અધ્યાય-૧૪૧-સાત્યકિને અર્જુનનાં દર્શન
II संजय उवाच II तमुद्यतं महाबाहु दुःशासनरथं प्रति I त्वरितं त्वरणीयेषु धनंजयजयैशीणम् II १ II
સંજય બોલ્યો-દુઃશાસનના રથ પ્રત્યે સજ્જ થયેલા,ઝડપથી કરવા યોગ્ય કાર્યોમાં ત્વરા વાળા અને અર્જુનના વિજયની ઈચ્છા રાખીને અનંત સેના સમુદ્રમાં દાખલ થયેલા એ મહાબાહુ સાત્યકિને જોઈને ત્રિગર્ત યોદ્ધાઓ,મોટા રથ સમુદાય વડે તેને ઘેરી વળ્યા.અને ક્રોધપૂર્વક સંખ્યાબંધ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા.પણ સત્યપરાક્રમી સાત્યકિએ સામે બાણોનો મારો ચલાવીને એ પચાસ રાજકુમારોને જીતી લઈને એ ભારતી સેનાના મધ્ય ભાગમાં પ્રવેશ કર્યો.એ રણમાં અમે તે સાત્યકિનું અદભુત રણકૌશલ્ય અમે જોયું હતું કારણકે તે થોડીવાર પશ્ચિમમાં તો થોડીવારમાં પૂર્વમાં પણ ઘૂમી રહેલો દેખાતો હતો.સર્વ દિશાઓમાં જાણે નૃત્ય કરતો હોય તેમ તે પોતાના રથમાં ઘૂમી રહ્યો હતો ને વિનાશ સર્જાવતો હતો.





