Feb 10, 2020

ભાગવત રહસ્ય-૧૮૫

સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલાં ઝેર નીકળ્યું.
મનને સ્થિર રાખી જે પ્રભુ પાછળ પડે છે-તો પહેલું ઝેર મળે છે.ભગવાન કસોટી કરે છે.ઝેર સહન કરે તો પછી અમૃત મળે છે.મહા પુરુષોએ ઝેર પચાવ્યું,દુઃખ સહન કર્યું-એટલે એમને ભક્તિરૂપી અમૃત મળ્યું છે.
નિંદા એ ઝેર છે,કર્કશ વાણી એ ઝેર છે.પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે.
દુઃખી થયા વગર આ ઝેર સહન કરવાનું છે. તો અમૃત મળે છે.

Feb 9, 2020

ભાગવત રહસ્ય-૧૮૪

શુકદેવજી વર્ણન કરે છે-એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા.
દુર્વાસા વૈકુંઠલોકમાંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.દુર્વાસાએ તે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ ગુમાનમાં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.હાથીની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગથી કચડવા લાગ્યો.દુર્વાસાને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે.
તેથી દુર્વાસાએ-ઇન્દ્રને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ.

Feb 8, 2020

ભાગવત રહસ્ય-૧૮૩

ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો.
પૂર્વજન્મ માં એણે જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે.
(ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે. સંસારી લોકોએ ગજેન્દ્રની સ્તુતિ નિત્ય કરવી જોઈએ.) “કાળ મને પકડવા આવ્યો છે.નાથ તમારે શરણે છું.” 
“દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી,તો બીજા સાધારણ જીવ 
તો તમને કેમ જાણી શકે ?  તમારું વર્ણન કેમ કરી શકે ?