Sep 27, 2019

ભાગવત રહસ્ય-૭૬

જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને કુટુંબનું ભરણપોષણ –કરવામાં જાય-તેને- તે- જ અંતકાળે યાદ આવે છે.
એક ડોસો માંડો પડ્યો. તેનુ સમગ્ર જીવન દ્રવ્ય (કમાવવામાં-બચાવવામાં) પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો.છોકરાઓ બાપાને ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે’ બોલવાનું કહે છે. પણ બાપાના મુખમાંથી હરિનું નામ નીકળતું નથી. જિંદગીમાં કદી 
હરિનામ લીધું હોય તો હરિનામ યાદ આવે ને ? 

Sep 26, 2019

ભાગવત રહસ્ય-૭૫

માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દેતી નથી. માયા બે રીતે મારે છે. અનુકૂળ પરિસ્થિતિમાં વાસના વધે છે.પ્રતિકૂળ પરિસ્થિતિમાં મનુષ્ય હૈયું બાળે છે.
માટે ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહિ. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે.'કોઈ અડચણ ન રહે પછી ભક્તિ કરીશ' એમ માનવું એ અજ્ઞાન છે.

Sep 25, 2019

ભાગવત રહસ્ય-૭૪-સ્કંધ-૨

જગતમાં ગુરુ –સુલભ છે. પણ સદગુરુ મળવા દુર્લભ છે.
સદ(સત-સત્ય) એ પરમાત્માનું નામ છે. સર્વમાં ઈશ્વરનાં દર્શન કરે તે સદગુરુ.
પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી આપે તે-સદગુરુ.
માત્ર શબ્દોથી ઉપદેશ આપે તે ગુરુ.(આધુનિક-અત્યારના જમાનામાં આવા ગુરુ ઠેર ઠેર જોવા મળે છે)