Mar 24, 2020

ભાગવત રહસ્ય -૨૨૪

વશિષ્ઠ જી એ-મોક્ષ-મંદિરના ચાર દરવાજા બતાવ્યા છે.
(૧) શુભેચ્છા –શુભ પરમાત્માને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે.
(૨) સંતોષ- જે કંઈ મળ્યું છે-તેમા સંતોષ માનવો.
(૩) સ્વરૂપાનુસંધાન –પોતાના સ્વ-રૂપ ને ભૂલવું નહિ.લક્ષ્ય ને ભૂલે 
તે ચોર્યાસી લાખના ચક્કરમાં ભમે છે.
(૪) સત્સંગ-થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુની આત્મીયતા-સાનિધ્ય રહે છે.

Mar 23, 2020

ભાગવત રહસ્ય -૨૨૩

પછી રામચંદ્રજી ૧૬ વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળેલા.
જાત્રા કરીને આવ્યા પછી-તેમને વૈરાગ્ય થયો.
મરણ માટે જીવનો જન્મ થાય છે,અનાદિ કાળથી આ જીવ સંસારમાં રખડે છે, આ સંસારમાં કોને સુખ મળ્યું છે ? આ સંસારનું દુઃખ જોતાં ગભરામણ થાય છે.જેનો વિનાશ થવાનો છે-એવા વિષયો સાથે કોણ પ્રેમ કરે ? “મારે આ સંસાર છોડીને જવું છે”

Mar 22, 2020

ભાગવત રહસ્ય -૨૨૨

ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.