May 22, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1138

 

અધ્યાય-૧૪૧-સાત્યકિને અર્જુનનાં દર્શન 


 II संजय उवाच II तमुद्यतं महाबाहु दुःशासनरथं प्रति I त्वरितं त्वरणीयेषु धनंजयजयैशीणम् II १ II

સંજય બોલ્યો-દુઃશાસનના રથ પ્રત્યે સજ્જ થયેલા,ઝડપથી કરવા યોગ્ય કાર્યોમાં ત્વરા વાળા અને અર્જુનના વિજયની ઈચ્છા રાખીને અનંત સેના સમુદ્રમાં દાખલ થયેલા એ મહાબાહુ સાત્યકિને જોઈને ત્રિગર્ત યોદ્ધાઓ,મોટા રથ સમુદાય વડે તેને ઘેરી વળ્યા.અને ક્રોધપૂર્વક સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.પણ સત્યપરાક્રમી સાત્યકિએ સામે બાણોનો મારો ચલાવીને એ પચાસ રાજકુમારોને જીતી લઈને એ ભારતી સેનાના મધ્ય ભાગમાં પ્રવેશ કર્યો.એ રણમાં અમે તે સાત્યકિનું અદભુત રણકૌશલ્ય અમે જોયું હતું કારણકે તે થોડીવાર પશ્ચિમમાં તો થોડીવારમાં પૂર્વમાં પણ ઘૂમી રહેલો દેખાતો હતો.સર્વ દિશાઓમાં જાણે નૃત્ય કરતો હોય તેમ તે પોતાના રથમાં ઘૂમી રહ્યો હતો ને વિનાશ સર્જાવતો હતો.

May 21, 2026

ભાગવત રહસ્ય-૧૫૫-Bhgavat Rahasya-155

ચિત્રકેતુ રાજાએ પછી તપશ્ચર્યા કરી અને ભગવાનના નામના જપ કર્યા. સગુણ ભગવાનના દર્શન થયા.રાજા મહાયોગી-મહાસિદ્ધ થયો. પ્રભુએ કૃપા કરી તેને પોતાનો પાર્ષદ બનાવ્યો.એક દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો.ફરતો ફરતો તે કૈલાશધામમાં આવ્યો. જોયું તો શિવજીની ગોદમાં પાર્વતીજી બેઠાં છે.તેમને આ પ્રમાણે બેઠેલા જોઈ ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1137

 

અધ્યાય-૧૪૦-રાજેન્દ્ર અલંબુષનો વધ 


II धृतराष्ट्र उवाच II अहन्यहनि मे दीप्तं यशः पतति संजय I हता मे वहवो योधा मन्ये कालस्य पर्ययम II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,દિવસે દિવસે મારો ઉજ્જવળ યશ નાશ પામતો જાય છે ને મારા ઘણા યોદ્ધાઓ માર્યા ગયા છે આથી હું માનું છું કે મારો કાળ પલટાયો છે.અશ્વત્થામા ને કર્ણના રક્ષણ તળે રહેલા અને દેવોને પણ દુર્ગમ એવા મારા સૈન્યમાં અર્જુન,સાત્યકિ ને ભીમ પેસી ગયા છે.તેમના પરાક્રમને વૃદ્ધિ પામતું હું સાંભળું છું ત્યારે શોકાગ્નિ મને બાળી રહ્યો છે.જયદ્રથ સહીત સર્વ રાજાઓને હું કાળથી ગ્રસિત થયેલા જ જોઉં છું.હવે આગળ થયેલા યુદ્ધનું  તું મને યથાર્થ કહી સંભળાવ.

May 20, 2026

ભાગવત રહસ્ય-૧૫૪-Bhgavat Rahasya-154

પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો- વૃત્રાસુર ભગવદભક્ત હતો તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ મળ્યો ? તેનો પૂર્વવૃત્તાંત કહો.શુકદેવજી વર્ણન કરે છે-વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો.તેની રાણી નું નામ કૃતધુતિ હતું. તેમને સંતાન નહોતું.ચિત્રકેતુ શબ્દનો ભાવાર્થ છે-ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ. કૃતધુતિ એ બુદ્ધિ છે.મન ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે છે-અનેક વિષયોનો વિચાર કરે છે-અને વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1136

 

પછી,કોપેલા ભીમસેને છોડેલાં બાણોનું સામે વારણ કરીને,કર્ણે મજબૂત ગાંઠાવાળાં કેટલાંક બાણો છોડીને,ભીમસેનના ધનુષ્યની દોરીને,ભાથાઓને,ઘોડાઓની લગામને જોતજોતામાં કાપી નાખીને તેના ઘોડાઓને પણ મારી નાખ્યા ને તેના સારથિને વીંધી નાખ્યો ત્યારે સારથિ ત્યાંથી ખસી જઈને એકદમ યુધામન્યુનાં રથ તરફ ચાલ્યો ગયો.ધનુષ્ય રહિત થયેલા ભીમસેને રથશક્તિ ગ્રહણ કરીને કર્ણના રથ સામે ફેંકી.કે જેને કર્ણે અધવચ્ચે જ તોડી પાડી.હવે ભીમસેને ઢાલ તલવાર હાથમાં લીધી.કર્ણે તે ઢાલના ટુકડા કરી દીધા એટલે ભીમે,તાકીને કર્ણના રથ સામે તલવાર ફેંકી,કે જેણે કર્ણના ધનુષ્યને કાપી નાખ્યું.

May 19, 2026

ભાગવત રહસ્ય-૧૫૩-Bhgavat Rahasya-153

કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે.સકામ કર્મમાં દેવ પર જબરજસ્તી થાય છે-“મારું આટલું કામ તમારે કરવું જ પડશે.”સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે.સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો-મનુષ્ય નાસ્તિક થાય છે.તેથી સકામ કર્મની નિંદા કરી છે.ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે.કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખવાનો-કે- મારા લાલાજી મારા પર પ્રસન્ન થાય.