Dec 6, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1001

 

અધ્યાય-૧૧૭-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ 


 ॥ संजय उवाच ॥ शिखंडी तु रणे भीष्ममासाद्य पुरुषर्षभम् I दसभिर्निशितैर्मल्लैराजधान्सतनांतरे ॥१॥

સંજયે કહ્યું-શિખંડીએ રણસંગ્રામમાં પુરુષશ્રેષ્ઠ ભીષ્મ પાસે આવીને તીક્ષ્ણ એવાં દશ બાણોથી તેમને છાતીમાં પ્રહાર કર્યો.ત્યારે ભીષ્મ ક્રોધથી પ્રજ્વલિત થયેલી આંખો વડે જાણે શિખંડીને બાળી નાખતા હોય તેમ તેને જોવા લાગ્યા અને 'આ સ્ત્રી છે'એમ કહીને તેની પર તેમણે પ્રહાર ન કર્યો.તે વેળા,અર્જુન શિખંડીને કહેવા લાગ્યો કે-'હે વીર,તમે જલ્દી ભીષ્મ સામે ધસો ને તેમને હણી નાખો.હું તમને વારંવાર શું કહું? યુધિષ્ઠિરના સસૈન્યમાં તમારા સિવાય બીજો કોઈ યોદ્ધો જોવામાં આવતો નથી કે જે ભીષ્મ સામે યુદ્ધ કરવા શક્તિમાન થાય,આ હું તમને સત્ય કહું છું.'

Dec 5, 2025

ભાગવત રહસ્ય-૧૭-Bhgavat Rahasya-17

જીવનમાં કામસુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ ગયાં.મનુષ્ય પાસે કંઈ નથી ,છતાં ઠસક રાખે છે કે-હું પણ કાંઇક છું. વિદ્યાનું અને સંપત્તિનું તેને અભિમાન થાય છે. વંદન કરવું એ સહેલું નથી.વંદન કરવા એ ભક્તિ છે. જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી.વંદન-ભક્તિ અભિમાનથી ગઈ.સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1000

 

અધ્યાય-૧૧૬-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ अभिमन्युर्महाराज तवपुत्रमयोधत I महत्या सेनयायुक्तं भीष्महेतोः पराक्रमी ॥१॥

સંજયે કહ્યું-હે મહારાજ,પરાક્રમી અભિમન્યુ,મોટી સેનાને લઈને ઉભેલા તમારા પુત્ર દુર્યોધન સામે ભીષ્મનો પરાજય કરવા યુદ્ધ કરતો હતો.ત્યારે ક્રોધાયમાન થયેલા દુર્યોધને તેના પર પ્રહાર કરીને તેને છાતીમાં વીંધી નાખ્યો.સામે અભિમન્યુએ એક ભયંકર શક્તિ દુર્યોધન સામે ફેંકી,કે જેને દુર્યોધને બાણ મૂકીને ટુકડા કરી નાખી.પોતાની શક્તિને આમ વ્યર્થ થયેલી જોઈને અભિમન્યુએ દુર્યોધનના બંને બાહુઓમાં અને છાતીમાં પ્રહાર કરી તેને માર માર્યો.બંને વચ્ચેનું યુદ્ધ મહાઘોર ને અદભુત હતું.

Dec 4, 2025

ભાગવત રહસ્ય-૧૬-Bhgavat Rahasya-16

નારદજી કહે છે-કે- દુનિયામાં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.કલિયુગના દોષ જોતા –ફરતાં ફરતાં તે વૃંદાવન ધામમાં આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છા માં પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.મને થયું કે –આ કોણ હશે ? પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી—એમ માની હું આગળ ચાલ્યો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-999

 

અધ્યાય-૧૧૫-દશમો દિવસ (ચાલુ) મરણનો નિશ્ચય 


॥ धृतराष्ट्र उवाच ॥ कथं शान्तनवो भीष्मो दशमेहनि संजय I अयुध्यत महावीर्यः पांडवै: सह स्रुन्जयेः ॥१॥

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,એ દશમે દિવસે મહાપરાક્રમી શાંતનુકુમાર ભીષ્મ,પાંડવો અને સૃન્જયો સાથે કેવી રીતે લડ્યા?

તેમનું યુદ્ધ કેવી રીતે થયું હતું?ને કૌરવોએ યુદ્ધમાં આગળ વધતા પાંડવોને કેવી રીતે વાર્યા? 

Dec 3, 2025

ભાગવત રહસ્ય-૧૫-Bhgavat Rahasya-15

એક દિવસ ફરતાં ફરતાં નારદજી વિશાલાપુરીમાં જ્યાં સનત્કુમારો વિરાજતા હતા ત્યાં આવ્યા. નારદજીનું મુખ ઉદાસ જોઈને સનત્કુમારોએ નારદજીને તેમની ઉદાસીનું કારણ પૂછ્યું.
સનકાદિક -નારદજીને પૂછે છે—આપ ચિંતામાં કેમ છો ? તમે તો હરિદાસ છો.
શ્રીકૃષ્ણના દાસ કદી ના હોય ઉદાસ.
'મારી કોઈ નિંદા કરે-મને કોઈ ગાળ આપે—તે મારા કલ્યાણ માટે.- જે થાય છે તે મારા ભલા માટે થાય છે' એમ વૈષ્ણવો માને છે.વૈષ્ણવો સદા પ્રભુ ચરણમાં ,પ્રભુના નામમાં રહે છે.