Feb 16, 2020

ભાગવત રહસ્ય-૧૯૧

કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા કરવા ગયા છે.અદિતિ ઘરમાં એકલાં છે.પરમ પવિત્ર વિજયાદ્વાદશી નો દિવસ છે.માતા અદિતિ સમક્ષ વામન-ભગવાન પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ પડ્યો. કશ્યપને ખબર પડી-દોડતા દોડતા વામન ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે.માતપિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે. દર્શન કર્યા કે-ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદૃશ્ય થયું અને સાત વર્ષના બટુક વામન ભગવાન રૂપે પ્રગટ થયા છે. સુંદર લંગોટી પહેરી છે-દિવ્ય તેજ છે.

Feb 15, 2020

ભાગવત રહસ્ય-૧૯૦

શંકરાચાર્યે શતશ્લોકીમાં કહ્યું છે-કે –લોકો ચામડીની મીમાંસા કરે છે-
પણ આ દેહ જેનાથી સુંદર દેખાય છે-તે આત્માની કોઈ મીમાંસા કરતુ નથી.
જગત બગડ્યું નથી પણ જગતમાં રહેતા મનુષ્યોની આંખ-મન-બુદ્ધિ બગડ્યા છે.
દૃષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરશે. “ભાગવત- જગતને જોવાની આંખ અને દૃષ્ટિ આપે છે.”

Feb 14, 2020

ભાગવત રહસ્ય-૧૮૯

તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મનુ થયેલા.તેમના વખતમાં કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામનરૂપે અવતરેલા.
દેવ અને દૈત્યોના યુદ્ધ પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. શુક્રાચાર્યની સેવાથી દૈત્યોનું બળ વધવા લાગ્યું..પ્રત્યેક ઇન્દ્રિયથી સંયમનું પાલન કરે તે શુક્રની ઉપાસના છે.ઇન્દ્રથી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી પુષ્ટ થયો.શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું –તે પ્રમાણે તેણે વિશ્વજીત યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી સર્વજીત રથ નીકળ્યો.