May 24, 2026

Home Page

This Gujarati website is based on Hindu Philosophy.Please click on 
Index page to find out differnt subjects on Hindu Philosophy like..

Gita,Gyaneshvari Gita,Bhagvat,Ramayan,YogVasishth,Maharbharat,
Puran,Upnishad,Veda,Darshan shastro,Yog shastro,Bhakti yog,
Narad Bhakti sutro,Shankracharya Books,Santo,Stotro and lot more..
Loading…

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1140

 

અધ્યાય-૧૪૩-ભૂરિશ્રવાનો વધ 


 II संजय उवाच II स बाहुर्न्ययतदभूमौ सखड्गः सशुभांगदः I आदध्जीवलोकस्य दुःखमदभुतमुत्तमः II १ II

સંજય બોલ્યો-ભૂરિશ્રવાનો તે ઉત્તમ હાથ તલવાર અને સુંદર બાજુબંધ સહીત પૃથ્વી પર પડ્યો,તે જોઈને પ્રાણીમાત્ર અત્યંત ખિન્ન થઇ ગયાં.પોતાના શરીરને અર્જુને નકામું કરી નાખ્યું,એટલે ભૂરિશ્રવા સાત્યકિનો ત્યાગ કરીને અર્જુનની નિંદા કરતાં તેને કહેવા લાગ્યો કે-'હે કુંતાપુત્ર,ખેદની વાત છે કે તેં આ ક્રૂર કર્મ કર્યું છે.કારણકે મારી નજર ન હતી ને હું બીજા કાર્યમાં આસક્ત હતો ત્યારે તેં મારા બાહુને કાપી નાખ્યો છે.ધર્મપુત્ર યુધિષ્ઠિરને તું શું કહીશ?શું તું એમ કહીશ કે ભૂરિશ્રવા બીજા કાર્યમાં આસક્ત હતો ત્યારે મેં દગો કરીને તેને મારી નાખ્યો છે? 

May 23, 2026

ભાગવત રહસ્ય-૧૫૭-Bhgavat Rahasya-157

સમતા ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે-દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે-કે વધુ ખાશે અને પચશે નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1139

 

અધ્યાય-૧૪૨-અર્જુને કરેલો ભૂરિશ્રવાનો બાહુચ્છેદ 


 II संजय उवाच II तमापततं संप्रेक्ष्य सात्त्वतं युद्धदुर्मदम् I क्रोधाद्भूरिश्रवा राजन सहसा समुपाद्रवत II १ II

સંજય બોલ્યો-હે રાજન,તે પછી,યુદ્ધ દુર્મદ સાત્યકિને ધસી આવતો જોઈ,ભૂરિશ્રવા ક્રોધપૂર્વક તેની સામે ધસી ગયો ને તેને કહેવા લાગ્યો કે-'આજે તું મારી નજરે આવી ચડ્યો છે તે બહુ સારું થયું.આજના રણમાં હું લાંબા વખતથી ઈચ્છેલા મારા અભિલાષને પૂર્ણ કરીશ.આજે તું જો રણસંગ્રામનો ત્યાગ નહિ કરે તો મારી પાસેથી છૂટવાનો નથી.'ત્યારે સાત્યકિએ સામે કહ્યું કે-'આ રણમાં મને કોઈ વાણીના બકવાદથી ડરાવી શકે તેમ નથી,જે મને હથિયાર વિનાનો કરે તે જ મને મારી શકે તેમ છે.આજે હું તને માર્યા વિના રણમાંથી નિવૃત્ત થઈશ નહિ.તું આજે આ લોકમાં ઘણા સમયથી ઈચ્છેલા યુદ્ધને થવા દે.'

May 22, 2026

ભાગવત રહસ્ય-૧૫૬-સ્કંધ-૭-Bhgavat Rahasya-156-Skandh-7

છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ-અનુગ્રહની કથા આવી.ભગવદ-અનુગ્રહ થયા પછી-જીવ અનુગ્રહનો સદુપયોગ (વાસનાનો નાશ અને (પ્રભુસ્મરણમાં) કરે તો તે પુષ્ટ બને છે-અને દુરુપયોગ કરે તો તે દુષ્ટ બને છે.હવે આવશે-હિરણ્યકશિપુ અને પ્રહલાદ ની કથા.હિરણ્યકશિપુ -એ શક્તિ-સંપત્તિનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો-તેથી તે બન્યો દૈત્ય.પ્રહલાદે સમય, શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કર્યો-તેથી તે બન્યો દેવ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1138

 

અધ્યાય-૧૪૧-સાત્યકિને અર્જુનનાં દર્શન 


 II संजय उवाच II तमुद्यतं महाबाहु दुःशासनरथं प्रति I त्वरितं त्वरणीयेषु धनंजयजयैशीणम् II १ II

સંજય બોલ્યો-દુઃશાસનના રથ પ્રત્યે સજ્જ થયેલા,ઝડપથી કરવા યોગ્ય કાર્યોમાં ત્વરા વાળા અને અર્જુનના વિજયની ઈચ્છા રાખીને અનંત સેના સમુદ્રમાં દાખલ થયેલા એ મહાબાહુ સાત્યકિને જોઈને ત્રિગર્ત યોદ્ધાઓ,મોટા રથ સમુદાય વડે તેને ઘેરી વળ્યા.અને ક્રોધપૂર્વક સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.પણ સત્યપરાક્રમી સાત્યકિએ સામે બાણોનો મારો ચલાવીને એ પચાસ રાજકુમારોને જીતી લઈને એ ભારતી સેનાના મધ્ય ભાગમાં પ્રવેશ કર્યો.એ રણમાં અમે તે સાત્યકિનું અદભુત રણકૌશલ્ય અમે જોયું હતું કારણકે તે થોડીવાર પશ્ચિમમાં તો થોડીવારમાં પૂર્વમાં પણ ઘૂમી રહેલો દેખાતો હતો.સર્વ દિશાઓમાં જાણે નૃત્ય કરતો હોય તેમ તે પોતાના રથમાં ઘૂમી રહ્યો હતો ને વિનાશ સર્જાવતો હતો.