Jan 14, 2020

ભાગવત રહસ્ય-૧૫૮

દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિના બે પુત્રો છે-અહંતા (હું) અને મમતા (મારું) 
સર્વ દુઃખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.અભેદભાવ શરીરથી નહિ-પણ બુદ્ધિથી થાય તો –સર્વ- માં -સમબુદ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે-અભેદ છે ત્યાં અભય છે.જ્ઞાની પુરુષો જગતને અભેદ ભાવથી જુએ છે. મારામાં જે ચૈતન્ય છે તે સર્વ માં છે.જયારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે.આ સારું છે-આ ખરાબ છે.—આ યુવાન છે આ વૃદ્ધ છે.-આ સ્ત્રી છે,આ પુરુષ છે.

Jan 13, 2020

ભાગવત રહસ્ય-૧૫૭

સમતા ઈશ્વરની છે-પણ જે વિષમતા દેખાય છે –તે માયાની છે.ઈશ્વરના અધિષ્ઠાનમાં (આધારમાં) માયા ક્રિયા કરે છે-એટલે માયા જે કાંઇ ક્રિયા કરે- તેનો આરોપ ઈશ્વર પર કરવામાં આવે છે.ઉદાહરણ તરીકે-દીવો કંઈ કરતો નથી પણ દીવો ન હોય તો કંઈ થઇ શકતું નથી.નાનો બાળક જમવા બેઠો હોય અને બાળક વધુ માગે –તો પણ મા તેને વધારે ખાવા આપતી નથી. મા વિચારે છે-કે વધુ ખાશે અને પચશે નહિ તો ઝાડા થઇ જશે, જયારે મા નો સોળ વર્ષ નો છોકરો બહારથી આવે તો વગર માગ્યે મા બે રોટલી વધારે આપશે.વિચારે છે કે બહાર રમવા જશે તો બધું પચી જશે અને છોકરો તગડો થશે. 

Jan 12, 2020

ભાગવત રહસ્ય-૧૫૬ –સ્કંધ-૭

છઠ્ઠા સ્કંધમાં પુષ્ટિ-અનુગ્રહની કથા આવી.ભગવદ-અનુગ્રહ થયા પછી-જીવ અનુગ્રહનો સદુપયોગ (વાસનાનો નાશ અને (પ્રભુસ્મરણમાં) કરે તો તે પુષ્ટ બને છે-અને દુરુપયોગ કરે તો તે દુષ્ટ બને છે.હવે આવશે-હિરણ્યકશિપુ અને પ્રહલાદ ની કથા.હિરણ્યકશિપુ -એ શક્તિ-સંપત્તિનો ઉપયોગ ભોગ ભોગવવામાં કર્યો-તેથી તે બન્યો દૈત્ય.પ્રહલાદે સમય, શક્તિનો ઉપયોગ પ્રભુભક્તિમાં કર્યો-તેથી તે બન્યો દેવ.