PDF પુસ્તક વાંચવા અહી ક્લિક કરવાથી બીજી વિન્ડો ખુલશે.
તેમાં ડાબી બાજુ સહુથી ઉપર FILE ઉપર ક્લિક કરવાથી ડાઉનલોડ ની લીંક મળશે.
Feb 28, 2013
Feb 1, 2013
આત્મા-પરમાત્મા-ધર્મ
આત્મા-પરમાત્મા-ધર્મ-વગેરે- વિષે નો લેખ સંગ્રહ-અનુક્રમણિકા
- આત્માષ્ટકમ
- આકાશ =પરમાત્મા
- શું શરીર એ આત્મા છે ?
- જગત નો નિયંતા
- ભગવાન ક્યાં છે ?
- તરંગ
- પંચમહાભૂત
- રાજમાર્ગ -રાજયોગ
- ધર્મો
- ધર્મ ના નામે અધર્મ
- ધર્મ અને અધર્મ
- અંધારું
- સત્ય જ્ઞાન
- ગુરૂ
- લેપ ટોપ કોમ્પ્યુટર
- નિર્વિચાર અવસ્થા
- ઈચ્છાઓ અને મન
- માન્યતાઓ
- જ્ઞાન--અનુભવ --મન -એકાગ્રતા
- નીજાનંદ આનંદી.
- શરીર અને ઇન્દ્રિઓ
- સુખ અને શાંતિ ક્યાં છે ?
- શ્રીકૃષ્ણ જન્મ
દેહાધ્યાસ કેમ દૂર કરવો ?
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
દેહાધ્યાસ કેમ દૂર કરવો ?
દેહાધ્યાસ એટલે કે
હું દેહ (શરીર ) છું એવું માનવું તે .....
દેહાધ્યાસ દૂર કરવા ગીતા ના ષ્લોક નીચે મુજબ ના છે -
૨-૨૦
આ આત્મા
કોઈ કાળે નથી જન્મતો અને નથી મરતો
અથવા
ના આ આત્મા થઈને (નવો થઈને )પછી થવાનો છે
(કારણકે )
આ આત્મા
અજન્મા --નિત્ય --શાશ્વત (અને )પુરાતન છે .
શરીર નો નાશ થવા છતાં (તેનો) નાશ થતો નથી .
ઉદાહરણ તરીકે જ્ઞાનેશ્વર કહે છે કે ---
ઘટ(ઘડા ) માં ના આકાશ નો આકાર ઘટ જેવો જ છે પણ
ઘટ નો નાશ થતાં તે આકાશ નાશ પામતું નથી
૨-૨૩
આ આત્માને શસ્ત્રો વગેરે ના કાપી શકે છે (અને )
એને (આત્માને )આગ જલાવી શકતી નથી (તથા )
એને જળ ભીનું કરી શકતું નથી અને
એને વાયુ નથી સુકવી શકતો .
નોંધ-અહી ચાર મહાભૂતો એ બાકીના એક મહાભૂત (આકાશ ) ને અસર નથી કરી
શકતા એવું સમજી શકાય ??
આત્મા ને આકાશ સાથે સરખાવવાનું કેટલું યોગ્ય લાગે છે !!!!!
૨-૧૯
જે આ આત્માને
મારવા વાળો સમજે છે તથા
જે
એને મરેલો માને છે
તે બંને નથી જાણતા(સાચું નથી જાણતા-અજ્ઞાની છે) કે
આ આત્મા નથી મારતો કે નથી મરાતો.
વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ?
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
આપણે બધા મોટે ભાગે સુતા જ હોઈએ છીએ ----
હાલતા ચાલતા કે ખુલી આંખ હોવા છતાં પણ -----
સહુ પ્રથમ તો જાગવાનું છે,જાગી જઈએ તો બેડો પાર છે.
બધી જાતનું --પછી તે સાચું હોય કે ખોટું હોય --પણ "જ્ઞાન" આપણી પાસે હાજર છે -
આ 'જ્ઞાન' નો અનુભવ કરવાનો છે .અને' ઈશ્વર' એ 'અનુભવ' માત્ર છે.
પણ માનવી જાગે ક્યારે ?
પ્રબળ વૈરાગ્ય આવે તો માનવી જાગે .......
સંસાર માં આપણે એટલા આસક્ત છીએ કે 'વૈરાગ્ય' સૂઝતો નથી .
---કદી ક્યાંક --જ્યાં પણ આપણી આસક્તિ છે-- તે વ્યક્તિ કે પદાર્થ--
આપણને જયારે દગો દે ત્યારે --
અને
---ક્યારેક સ્મશાન માં વૈરાગ્ય આવી જાય છે .
પણ તે- ક્ષણીક- હોય છે.
આવા ક્ષણીક વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ??
ગીતા કહે છે -----આ બે સાર રૂપી શ્લોક વડે --(૫-૨૨)--(૧૩-૯)
----------------------------------------------------------------------------
ગીતા ૫-૨૨ -શબ્દાર્થ
ઇન્દ્રિયો અને વિષયો ના સંબધ થી થનારા (સંસ્પર્શજા)
જે ભોગ (સુખ અનુભવ )છે-- તે--
આદિ અને અંત વાળા છે (આદ્ય ન્ત વંત ) માટે
બુદ્ધિમાન પુરૂષ (બુધ:)
તેમાં રમતા નથી .(ન રમતે )
---------------------------------------------------------------------------
ગીતા ૧૩ -૯ -શબ્દાર્થ
વિષયોમાં ઇન્દ્રિયો ની વિરક્તિ (વૈરાગ્ય ) --
અહંકાર નો અભાવ (ના હોવું )--
જન્મ,મૃત્યુ,જરા(વૃધાવસ્થા )વ્યાધિ વગેરે માં રહેલા
દુખો નો વારંવાર વિચાર કરવો
------------------------------------------------.
આ જ વસ્તુ સમજવા જ્ઞાનેશ્વરે ઘણા ઉદાહરણો આપ્યા છે ----
વિષયો નું સુખ કે ભોગ શેના જેવા છે ??
--આકાશ માં થતી વીજળી ના ચમકારા થી જગત નો વ્યાપાર ચાલી
શકતો નથી (ક્ષણીક)
--મૃગજળ જોઈ તરસ્યા મૃગો તેની તરફ દોડે તો પાણી મળવાનું નથી
--માછલી પકડવાના હુક પર લગાડેલા માંસ ને જ્યાં સુધી માછલી
મો લગાડતી નથી ત્યો સુધી ઠીક છે
--પરું માં રહેલા કીડા ને પરુંની ધ્રુણા આવતી નથી
--વેશ્યા નું આચરણ પ્રથમ સુખદાયક હોય છે પણ પછી ......?GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
Subscribe to:
Posts (Atom)