અધ્યાય-૯૩-આઠમો દિવસ (ચાલુ) સંકુલયુદ્ધ
॥ संजय उवाच ॥ विमुचोकृत्य सर्वास्तु तावकान्मुधिराक्षसः I जिधांसुर्भरतश्रेष्ठ दुर्योधनमुपाद्रवर ॥१॥
સંજયે કહ્યું-તે રાક્ષસ ઘટોત્કચ,તમારા સર્વ યોદ્ધાઓને પાછા હઠાવી દઈને દુર્યોધનને મારી નાખવાની ઈચ્છાથી તેની સામે વેગપૂર્વક ધસ્યો.તેને ધસી આવતો જોઈને તમારા પક્ષના મહારથીઓએ ફરી તેની સામે બાણોની વૃષ્ટિ કરીને તેને ચારે બાજુથી ઢાંકી દેવા લાગ્યા ને તેના પર બાણોથી પ્રહાર પણ કરવા લાગ્યા.તેમના પ્રહારથી વ્યથિત થયેલો તે રાક્ષસ આકાશમાં ઉડ્યો ને ભયંકર ગર્જનાઓ કરીને આકાશ,દિશાઓ અને વિદિશાઓને ગજાવી મૂક્યાં.એ ગર્જના સાંભળીને યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે-





