે મુજબ છે.
(૧) કરણ-(જે સાધનોથી કર્મ કરવામાં આવે-તે બાહ્ય અને આંતર ઇન્દ્રિય)
(૨) કર્મ (ક્રિયા) (૩) કર્તા (કર્મ કરનાર -કરણ પાસે વ્યાપાર કરાવનાર).(૧૮)

May 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૭

પાંચ કારણના યોગે “કર્મ”નો વિસ્તાર થાય છે.અને આ પાંચ કારણો જ કર્મના 
હેતુ-રૂપ છે.આત્મા તો ઉદાસીન કે દ્રષ્ટા છે-તે કર્મોનો સહાયક નથી.
જેવી રીતે રાત્રિ અને દિવસ આકાશમાં ઉત્પન્ન થાય છે,છતાં આકાશ તો તેમનાથી ભિન્ન જ હોય છે,તેવી રીતે પાંચ કારણોથી કર્મ-રૂપી વેલાઓની રચના થાય છે,
પણ આત્મા તો ભિન્ન જ હોય છે.

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૬

નિત્ય (નૈમિતિક) કર્મો,જન્મ-બંધનના કારણભૂત હોઈને,તે કર્મોનું યુક્તિપૂર્વક આચરણ 
કરીને –કર્મોના બંધનમાંથી મુક્ત થવાય છે,આ કર્મનો મર્મ તામસિક પ્રકૃતિવાળો ભ્રમિત મનુષ્ય સમજી શકતો નથી અને નિત્ય કર્મોનો ત્યાગ કરે છે-આમ,અજ્ઞાનથી 
નિત્ય (નૈમિતિક) કર્મોને ત્યજવામાં આવે તો તેને “તામસ ત્યાગ” કહે છે. (૭)

ગીતા રહસ્ય-૧૦૫-જ્ઞાનેશ્વરી-અધ્યાય-૧૮

અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસયોગ-૧
આ અધ્યાયના શરૂઆતમાં અર્જુન –શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે-કે-
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દો જુદા જુદા છે,પણ એ બંનેનો અર્થ તો 
“ત્યાગ” હોય એવું જ સમજાય છે. જો આ બંને શબ્દો માં ફરક હોય તો –
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દોનો સાચો અર્થ મને સમજાવો.(૧)

May 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૪

આ જે સર્વ દ્રશ્ય જગત છે,તે અસત્  હોવાથી-તે- સત્નું રૂપ નથી.પરંતુ 
જે સાચે જ સત્નું સ્વરૂપ (પરમાત્મા) છે-
તે સત્નું રૂપ દૃષ્ટિગોચર (દેખાતાં) થતાં –આત્મસ્વ-રૂપ ની પ્રાપ્તિ થાય છે.
કાર અને તત્-કાર થી “કર્મો” બ્રહ્મરૂપ થાય છે.કર્મો –સત્ (ઉત્તમ) બને છે,
તેમ છતાં

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૩

જે અનાદિ પરબ્રહ્મ છે,અને જે જગતનું તથા સર્વનું વિશ્રાંતિસ્થાન છે.
તેના –એક –જ-નામ –ના ત્રણ પ્રકાર છે.  તત્- સત્
ખરેખર તો તે બ્રહ્મનું કોઈ નામ કે કોઈ જાત નથી.
પરંતુ અજ્ઞાની જનોને તેમના અજ્ઞાનના અંધકારમાં
તે બ્રહ્મને ઓળખી શકે તે માટે વેદોએ તેને નામ આપ્યું છે.