Mar 29, 2020

ભાગવત રહસ્ય -૨૨૯

રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરીમાં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ કર્યો છે.જનકપુરીના રાજા જનકને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે-એટલે તેમનું સ્વાગત કરવા તે –આવ્યા છે.ઋષિની સાથે કુમારોને જોઈને જનક વિચારે છે-કે-આ ઋષિકુમારો છે-કે રાજકુમારો ?
જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ?
વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?

Mar 28, 2020

ભાગવત રહસ્ય -૨૨૮

મારીચ આવ્યો હતો યજ્ઞમાં વિઘ્ન કરવા પણ રામજીના દર્શન માત્રથી તેની બુદ્ધિ સુધરી ગઈ છે-તે વિચારે છે-કે મારે રામ જોડે યુદ્ધ કરવું નથી.તેથી તે બીજા દ્વારે ગયો-ત્યાં પણ તેણે રામ-લક્ષ્મણને પહેરો ભરતા જોયા,ત્રીજા ચોથાના એ સર્વ દ્વાર પર રામજી જ દેખાય છે.મારીચને આશ્ચર્ય થાય છે.
યજ્ઞ કે કોઈ પણ સત્કર્મમાં –ઇન્દ્રિયોના પ્રત્યેક દ્વાર ઉપર રામને પધરાવવાથી તે સત્કર્મ પૂર્ણ બને છે.નામ-જપ કરવો,કથા સાંભળવી,મનથી નારાયણ ને મળવું,,, વગેરે પણ યજ્ઞો જ છે.ગરીબમાં ગરીબ માણસ પણ આ યજ્ઞ કરી શકે છે.

Mar 27, 2020

ભાગવત રહસ્ય -૨૨૭

અગ્નયે સ્વાહા,પ્રજાપતયે સ્વાહા-વિશ્વામિત્ર અગ્નિમાં આહુતિ આપે છે,
પણ નિહાળે છે-રામ-લક્ષ્મણ ને.બ્રાહ્મણ યજ્ઞ કરે ત્યારે તેની નજર અગ્નિ પર હોવી જોઈએ.બ્રાહ્મણ પરમાત્માના મુખ માં આહુતિ આપે છે.
શ્રુતિ વર્ણન કરે છે-કે-અગ્નિ એ પરમાત્માનું મુખ છે.અગ્નિરૂપી મુખથી પરમાત્મા આરોગે છે.અગ્નિની જ્વાળા એ પરમાત્માની જીભ છે.પણ અહીં વિશ્વામિત્ર આહુતિ યજ્ઞકુંડમાં અગ્નિને આપે છે-પણ નજર રામ પર સ્થિર કરી છે.